Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં ધનવંતરી રથ દ્વારા સેવા:વિશ્વ આરોગ્ય દિવસે જાગૃતિ અને તબીબી સારવાર અપાઈ

    15 hours ago

    વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે સુરેન્દ્રનગરમાં ધનવંતરી આરોગ્ય રથ દ્વારા આરોગ્ય જાગૃતિ, માર્ગદર્શન અને તબીબી સારવાર પૂરી પાડવામાં આવી હતી. આ સેવા દ્વારા નાગરિકોને આરોગ્યલક્ષી લાભ મળ્યા હતા. 'ધન્વંતરી આરોગ્ય રથ' સેવા ખાસ કરીને બાંધકામ શ્રમિકો માટે શરૂ કરવામાં આવી છે. આ રથ બાંધકામ સાઇટ્સ, શ્રમિક વસાહતો અને તેમના ઘરઆંગણે જ તબીબી સારવાર ઉપલબ્ધ કરાવે છે. આ રથ દ્વારા શરદી, તાવ, માથાનો દુખાવો, ઉલટી, ઝાડા અને સાંધાના દુખાવા જેવી સામાન્ય બીમારીઓનું નિદાન અને સારવાર કરવામાં આવે છે. જરૂર પડ્યે તબીબી તપાસો કરીને તેના અહેવાલ પણ આપવામાં આવે છે. આ ઉપરાંત, નાગરિકોને વિવિધ સરકારી આરોગ્ય યોજનાઓ વિશે માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. નિર્માણ કાર્ડ નોંધણીની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે, જેનાથી આરોગ્ય સેવાઓ વધુ સુલભ બને છે.
    Click here to Read More
    Previous Article
    માળીયા (મી.)માં પુત્રએ પિતાની કરી ક્રૂર હત્યા:કામ બાબતે ઠપકો આપતાં ઉશ્કેરાયેલા પુત્રએ 85 વર્ષીય વૃદ્ધ પિતા પર કુહાડીના ઘા ઝીંક્યા, ભાઈએ જ ભાઈ વિરુદ્ધ નોંધાવી ફરિયાદ
    Next Article
    પ્રોવિઝનલ સ્ટોરમાં આગ લાગી કે લગાવી?:મંગલેશ્વર ઝાંપા નજીક પ્રોવિઝન સ્ટોર ભડકે બળ્યો, આગ લગાવવામાં આવી હોવાની દુકાન માલિકે આશંકા વ્યક્ત કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment