Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દુર્ઘટના:રેલવે કોલોનીમાં ઝાડીઓમાં આગ, લાકડાના જથ્થામાં પ્રસરતાં દોડધામ

    15 hours ago

    પ્રતાપનગર રેલવે કોલોનીમાં વિદ્યામંદિર સ્કૂલ પાસે ઝાડી-ઝાંખરા અને કચરાના ઢગલામાં આગ લાગી હતી. આ આગ નજીકમાં કાપીને મૂકેલા લાકડાના જથ્થામાં પણ પ્રસરતાં દોડધામ મચી હતી. સ્થાનિકોએ આ અંગે જાણ કરતાં ફાયરબ્રિગેડે આગ બૂઝાવી હતી. વિદ્યામંદિર સ્કૂલ પાસે એક જગ્યાએ સૂકો કચરો અને ઝાડીઓ હતી. તેની નજીક રેલવે દ્વારા લાકડાનો મોટો જથ્થો કાપીને મૂકાયો હતો. સવારે 9.30 વાગ્યાના સુમારે અચાનક આ ઝાડીમાં આગ લાગી હતી. પવનથી આગે ઝડપથી પ્રસરી નજીકના લાકડાના જથ્થાને પણ લપેટમાં લીધો હતો. જોતજોતામાં ધુમાડાના ગોટેગોટે છવાયા હતા. ગાજરાવાડી ફાયરબ્રિગેડે પહોંચી દોઢ કલાકની જહેમતે આગ પર કાબૂ મેળવ્યો હતો. જ્યારે ઝાડીઓમાંથી રાત સુધી ધુમાડો નીકળતો હોવાનું રોહિતકુમાર નામના સ્થાનિકે જણાવ્યું હતું. અન્ય બનાવમાં દિવાળીપુરા કોર્ટ પાછળના ભાગમાં એક પ્લોટના સૂકા કચરામાં આગ લાગી હતી. અહીંથી પસાર થતા અંશ ચૌહાણે ફોન કરતાં ફાયરબ્રિગેડે પહોંચી આગ બુઝાવી હતી.
    Click here to Read More
    Previous Article
    વલસાડ નગરપાલિકાના ઇન્દિરા ગાંધી શોપિંગ સેન્ટરનો સ્લેબ તૂટ્યો:ગ્રાઉન્ડ ફ્લોરમાં પાર્ક મોપેડ પર કાટમાળ પડ્યો, મોટી જાનહાનિ ટળી; પાલિકા સ્ટ્રક્ચરલ ઓડિટ કરાવશે
    Next Article
    જાહેરનામું:મતદાન મથકે મતદારોને લાવવા-લઇ જવા મફત વાહનની સગવડ નહીં આપી શકાય

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment