Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દ્વારકા ગૌશાળામાં ગૌમાતાને તરબૂચ ખવડાવ્યા:ગૌવંશને કાળઝાળ ગરમીમાં શીતળતા આપી

    8 hours ago

    દ્વારકાની 138 વર્ષ જૂની ગૌશાળામાં ગૌમાતાને કાળઝાળ ગરમીથી રાહત આપવા માટે તરબૂચ ખવડાવવામાં આવ્યા હતા. શહેર ભાજપ મહામંત્રી રવિ બારાઈએ આ અનોખી ગૌસેવા કરી હતી, જેનાથી ગૌવંશને શીતળતા મળી હતી. હાલમાં આકરી ગરમી પડી રહી છે, ત્યારે માણસો પણ છાંયડો શોધી રહ્યા છે. આવા સમયે, જગત મંદિર નજીક આવેલી આ ઐતિહાસિક ગૌશાળામાં ગૌમાતા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. સામાન્ય રીતે યાત્રિકો ગૌશાળામાં લાડુ કે ઘાસચારો આપતા હોય છે. જોકે, રવિ બારાઈએ ઉનાળાની તીવ્ર ગરમીને ધ્યાનમાં રાખીને ગૌવંશ માટે ઠંડા અને લાલચટક તરબૂચની વ્યવસ્થા કરી હતી. ગૌશાળાના દરેક ખૂણે આ શીતળ પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. તરબૂચ ખવડાવતી વખતે રવિ બારાઈએ માત્ર દાન આપીને સંતોષ ન માન્યો, પરંતુ ગૌ-વાછરડાઓને પોતાના સંતાનની જેમ પ્રેમ અને વાત્સલ્ય આપ્યું હતું. તેમની આ સેવાને સાચી ગૌ-સેવા અને કૃષ્ણ સેવાનો મંત્ર સાર્થક કરનારી માનવામાં આવી રહી છે. 138 વર્ષ જૂની આ સંસ્થામાં ગૌસેવાનો આ અનોખો અભિગમ દ્વારકાવાસીઓમાં ચર્ચાનો વિષય બન્યો છે.
    Click here to Read More
    Previous Article
    થલાપતિ વિજયની 'જન નાયકન' ઓનલાઇન લીક:પૂજા હેગડેએ પાઇરસીને પ્રોત્સાહન ન આપવા અપીલ કરી, મેકર્સે કાયદેસરની કાર્યવાહીની ચીમકી ઉચ્ચારી
    Next Article
    Asha Bhosle And Lata Mangeshkar, An Iconic 'Rivalry' That Defined Bollywood

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment