Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં પક્ષીઓ માટે પાણી કુંડા, ચકલી ઘરનું વિતરણ:જૈન સોશિયલ ગ્રુપ દ્વારા ઉનાળામાં જીવદયા કાર્યક્રમ યોજાયો

    8 hours ago

    સુરેન્દ્રનગરમાં જૈન સોશિયલ ગ્રુપ સુરેન્દ્રનગર સિલ્વર દ્વારા ઉનાળાની ગરમીમાં પક્ષીઓ માટે જીવદયા કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમ અંતર્ગત પક્ષીઓ માટે પીવાના પાણીના કુંડા, ચકલી ઘર, ચણ અને જારનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું. આ વિતરણ મહાલક્ષ્મી કોમ્પ્લેક્ષ પાસે, જવાહર રોડ, સુરેન્દ્રનગર ખાતે કરવામાં આવ્યું હતું. આ પહેલનો મુખ્ય હેતુ તપતા ઉનાળામાં પક્ષીઓને પાણી અને આશ્રય પૂરો પાડવાનો હતો. જૈન સોશિયલ ગ્રુપ સુરેન્દ્રનગર સિલ્વર દ્વારા દર વર્ષે નિયમિતપણે જીવદયા અને સેવા સંબંધિત પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે. આ વર્ષે પણ પક્ષીઓ માટે પાણી અને આશ્રયની વ્યવસ્થા સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્યથી આ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો. આ કાર્યક્રમમાં ગ્રુપની સમગ્ર કારોબારી ટીમ ઉત્સાહપૂર્વક ઉપસ્થિત રહી હતી અને સેવા કાર્યને સફળ બનાવવામાં યોગદાન આપ્યું હતું. આવા સેવાકીય પ્રયત્નો દ્વારા સમાજમાં કરુણા અને જીવદયાનો સંદેશ વ્યાપક સ્તરે પ્રસરે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    Amaravati notified as Andhra Pradesh capital 12 years after bifurcation
    Next Article
    ધારી રોડ પર કાર પલટી, એક યુવાનનું કરુણ મોત:સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતાં અલ્ટો એક પછી એક ત્રણવાર ગુલાટી ખાઇને પડી, ચાલકનું સારવાર દરમિયાન મોત, બેનો આબાદ બચાવ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment