Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાપીમાં સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ:વડોદરાના મુખ્ય આરોપીની આગોતરા જામીન અરજી નામંજૂર

    12 hours ago

    વાપી શહેરમાં સાયબર ગુનાઓ સામે વાપી ટાઉન પોલીસે એક સુવ્યવસ્થિત સાયબર ફ્રોડ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. આ કેસમાં વડોદરાના મુખ્ય આરોપી કરણ રામકનૈયાલાલ ભાષાણીની મુશ્કેલીઓ વધી છે, કારણ કે વાપીની એડિશનલ સેશન્સ કોર્ટે તેની બે અલગ-અલગ આગોતરા જામીન અરજીઓ નામંજૂર કરી દીધી છે. કોર્ટે નોંધ્યું કે જો આરોપી બહાર રહેશે તો તપાસમાં અવરોધ ઊભો કરી શકે છે. સરકારી વકીલ ડી.જી.પી. અનિલ ત્રિપાઠીની દલીલોને માન્ય રાખીને, એડિશનલ સેશન્સ જજ એચ.એન. વકીલે આ મહત્વનો હુકમ સંભળાવ્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે કરણ ભાષાણી, સહ-આરોપી ફરહાન સલીમ ઘાંચી અને ઝૈદ ઉર્ફે સાનુ હનીફ શેખ સાથે મળીને સાયબર ઠગાઈનું એક ગોઠવણબદ્ધ રેકેટ ચલાવતા હતા. આરોપીઓ ફ્રોડથી મળેલા નાણાંને સગેવગે કરવા માટે 'મ્યુલ બેંક એકાઉન્ટ'નો ઉપયોગ કરતા હતા. આ માટે, તેઓ અન્ય લોકોને તેમના બેંક ખાતા ભાડે આપવા માટે 1 થી 3 ટકા સુધીના કમિશનની લાલચ આપતા હતા. આ રીતે મેળવેલા ખાતાઓમાં છેતરપિંડીથી મેળવેલા પૈસા જમા કરવામાં આવતા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, કરણ ભાષાણીએ સહ-આરોપીના કોટક મહિન્દ્રા બેંક ખાતામાં કુલ રૂ. 5.15 લાખ જમા કરાવ્યા હતા. ત્યારબાદ આ રકમ રોકડમાં ઉપાડીને વાપીની એક આંગડિયા પેઢી મારફતે વડોદરા મોકલવામાં આવતી હતી. તપાસ દરમિયાન કોલ ડિટેલ રેકોર્ડ (CDR)માં ચોંકાવનારી વિગતો સામે આવી છે. આરોપી અને સહ-આરોપી વચ્ચે 500થી વધુ વાર ફોન પર વાતચીત થયેલી હોવાનું બહાર આવ્યું છે, જે તેમની સંડોવણીને વધુ મજબૂત બનાવે છે. સરકાર પક્ષે કોર્ટમાં દલીલ કરી હતી કે આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની ગંભીર કલમો તથા આઈટી એક્ટ હેઠળ ગુનાઓ નોંધાયેલા છે. જો જામીન આપવામાં આવશે તો આરોપી પુરાવા સાથે ચેડાં કરી શકે અથવા ફરાર થઈ શકે તેવી શક્યતા છે. કોર્ટે આ દલીલોને માન્ય રાખીને જણાવ્યું કે સાયબર ક્રાઈમ સમાજ અને અર્થતંત્ર માટે ગંભીર ખતરો છે. તેથી, તપાસના હિતમાં આરોપીને આગોતરા જામીન આપવું યોગ્ય નથી.
    Click here to Read More
    Previous Article
    જામનગર: પૂર્વ કોર્પોરેટર કેશુભાઈ માડમ ભાજપ છોડી BSPમાં જોડાયા:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજકીય હડકંપ, વોર્ડ 4માં ચતુષ્કોણીય જંગ
    Next Article
    અનંત અંબાણીએ જામનગરમાં વનતારા યુનિવર્સિટી શરૂ કરી:વન્યજીવ સંરક્ષણ અને પ્રાણીચિકિત્સા માટે વિશ્વની પ્રથમ ગ્લોબલ યુનિવર્સિટી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment