Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરા જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ સહિત ચાર ભાજપમાં જોડાયા:ભાજપના સ્થાપના દિવસે જ પ્રહલાદ પટેલ, કુલદીપસિંહ રાજ સહિતના આગેવાનોએ પક્ષપલટો કર્યો

    4 days ago

    ચૂંટણી પહેલા ભાજપ - કોંગ્રેસમાં જોડતોડનું રાજકારણ વધુ તેજ બન્યું છે, ત્યારે આજે વડોદરા જિલ્લા કોંગ્રેસના ચાર આગેવાનો ભાજપમાં જોડાયા હતા. ભાજપના સ્થાપના દિવસે જ ચાર આગેવાનોને ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ ભાજપનો ખેસ પહેરાવી આવકાર આપ્યો હતો. ડભોઇ તાલુકાના આગેવાનોએ કોંગ્રેસનો હાથ છોડ્યો ડભોઇ તાલુકામાં છેલ્લા કેટલાય સમયથી સક્રિય અને કોંગ્રેસના હોદ્દા ઉપર રહેલા કાર્યકરોએ આજે કોંગ્રેસનો હાથ છોડી દીધો હતો અને ભાજપનો ભગવો ધારણ કર્યો હતો., કોંગ્રેસનો હાથ છોડનાર ચાર આગેવાનોમાં જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ અને બરોડા ડેરીના પૂર્વ ડિરેક્ટર પ્રહલાદ પટેલ, કોંગ્રેસના મહામંત્રી કુલદીપસિંહ રાજ, કોંગ્રેસના બક્ષીપંચ મોરચાના પ્રમુખ જયેશ ઠાકોર અને જિલ્લા કોંગ્રેસના મહામંત્રી નિલેશ રાઠોડનો સમાવેશ થાય છે. ભાજપના જિલ્લા કાર્યાલય ખાતે તમામને ભાજપનો ખેસ પહેરાવી આવકાર આપવામાં આવ્યો હતો. પૂર્વ ધારાસભ્ય સિદ્ધાર્થ પટેલના ખાસ હતા પ્રહલાદ પટેલ ડભોઈના પૂર્વ ધારાસભ્ય સિદ્ધાર્થ પટેલના ખાસ કહેવાતા પ્રહલાદ પટેલ હાલમાં કોંગ્રેસના જિલ્લા ઉપપ્રમુખ છે. તાજેતરમાં યોજાયેલી બરોડા ડેરીની ચૂંટણનીમાં પણ તેઓએ ઉમેદવારી નોંધાવી હતી જો કે તેઓ હારી ગયા હતા. ત્યારે આજરોજ તેઓએ ભાજપમાં જોડાઈને પોતાના રાજકારણને નવી દિશા આપવાનો પ્રયાસ કર્યો છે., તેઓ સાથે યુવા આગેવાનો પણ ભાજપમાં જોડાયા છે. ભાજપના સ્થાપના દિવસે હું ભાજપમાં આવકારું છું- MLA શૈલેષ મહેતા ધારાસભ્ય શૈલેષ મહેતાએ જણાવ્યું હતું કે, આ કાર્યકરોના આવવાથી ડભોઇમાં ભાજપ વધુ મજબૂત બનશે. તમામને આજે ભાજપના સ્થાપના દિવસે હું ભાજપમાં આવકારું છું. અને તેઓનું સ્વાગત કરતા આનંદની લાગણી અનુભવું છું. તમામ કાર્યકરો હાલમાં કોંગ્રેસ સાથે જોડાયેલા છે પરંતુ તેઓ ભાજપની વિચારધારાથી પ્રભાવિત થઈને ભાજપમાં જોડાયા છે.
    Click here to Read More
    Previous Article
    ભ્રષ્ટાચાર અને અણઘડ આયોજનનું પર્યાય બન્યું જુનાગઢ !:​‘રોડમાં ઢાળ રહી ગયો છે’ કહી ખુદ બાંધકામ સમિતિના ચેરમેને ભૂલ સ્વીકારી નવો રોડ તોડાવ્યો;વિપક્ષી નેતાનો ભાજપ પર પ્રહાર - ‘યાદશક્તિ વધારવા નેતાઓને કાજુ-બદામ ખવડાવો’
    Next Article
    જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્યનું રાજીનામું:સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા હેમાક્ષીબેન રાદડિયાએ ભાજપના તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment