Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોનાના સિક્કા કરતાં સંબંધોની કિંમત વધુ:બે ભાઈઓના નિઃસ્વાર્થ ત્યાગની અદભૂત કથા, જે દૃષ્ટિકોણ બદલી નાખશે

    13 hours ago

    વર્ષો પહેલાં એક ગામમાં બે ભાઈઓ રહેતા હતા. બંને વચ્ચે ગાઢ પ્રેમ હતો. મોટો ભાઈ પરણેલો હતો અને નાનો ભાઈ અપરિણીત હતો. બંને સાથે મળીને ખેતી કરતા હતા. વર્ષો પહેલાં તેમના પિતાએ વસિયતમાં લખ્યું હતું કે, જ્યારે બંને ભાઈઓ પુખ્ત વયના થાય, ત્યારે તિજોરીમાં રાખેલા પૂર્વજોના 1000 સોનાના સિક્કા સરખે ભાગે વહેંચી લેવા. એક દિવસ બંને ભાઈઓએ તે સિક્કા કાઢ્યા અને 500-500 સિક્કાની બે અલગ પોટલીઓ બનાવી. રાત વધુ થઈ ગઈ હોવાથી તેમણે નક્કી કર્યું કે, પોટલીઓ અત્યારે તિજોરીમાં જ રહેવા દઈએ અને સવારે પોતપોતાની સુરક્ષિત જગ્યાએ મૂકી દઈશું. રાત આગળ વધી રહી હતી, પરંતુ નાના ભાઈની આંખમાં ઊંઘ નહોતી. તે વિચારી રહ્યો હતો કે, 'મારા મોટા ભાઈ પાસે પરિવાર છે, પત્ની છે, દીકરો છે. તેની જવાબદારીઓ મારા કરતાં વધારે છે. મારે તો એકલા જ રહેવાનું છે, તેથી મને ઓછા સિક્કાની જરૂર છે.' આ વિચારીને તેણે પોતાની પોટલીમાંથી થોડા સિક્કા કાઢીને મોટા ભાઈની પોટલીમાં નાખી દીધા. બીજી તરફ મોટા ભાઈના મનમાં પણ એક જ વિચાર ચાલી રહ્યો હતો કે, 'મારો તો પરિવાર છે, જે મારું ધ્યાન રાખે છે, પણ મારો નાનો ભાઈ એકલો છે. તેનું ભવિષ્ય સુરક્ષિત હોવું જોઈએ. તેને વધુ સિક્કાની જરૂર છે.' આ વિચારીને તેણે પણ પોતાની પોટલીમાંથી થોડા સિક્કા કાઢીને નાના ભાઈની પોટલીમાં નાખી દીધા. સવારે જ્યારે બંનેએ જોયું, ત્યારે તેમની પોટલીઓમાં સરખા જ સિક્કા હતા. બંનેને એ સમજાયું નહીં કે આવું કેવી રીતે થયું, પણ ધીમે ધીમે તેમને એકબીજાના પ્રેમ અને ત્યાગનો અહેસાસ થયો. તે દિવસે તેમના વચ્ચેનો સંબંધ વધુ ગાઢ બન્યો. પ્રસંગની શીખ આજકાલ દરેક વ્યક્તિ પોતાના વિશે વધુ વિચારે છે, પરંતુ જે લોકો બીજાના સુખ-દુઃખને સમજે છે, તેમના પરસ્પર સંબંધો મજબૂત બને છે. જ્યારે તમે બીજાઓ માટે વિચારો છો, ત્યારે બદલામાં તમને સન્માન અને પ્રેમ મળે છે. બંને ભાઈઓએ કોઈ પણ સ્વાર્થ વિના એકબીજા માટે ત્યાગ કર્યો. આ જ સાચો પ્રેમ છે. જીવનમાં જો આપણે કોઈ પણ અપેક્ષા વિના બીજાઓ માટે કંઈક કરીએ, તો મનને સાચી શાંતિ મળે છે. ધન, સંપત્તિ અને સફળતા કરતાં આપણા સંબંધો વધુ મહત્વના હોય છે. જો સંબંધોમાં પ્રેમ અને વિશ્વાસ હોય, તો જીવનની મુશ્કેલીઓ પણ સરળ લાગે છે. સંબંધો જાળવી રાખવા માટે સમય અને ભાવનાઓનું સન્માન કરવું જરૂરી છે. બંને ભાઈઓ સાથે મળીને કામ કરતા હતા. જીવનમાં ટીમવર્ક અને સહયોગ સફળતાની ચાવી છે- ભલે તે પરિવાર હોય કે કાર્યસ્થળ, બંને જગ્યાએ એકબીજાને સહયોગ કરવાની ટેવ પાડો. બંને ભાઈઓએ પરિસ્થિતિને સકારાત્મક દૃષ્ટિકોણથી જોઈ. તેમણે એવું ન વિચાર્યું કે 'મને વધુ મળવું જોઈએ', પરંતુ એવું વિચાર્યું કે 'બીજાને વધુ મળવું જોઈએ.' આ વિચાર જ જીવનને અને સંબંધોને સુંદર બનાવે છે. જ્યારે આપણે આપણા હિસ્સામાંથી થોડું છોડીએ છીએ, ત્યારે આપણા સંબંધોમાં ઊંડાણ આવે છે. ત્યાગ ક્યારેય નુકસાન કરતો નથી, પરંતુ હૃદયને જોડે છે. તેથી સંબંધોમાં ત્યાગની ભાવના હોવી જોઈએ. જીવનમાં સંતુલન ખૂબ જ જરૂરી છે - કામ, પરિવાર અને વ્યક્તિગત ભાવનાઓ વચ્ચે. જે વ્યક્તિ સંતુલન જાળવી રાખે છે, તે જ સાચા અર્થમાં સફળ થાય છે. જીવનની સાચી ખુશી બીજાઓ માટે જીવવામાં છે. જ્યારે પરિવારના સભ્યો એકબીજાની ચિંતા કરે છે, ત્યારે ત્યાં હંમેશા પ્રેમ, શાંતિ અને સુખ જળવાઈ રહે છે.
    Click here to Read More
    Previous Article
    આશા ભોસલેની સફળતા પાછળનું 'જ્યોતિષ રહસ્ય':'ભરણી' નક્ષત્રમાં જન્મ્યાં હતાં સૂરોના મહારાણી, યમની શિસ્ત અને શુક્રના તેજ સાથે કલાનો મેળાપ
    Next Article
    અંનતની વાટે આશાતાઈ:11 વાગ્યાથી ચાહકો ને સેલેબ્સ અંતિમ દર્શન કરી શકશે, સાંજે 4 વાગ્યે પંચતત્વમાં વિલીન થશે

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment