Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આજે ચૈત્ર નવરાત્રિનો અંતિમ દિવસ:માતા સિદ્ધિદાત્રીના પૂજનથી અષ્ટ સિદ્ધિ મળશે; છેલ્લા નોરતે આ સરળ મંત્રોનો જાપ કરો

    14 hours ago

    આજે શુક્રવાર, 27 માર્ચના રોજ ચૈત્ર નવરાત્રિનો અંતિમ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. આ તિથિ ધાર્મિક દૃષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. નવદુર્ગાઓમાં માતા સિદ્ધિદાત્રી નવમું અને અંતિમ સ્વરૂપ છે. શાસ્ત્રોક્ત વિધિ-વિધાન અનુસાર પ્રથમ આઠ દેવીઓની આરાધના કર્યા બાદ, નવમા દિવસે આ દેવીની ઉપાસના કરવાથી ભક્તોને પૂર્ણ ફળની પ્રાપ્તિ થાય છે. શિવજીએ કઠોર તપસ્યા કરી હતી માતા સિદ્ધિદાત્રી પોતાના ભક્તોને તમામ પ્રકારની સિદ્ધિઓ પ્રદાન કરનારાં છે. દેવીપુરાણ અનુસાર, ભગવાન શિવે માતા સિદ્ધિદાત્રીની કઠોર તપસ્યા કરીને જ તમામ અષ્ટ સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી. તેમની કૃપાથી જ શિવજીનું અડધું શરીર દેવીનું થયું અને તેઓ વિશ્વમાં 'અર્ધનારીશ્વર' તરીકે પ્રસિદ્ધ થયા. માતાનું દિવ્ય સ્વરૂપ માતા સિદ્ધિદાત્રી કમળ પર બિરાજમાન છે અને તેમનું વાહન સિંહ છે. તેમની ચાર ભુજાઓમાં ચક્ર, ગદા, શંખ અને કમળનું પુષ્પ શોભી રહ્યા છે. તે જ્ઞાન અને પૂર્ણતાનું પ્રતીક છે. ધ્યાન અને સાધનાનું મહત્વ: નિર્વાણ ચક્રની જાગૃતિ નવરાત્રિના અંતિમ દિવસે સાધકો અને ભક્તોએ પોતાની સાધનાને પરાકાષ્ઠાએ લઈ જવી જોઈએ. શાસ્ત્રોક્ત વિધિ મુજબ, આ દિવસે પૂજા કરતી વખતે ભક્તોએ પોતાનું સંપૂર્ણ ધ્યાન 'નિર્વાણ ચક્ર' (જે આપણા કપાળની મધ્યમાં, ભ્રૂકુટી સ્થાને સ્થિત છે) પર કેન્દ્રિત કરવું જોઈએ. નિર્વાણ ચક્ર પર ધ્યાન ધરવાથી માતા સિદ્ધિદાત્રીની વિશેષ કૃપા ઉતરે છે અને આ ચક્ર સાથે જોડાયેલી દિવ્ય શક્તિઓ સાધકને પ્રાપ્ત થાય છે. માતાના આશીર્વાદથી ભક્ત માટે સંસારનું કોઈ પણ કાર્ય અશક્ય રહેતું નથી. તે જીવનના દરેક પડકારોને પાર કરવાની ક્ષમતા મેળવે છે. દેવીની આરાધનાથી સાધકને માત્ર ભૌતિક સુખ-સુવિધાઓ જ નહીં, પરંતુ માનસિક શાંતિ અને આધ્યાત્મિક સમૃદ્ધિ પણ પ્રાપ્ત થાય છે. આ મંત્રોનો જાપ કરો નવમા દિવસે માતા સિદ્ધિદાત્રીને પ્રસન્ન કરવા માટે મંત્રોનો જાપ કરો. નવમા દિવસે માતાજીની મહાપૂજા અંતર્ગત નૈવેદ્ય તરીકે તલનો ભોગ ધરાવવામાં આવે છે. શુક્ર ગ્રહની પૂજા કરો જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના મતે, આ વખતે આ પર્વ શુક્રવારે આવી રહ્યું છે, જે શુક્ર ગ્રહ સાથે જોડાયેલો દિવસ છે. તેથી આ દિવસે શુક્ર ગ્રહની પૂજા કરવાથી કુંડળીમાં રહેલા દોષોને ઓછા કરી શકાય છે. શુક્ર ગ્રહની પૂજા શિવલિંગના રૂપમાં કરવામાં આવે છે. આથી શિવલિંગ પર દૂધ અર્પણ કરો અને 'ॐ શુક્રાય નમઃ' મંત્રનો જાપ કરો. આવું કરવાથી જીવનમાં સુખ-સુવિધાઓ અને વૈભવમાં વૃદ્ધિ થવાની માન્યતા છે.
    Click here to Read More
    Previous Article
    The secret history of the duo: 6 essential partnerships
    Next Article
    જામનગરમાં 45મી રામ સવારી યોજાઈ:ઐતિહાસિક જનમેદની વચ્ચે ભવ્ય શોભાયાત્રાનું સમાપન થયું

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment