Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મનપા કમિશનર એક્શન મોડમાં:ગંગાજળિયા તળાવ, મહિલા બાગ અને બિઝનેસ સેન્ટર સહિતના સ્થળોએ કમિશનરે સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું, બિઝનેસ સેન્ટરને નોટિસ પાઠવવામાં આવશે

    10 hours ago

    શહેરમાં સ્વચ્છતા અને ટ્રાફિકની સમસ્યાઓને ગંભીરતાથી લેતા ભાવનગર મહાનગરપાલિકાના કમિશનર એન.કે. મીના દ્વારા આજે શહેરના વિવિધ જાહેર સ્થળો પર આકસ્મિક નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, કમિશનરે ગંગાજળિયા તળાવ, રૂપમ ચોક સ્થિત બિઝનેસ સેન્ટર અને મહિલા બાગ જેવા વિસ્તારોની મુલાકાત લઈ સંબંધિત અધિકારીઓને કડક સૂચનાઓ આપી હતી, ​ ​ભાવનગરનું હૃદય ગણાતા ગંગાજળિયા તળાવમાં લાંબા સમયથી જામી ગયેલી ગંદકીના થર જોઈ કમિશનરે નારાજગી વ્યક્ત કરી હતી આ બાબતે તેમણે જણાવ્યું હતું કે, ​તળાવની આસપાસ સફાઈ અભિયાન હાથ ધરી જવાબદારોને નોટિસ પાઠવવામાં આવશે, ​તળાવની ફરતે પેવર બ્લોક લગાવવાની કામગીરી અને અન્ય જરૂરી આધુનિક ફેરફારો કરવામાં આવશે. જેથી ​લોકો માટે બેસવાની ઉત્તમ વ્યવસ્થા ઉભી કરી આ સ્થળને એક સુંદર પિકનિક સ્પોટ તરીકે વિકસાવવામાં આવશે. ​બિઝનેસ સેન્ટરનું પાર્કિંગ ખુલ્લું કરાવાશે ​રૂપમ ચોક પાસે આવેલા બિઝનેસ સેન્ટરના પાર્કિંગમાં ગંદકીના સામ્રાજ્ય અને દબાણોને પગલે કડક સૂચનાઓ આપી નોટિસ પાઠવવામાં આવશે, બિઝનેસ સેન્ટરમાં બે ફ્લોરનું પાર્કિંગ હોવા છતાં વાહનો રોડ પર ઉભા રહેતા હોવાથી ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાય છે, આ પાર્કિંગ તાત્કાલિક ખુલ્લું કરાવવા માટે આજે જ નોટિસ ફટકારવામાં આવશે, જેથી રોડ પર થતો ટ્રાફિક જામ હળવો થઈ શકે, ​મહિલા બાગ વિસ્તારમાં થતા કચરાના નિકાલ અંગે પણ કમિશનરે કડક વલણ અપનાવ્યું છે ત્યાં જમા થયેલો કચરો તાત્કાલિક દૂર કરવા અને ફૂટપાથ પર રહેતા લોકોને યોગ્ય જગ્યાએ ખસેડી રસ્તો ખુલ્લો કરવાના આદેશો આપવામાં આવ્યા છે, શહેરમાં ક્યાં શું સમસ્યા છે તે જાણવા અમે નિયમિત રીતે નિરીક્ષણ કરતા હોઈએ છીએ. બોરતળાવ હોય કે પીલગાર્ડન, દરેક જાહેર સ્થળને લોકો માટે સુવિધાજનક અને સ્વચ્છ બનાવવું એ અમારી પ્રાથમિકતા છે તેમ ભાવનગર મહાનગરપાલિકાના કમિશનર એન.કે.મીનાએ માહિતી આપી હતી.
    Click here to Read More
    Previous Article
    આગરાકેંટ-અસારવા સ્પેશિયલ ટ્રેન પાંચ દિવસ લંબાવાઈ:NWR દ્વારા સમય અને સ્ટેશન પર રોકાણ યથાવત રખાયું
    Next Article
    જૂનાગઢ યાર્ડમાં કેસરના શ્રીગણેશ:કમોસમી વરસાદ અને રોગચાળાને કારણે આ વર્ષે કેરીનો સ્વાદ મોંઘો પડશે, 10 કિલોના 1700 સુધી ભાવ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment