Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં 45મી રામ સવારી યોજાઈ:ઐતિહાસિક જનમેદની વચ્ચે ભવ્ય શોભાયાત્રાનું સમાપન થયું

    16 hours ago

    જામનગર, જેને 'છોટીકાશી' તરીકે પણ ઓળખાય છે, ત્યાં રામનવમીના પવિત્ર તહેવાર નિમિત્તે 45મી ભવ્ય રામ સવારીનું આયોજન કરવામાં આવ્યું હતું. હિન્દુ ઉત્સવ સમિતિ અને મહાદેવ હર મિત્ર મંડળ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ શોભાયાત્રામાં ઐતિહાસિક જનમેદની ઉમટી પડી હતી. આ રામ સવારીનો પ્રારંભ તળાવની પાળ પર આવેલા સુપ્રસિદ્ધ બાલા હનુમાનજીના મંદિરેથી થયો હતો. તે હવાઇ ચોક, સેતાવાડ, સેન્ટ્રલ બેંક, માંડવી ટાવર, બર્ધન ચોક, દરબાર ગઢ, ચાંદી બજાર, દિપક ટોકીઝ, રણજીત રોડ અને બેડી ગેટ જેવા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી. રાત્રીના 12:30 વાગ્યે પંચેશ્વર ટાવર પાસે આવેલા ભગવાન શ્રી રામચંદ્રજીના મંદિરે તેનું સમાપન થયું હતું. શોભાયાત્રાના સમગ્ર માર્ગ પર હજારો રામભક્તોએ ભગવાન શ્રી રામ, લક્ષ્મણ અને જાનકીજીની પાલખીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. વિવિધ સંસ્થાઓ દ્વારા 13 જેટલા સુંદર અને આકર્ષક ફ્લોટ્સ તૈયાર કરવામાં આવ્યા હતા. રામભક્તોએ અંગ કસરતના દાવ અને હેરતભર્યા પ્રયોગો રજૂ કર્યા હતા, અને રામધૂનના નારા લગાવતા સમગ્ર 'છોટીકાશી' રામમય બની ગયું હતું. આ 45મી રામ સવારીના પ્રારંભ પ્રસંગે બાલા હનુમાન મંદિરના પૂજારી, બાલા હનુમાન સંકીર્તન મંડળના પ્રમુખ અને અખિલ ગુજરાત લોહાણા જ્ઞાતિના પ્રમુખ જીતુભાઈ લાલ સહિત અન્ય ટ્રસ્ટીગણે પાલખીનું સ્વાગત અને પૂજન કર્યું હતું. આ પ્રસંગે હિન્દુ ઉત્સવ સમિતિના કાર્યકારી અધ્યક્ષ ધીરુભાઈ કનખરા, દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમ, શહેર ભાજપના પ્રમુખ બીનાબેન કોઠારી, મહામંત્રી વિજયસિંહ જેઠવા, મૃગેશભાઈ દવે, ભાવેશભાઈ ઠુમમર, શહેર ભાજપના અન્ય અગ્રણીઓ અને કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, પૂર્વ વિરોધ પક્ષના નેતા ધવલ નંદા, શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા, મહામંત્રી ભરતસિંહ વાળા અને શહેર કોંગ્રેસના અન્ય અગ્રણીઓએ પણ હાજરી આપી હતી. આ તમામ મહાનુભાવોએ રામ સવારીનું પ્રસ્થાન કરાવ્યું હતું અને શોભાયાત્રાના માર્ગ પર શ્રી રામ-લક્ષ્મણ-જાનકીની પાલખીનું પૂજન કર્યું હતું.
    Click here to Read More
    Previous Article
    આજે ચૈત્ર નવરાત્રિનો અંતિમ દિવસ:માતા સિદ્ધિદાત્રીના પૂજનથી અષ્ટ સિદ્ધિ મળશે; છેલ્લા નોરતે આ સરળ મંત્રોનો જાપ કરો
    Next Article
    અમરેલીના કોન્ટ્રાક્ટર સાથે અમદાવાદના શખ્સે 15 લાખની છેતરપિંડી કરી:26 ટન લોખંડના સળિયા માટે એડવાન્સ પેમેન્ટ લઈને સપ્લાય ન કરતા પોલીસ ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment