Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સબરીમાલામાં મહિલાઓની એન્ટ્રી પર સુનાવણી:સબરીમાલા મુદ્દે સુપ્રીમ કોર્ટમાં કેન્દ્રનો જવાબ- ધર્મની વ્યાખ્યા કરવાનું કામ કોર્ટનું નથી

    2 days ago

    સુપ્રીમ કોર્ટ આજે કેરળના સબરીમાલા મંદિરમાં મહિલાઓને એન્ટ્રી આપવાની મંજૂરી આપતા આદેશ અંગેના સમીક્ષા કેસની સુનાવણી કરી રહી છે. સીજેઆઈ સૂર્યકાંતની અધ્યક્ષતામાં નવ જજોની બંધારણીય બેન્ચ આ કેસની સુનાવણી કરી રહી છે. કોર્ટે ધર્મની વ્યાખ્યા ન કરવી જોઈએ. કેન્દ્ર સરકારનો તર્ક છે કે જો કોર્ટ આવા ધોરણોના આધારે ધાર્મિક પ્રથાઓની સમીક્ષા કરે છે, તો તેઓ ધર્મ પર પોતાના દાર્શનિક વિચારો લાદશે, જે બંધારણ સાથે અસંગત છે. સરકારે સ્પષ્ટતા કરી હતી કે ધાર્મિક પ્રથા તર્કસંગત છે કે નહીં તે નક્કી કરવું બંધારણીય સમીક્ષાનો ભાગ હોઈ શકે નહીં. મસ્જિદોમાં મહિલાઓની એન્ટ્રી, દાઉદી બોહરા સમુદાયમાં મહિલાનું ખતના અને બીજા ધર્મમાં લગ્ન કરનારી પારસી મહિલાઓને ધાર્મિક સ્થળોમાં જવાનો અધિકાર મળે કે નહીં, કોર્ટ આના પર પણ નિર્ણય કરશે. ધાર્મિક સ્થળો પર મહિલાઓ સાથે ભેદભાવ સંબંધિત આ સવાલો છેલ્લા 26 વર્ષથી દેશની અલગ-અલગ અદાલતોમાં પેન્ડિંગ છે. સુપ્રીમ કોર્ટની 9 જજોની બંધારણીય બેન્ચ આજથી 22 એપ્રિલ સુધી 50થી વધુ અરજીઓ પર અંતિમ સુનાવણી કરશે. સુપ્રીમ કોર્ટમાં 7 એપ્રિલની સવારે 10.30 વાગ્યે સબરીમાલા રિવ્યુ કેસની સુનાવણી શરૂ થઈ. રિવ્યુ પિટિશનરો અને તેમને સપોર્ટ કરનારા 7 એપ્રિલથી 9 એપ્રિલ સુધી, જ્યારે વિરોધ કરનારા 14 એપ્રિલથી 16 એપ્રિલ સુધી દલીલો રજૂ કરી શકશે. 9 જજોની બેન્ચ 5 મુદ્દાઓ પર સુનાવણી કરશે 1. સબરીમાલા મંદિરમાં મહિલાઓનો પ્રવેશ: શું તમામ ઉંમરની મહિલાઓને પ્રવેશનો અધિકાર છે? બેન્ચ નક્કી કરશે કે વર્ષ 2018માં ઇન્ડિયન યંગ લોયર એસોસિએશન Vs સ્ટેટ ઓફ કેરળ કેસમાં હાઈકોર્ટનો નિર્ણય સાચો હતો કે નહીં. મંદિરમાં 10 થી 50 વર્ષની મહિલાઓને પ્રવેશની મંજૂરી આપવાના આ નિર્ણયની સમીક્ષા કરવા માટે મંદિરના પૂજારી સહિત કેટલીક સંસ્થાઓએ અરજી કરી છે, તો કેટલાક સંગઠનો તેની વિરુદ્ધ છે. 2. દાઉદી બોહરા સમુદાયમાં મહિલાઓનું ખતના: શું આ પ્રથા મૌલિક અધિકારોનું ઉલ્લંઘન છે? 2017માં એડવોકેટ સુનીતા તિવારીએ દાઉદી બોહરા સમુદાયમાં મહિલા ખતનાનો મુદ્દો ઉઠાવ્યો અને સુપ્રીમ કોર્ટમાં અરજી કરી. 3. મસ્જિદોમાં મહિલાઓનો પ્રવેશ: શું મુસ્લિમ મહિલાઓને મસ્જિદમાં નમાઝ પઢવાથી રોકી શકાય છે. 2016માં યાસમીન ઝુબેર અહેમદ પીરઝાદા નામની મહિલાએ મુસ્લિમ મહિલાઓના મસ્જિદમાં પ્રવેશનો મુદ્દો ઉઠાવ્યો અને સુપ્રીમ કોર્ટમાં અરજી કરી. 4. પારસી મહિલાઓનો અગ્નિમંદિરમાં પ્રવેશ: શું બિન-પારસી સાથે લગ્ન કરનાર પારસી મહિલાને અગ્નિમંદિરમાં પ્રવેશતા રોકી શકાય છે? 2012માં પારસી મહિલા ગુલરૂખ એમ ગુપ્તાએ હિંદુ વ્યક્તિ સાથે લગ્ન કર્યા. તેમને પારસી ધર્મસ્થાનોમાં પ્રવેશતા રોકવામાં આવ્યા. તેમણે આના વિરુદ્ધ બોમ્બે હાઈકોર્ટમાં પારસી મહિલાઓના ધાર્મિક અધિકારને લઈને અરજી કરી. બાદમાં મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો. 5. મુસ્લિમ પર્સનલ લો સાથે સંકળાયેલા લિંગભેદભાવના પ્રશ્નો: શું વ્યક્તિગત કાયદાઓને મૂળભૂત અધિકારોની કસોટી પર ચકાસી શકાય છે?
    Click here to Read More
    Previous Article
    Blake Lively breaks silence after setback in Justin Baldoni case: ‘Don’t be distracted by the digital soap opera’
    Next Article
    વેરાવળ ડેપો કર્મચારીએ પરત કર્યું રૂ. 2 લાખનું મંગળસૂત્ર:સ્લીપર બસમાં મળેલું પર્સ માલિકને સોંપાતા મુસાફરે આભાર માન્યો

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment