Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરુના દીદાર માટે ભરૂચમાં ભીડ:સૈયદના મુફદ્દલ સૈફુદ્દીનના આગમન પર રેલવે સ્ટેશન પર મોટી સંખ્યામાં લોકો ઉમટ્યાં

    12 hours ago

    દાઉદી વ્હોરા સમાજના સર્વોચ્ચ ધર્મગુરુ સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન દાહોદ ખાતે એક કાર્યક્રમમાં હાજરી આપવા જઈ રહ્યા હતા. આ દરમિયાન ભરૂચ રેલવે સ્ટેશન પર તેમના દીદાર માટે સમાજના મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન મુંબઈથી દાહોદ જતી સ્વરાજ એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા. તેમની મુસાફરીની જાણ થતાં જ ભરૂચમાં વસતા વ્હોરા સમાજના પુરુષો, મહિલાઓ અને બાળકો મોટી સંખ્યામાં પ્લેટફોર્મ પર એકઠા થયા હતા. ટ્રેન નિર્ધારિત સમય કરતાં મોડી આવતા લોકોમાં ઉત્સુકતા જોવા મળી હતી. ટ્રેન પ્લેટફોર્મ પર પહોંચતા જ સમાજના આગેવાનો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન ટ્રેનના પાછળના સ્પેશિયલ બોગીમાં મુસાફરી કરી રહ્યા હતા. તેઓ કાચની કેબિન નજીક દેખાતા જ હાજર ભીડે ‘મૌલા મૌલા’ના નારા લગાવ્યા હતા અને તેમના દીદાર માટે પડાપડી કરી હતી. આ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે રેલવે પોલીસ અને આરપીએફ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પીઆઈ, પીએસઆઈ સહિતનો સ્ટાફ તેમજ હોમગાર્ડ્સ સ્થળ પર તૈનાત રહ્યા હતા. પોલીસની તકેદારીને કારણે સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો.
    Click here to Read More
    Previous Article
    Sambit Patra in Lok Sabha LIVE : कांग्रेस पर जमकर बरसे राष्ट्रीय प्रवक्ता संबित पात्रा | BJP |
    Next Article
    કોંગ્રેસે શહેર ભાજપની પાપની પોથીનું પોસ્ટર બતાવ્યું:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવતા જ હવે કોંગ્રેસ ઘરે-ઘરે જઈ લોકોની સમસ્યા સાંભળી ઉજાગર કરશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment