Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધો-11માં અભ્યાસ કરતો ફૂટબોલર કેનાલમાં તણાયો:વડોદરામાં વડાપાઉ ખાઈ કેનાલમાં હાથ ધોવા ઉતર્યો'તો; 4 કિમી દૂર મૃતદેહ મળ્યો

    22 hours ago

    વડોદરા શહેરના સેવાસી વિસ્તારમાંથી પસાર થતી કેનાલમાં ગત(25 માર્ચ) રોજ વહેલી સવારે એક કિશોરનો પગ લપસી જતાં તણાયો હતો. ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી શોધખોળ હાથ ધરી હતી. જો કે સાંજ સુધી ન મળતા આજે પાદરા નજીક બોડી દેખાતા જીઆઇડીસી ફાયરની ટીમે પહોંચી મૃતદેહ બહાર કાઢી પોલીસને સોંપ્યો હતો. કેનાલ પાસે વડાપાઉ ખાધો પ્રાપ્ત વિગતો અનુસાર ગત રોજ શહેરના અટલાદરાની જીપીએસ સ્કૂલના ધો.11 (સીબીએસઇ)માં ભણતો હર્ષવર્ધન ક્ષેત્રિય વડસર સ્થિત પોતાના ઘરેથી સવારે એક્ટિવા લઇને નીકળ્યો હતો. રસ્તામાં તેણે આ જ સ્કૂલમાં ભણતા વિદ્યાર્થી ઓમ દુબેને પોતાની સાથે એક્ટિવા પર બેસાડયો હતો. તેઓ સવારે સેવાસી કેનાલ પાસે ગયા હતા અને ત્યાં વડાપાઉનો નાસ્તો કર્યો હતો. વડાપાઉ ખાઈ હાથ ધોવા કેનાલમાં ઉતર્યો ત્યારબાદ મોં-ધોવા તે નજીકથી પસાર થતી કેનાલમા ઢાળવાળી જગ્યાએથી નીચે ઉતર્યો હતો. દરમિયાન તેનો પગ લપસતા તે સીધો જ નહેરના પાણીમાં ખાબક્યો હતો. તે દ્રશ્ય જોઈ સાથે રહેલ મિત ગભરાઈ ગયો હતો. લપસી કેનાલમાં પડ્યો આ દરમિયાન તેણે પોતાના માતા-પિતાને જાણ કરી હતી. તેના વાલીઓએ તુરંત જ ફાયરબ્રિગેડને જાણ કરી હતી. જોકે લપસ્યા બાદ હર્ષવર્ધન પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. આજે સવારે મૃતદેહ બહાર કાઢ્યો આ ઘટનાને લઈ તાત્કાલિક ફાયરબ્રિગેડના લાશ્કરોએ બોટ લાવીને તેની શોધખોળ હાથ ધરી હતી પણ રાત સુધી તેની કોઈ ભાળ મળી ન હતી. આ અંગે પોલીસે તેના મિત્ર ઓમની બનાવ અંગે પૂછપરછ કરીને બનાવની વધુ તપાસ હાથ ધરી હતી. આજે સવારે પાદરાના વડું જવાના રસ્તે કેનાલમાં બોડી દેખાતી હોવાની માહિતી મળતાં જ મકરપુરા જીઆઇડીસી ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી બોડીને બહાર કાઢી પાદરા પોલીસને સોંપી હતી. મૃતક ફૂટબોલનો પ્લેયર હતો હર્ષવર્ધન ક્ષેત્રિય ફૂટબોલનો ઉમદા પ્લેયર હતો. તેણે ફૂટબોલની ક્લસ્ટર ટુર્નામેન્ટમાં પણ નોંધપાત્ર દેખાવ કર્યો હતો. તેની ભાળ ન મળતાં તેના મિત્રો પણ નિરાશ થયા હતા. જો કે આજે તેનો મૃતદેહ ચારથી પાંચ કિલોમીટર દૂરથી મળી આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 15 દિવસમાં શહેર વિસ્તારમાંથી પસાર થતી કેનાલોમાંથી 5 વ્યક્તિઓ તણાયા છે. પોલીસે કાર્યવાહી હાથ ધરી આ બનાવ અંગે પાદરા પોલીસે તાલુકા પોલીસને જાણ કરી છે. સાથે મૃતક કિશોરના પરિવારને પાદરા પોલીસે બોલાવી ઓળખ કરી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    PM સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટનું લોકાર્પણ કરશે:ગાંધીનગરના કોબા તીર્થમાં સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમની ભેટ આપશે, ડીસામાં જાહેરસભા સંબોધશે, 31 માર્ચે ગુજરાત પ્રવાસે
    Next Article
    ચોટીલા ચામુંડા મંદિરે ચૈત્ર નવરાત્રીના આઠમે ભક્તોનું ઘોડાપુર:ભક્તોએ વહેલી સવારે મંદિરે દર્શન કરી શીશ ઝુકાવી ધન્યતા અનુભવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment