Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રણબીર કપૂરે 'રામ'ની ઝલક દેખાડી:'જય સિયારામ' કહી અમેરિકામાં ચાહકોનું દિલ જીત્યું; ભારતમાં હનુમાન જયંતિએ 'મર્યાદા પુરુષોત્તમ'ના દર્શન થશે

    8 hours ago

    રણબીર કપૂરે તેની આગામી મેગા બજેટ ફિલ્મ 'રામાયણ'માં ભગવાન રામના તેના રોલની પહેલી ઝલક અમેરિકાના લોસ એન્જલસમાં બતાવી. સોમવારે ત્યાં યોજાયેલા એક ઇવેન્ટમાં રણબીર કપૂર અને ડિરેક્ટર નિતેશ તિવારીએ ફિલ્મ વિશે વાત કરી. ભારતમાં આ વીડિયો 2 એપ્રિલે હનુમાન જયંતિના અવસરે રિલીઝ કરવામાં આવશે. 'ભગવાન રામ અબજો લોકોના આદર્શ છે' ઇવેન્ટ દરમિયાન રણબીર કપૂરે ભગવાન રામના મહત્વ અને તેમના વારસા વિશે વાત કરી. રણબીરે કહ્યું, 'ભગવાન રામ સદીઓથી દુનિયાભરના અબજો લોકો માટે આદર્શ રહ્યા છે. તેઓ આપણને શીખવે છે કે મુશ્કેલ સમયમાં પણ માણસે કેવી રીતે અડગ રહેવું જોઈએ.' રણબીરે આગળ કહ્યું, 'તેઓ કરુણા, સાહસ, ધર્મ અને ક્ષમાના પ્રતીક છે. તેમને 'મર્યાદા પુરુષોત્તમ' કહેવામાં આવે છે, જેનો અર્થ એક આદર્શ વ્યક્તિ છે.' રણબીર સાથે ડિરેક્ટર નિતેશ તિવારીએ પણ રામાયણના મૂલ્યો પર પોતાના વિચારો રજૂ કર્યા. રણબીરે દર્શકોનો આભાર માન્યો, બોલ્યો- 'જય સિયારામ' ટીઝર લોન્ચ પછી રણબીર કપૂર, ડિરેક્ટર નિતેશ તિવારી અને પ્રોડ્યુસર નમિત મલ્હોત્રાએ દર્શકો સાથે પ્રશ્ન-જવાબ સેશન (QA) કર્યું. આ દરમિયાન જ્યારે એક ફેને રણબીરનું અભિવાદન કર્યું, ત્યારે એક્ટરે 'જય સિયારામ' કહીને જવાબ આપ્યો. રણબીરે કહ્યું, 'આ મારા માટે ખૂબ જ ખાસ ક્ષણ છે. તમે લોકો દુનિયાના પહેલા લોકો છો, જેમણે અમારા આ પ્રોજેક્ટની પહેલી ઝલક જોઈ છે. આ માટે હું આપ સૌનો આભારી છું.' 2 એપ્રિલે સવારે 9 વાગ્યે થશે ગ્લોબલ લોન્ચ ફિલ્મના પ્રોડ્યુસર નમિત મલ્હોત્રાએ જણાવ્યું કે, 'ફિલ્મના પ્રમોશનની શરૂઆત હનુમાન જયંતિથી થશે. ગુરુવારે સવારે 9:00 થી 10:30 વાગ્યાની વચ્ચે આ વીડિયોને દુનિયાભરમાં રિલીઝ કરવામાં આવશે. આ માટે દેશના અલગ-અલગ શહેરોમાં મોટા ઇવેન્ટ્સ પણ પ્લાન કરવામાં આવ્યા છે.' મેકર્સની યોજના આ ફિલ્મને આ વર્ષે દિવાળીના અવસરે સિનેમાઘરોમાં રિલીઝ કરવાની છે. યશ બનશે 'રાવણ' અને સની દેઓલ 'હનુમાન' નિતીશ તિવારીની આ ફિલ્મ મહર્ષિ વાલ્મીકિની 'રામાયણ' પર આધારિત છે. ફિલ્મમાં રણબીર કપૂર સાથે સાઈ પલ્લવી માતા સીતાના પાત્રમાં જોવા મળશે. આ ઉપરાંત, ફિલ્મની બાકીની સ્ટારકાસ્ટ પણ ઘણી ચર્ચામાં છે. સની દેઓલ ભગવાન હનુમાનનો રોલ કરી રહ્યા છે, જ્યારે 'KGF' ફેમ યશ રાવણના પાત્રમાં જોવા મળશે. રવિ દુબેને લક્ષ્મણના રોલ માટે પસંદ કરવામાં આવ્યા છે. અરુણ ગોવિલ અને લારા દત્તા પણ જોવા મળશે ફિલ્મમાં બોલિવૂડના ઘણા મોટા નામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં લારા દત્તા, વિવેક ઓબેરોય, અરુણ ગોવિલ, શીબા ચઢ્ઢા, કાજલ અગ્રવાલ, કુણાલ કપૂર અને ફૈઝલ મલિક જેવા કલાકારો મુખ્ય ભૂમિકાઓમાં છે. નોંધનીય છે કે, અરુણ ગોવિલે ટીવીની પ્રખ્યાત 'રામાયણ' સિરિયલમાં રામનું પાત્ર ભજવ્યું હતું, પરંતુ આ ફિલ્મમાં તેઓ અન્ય મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે. VFX અને મોટા પાયે બનેલી ફિલ્મ નમિત મલ્હોત્રાના પ્રોડક્શનમાં બની રહેલી આ ફિલ્મ પર છેલ્લા ઘણા વર્ષોથી કામ ચાલી રહ્યું છે. ફિલ્મને ગ્લોબલ ઓડિયન્સના હિસાબે તૈયાર કરવામાં આવી રહી છે, જેમાં હાઈ-લેવલ VFXનો ઉપયોગ થયો છે. રણબીર કપૂરે આ રોલ માટે પોતાની લાઈફસ્ટાઈલ અને લુક્સમાં ઘણા ફેરફારો કર્યા છે. હનુમાન જયંતિના દિવસે પ્રમોશન શરૂ કરવાનો હેતુ ફિલ્મના આધ્યાત્મિક પાસાથી દર્શકોને જોડવાનો છે.
    Click here to Read More
    Previous Article
    Who was Maya Deren?
    Next Article
    મિડલ ઈસ્ટ યુદ્ધને ગેસ સપ્લાયના કારણે સુરતના હોસ્પિટાલિટી સેક્ટરમાં મંદી:કોર્પોરેટ ટ્રાવેલિંગમાં કાપ, રૂમ બિઝનેસમાં 50% તો રેસ્ટોરન્ટ બિઝનેસમાં 35%નો ઘટાડો

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment