Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લખનઉમાં રાહુલ બોલ્યા- મોદી સાયકોલોજિકલી ખતમ:અમેરિકા સામે નરેન્દરે સરેન્ડર કરી દીધું, તેઓ હવે ભારતના વડાપ્રધાન નથી

    13 hours ago

    લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી શુક્રવારે લખનઉ પહોંચ્યા. તેમણે દલિત મતદારોને આકર્ષવા માટે ડૉક્ટર આંબેડકર અને કાંશીરામની પ્રશંસા કરી, જ્યારે ભારત-અમેરિકા ડીલ, પીએમ નરેન્દ્ર મોદી અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા. રાહુલે કહ્યું કે, કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીનું નામ એપસ્ટીન ફાઈલમાં છે. તેમની પુત્રીની કંપનીમાં જ્યોર્જ સોરોસનું ભંડોળ છે. નરેન્દ્ર મોદી માનસિક રીતે સમાપ્ત થઈ ગયા છે. નરેન્દ્ર મોદી હવે ભારતના વડાપ્રધાન નથી રહ્યા, તેઓ અમેરિકાનું કામ કરી રહ્યા છે. જ્યારે હું આ વાત સંસદમાં કહેવા જઈ રહ્યો હતો ત્યારે નરેન્દ્ર મોદીજી ભાગી ગયા. નરેન્દ્ર મોદીએ દેશની ઊર્જા સુરક્ષા સાથે સમાધાન કર્યું છે. કારણ કે હવે અમેરિકા નક્કી કરી રહ્યું છે કે આપણે તેલ ક્યાંથી લઈશું? ઊર્જા ક્ષેત્રની સ્થિતિ હજુ વધુ ખરાબ થશે. નેહરુ જીવતા હોત તો કાંશીરામ યુપીના CM હોત રાહુલે કહ્યું કે, કાંશીરામજી સમાજમાં સમાનતાની વાત કરતા હતા. કોંગ્રેસ પોતાનું કામ સંપૂર્ણ રીતે કરી શકી નહીં. આ જ કારણ છે કે કાંશીરામજી સફળ થયા. જો કોંગ્રેસ યોગ્ય રીતે કામ કરતી હોત તો કાંશીરામજી ક્યારેય સફળ ન થાત. તેમણે કહ્યું, જો જવાહરલાલ નેહરુ જી જીવતા હોત તો કાંશીરામ જી કોંગ્રેસના મુખ્યમંત્રી હોત. પરંતુ આજે ભાજપે સમાજને 15 અને 85માં વહેંચી દીધો છે. ફાયદો ફક્ત 15% લોકોને મળી રહ્યો છે. 50% લોકોને અલગ-અલગ કરી દેવામાં આવ્યા છે. કાર્યકર્તાઓને સલાહ- રાહુલ ગાંધી ઝિંદાબાદ કરવાથી ફાયદો નથી રાહુલ ગાંધીએ કોંગ્રેસના કાર્યકર્તાઓને સલાહ પણ આપી. ખરેખર, જ્યારે રાહુલ બોલવા માટે ઊભા થયા ત્યારે કાર્યકર્તાઓ રાહુલ ગાંધી ઝિંદાબાદના નારા લગાવવા લાગ્યા. ત્યારે સાંસદે કહ્યું કે, રાહુલ ગાંધી ઝિંદાબાદ કરવાથી કોઈ ફાયદો નથી. આનાથી કંઈ થતું નથી. 2 તસવીરો જુઓ… કાંશીરામને ભારત રત્ન આપવાની માંગ ઉઠાવશે કોંગ્રેસ કોંગ્રેસે કાંશીરામને ભારત રત્ન આપવાની માંગનો પ્રસ્તાવ પસાર કર્યો છે. નિર્ણય લેવાયો છે કે રાહુલ ગાંધી દ્વારા સંસદમાં આ માંગ ઉઠાવવામાં આવશે. આ પહેલીવાર હતું, જ્યારે રાહુલ ગાંધી કાંશીરામ જયંતિના 2 દિવસ પહેલાં લખનઉમાં કોઈ મોટી ઇવેન્ટ કરવા આવ્યા હતા. કાર્યક્રમમાં લગભગ 4 હજાર લોકો સામેલ થયા. દલિત મતદારોની રાજનીતિમાં કોંગ્રેસનું આ એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે. યુપીમાં કોંગ્રેસ-સપાનું ગઠબંધન લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસનું સપા સાથે ગઠબંધન હતું, ત્યારે યુપીમાં NDAની બેઠકોની સંખ્યા 36 પર સીમિત રહી ગઈ હતી. મહાગઠબંધન 43 બેઠકો પર જીતવામાં સફળ રહ્યું. મહાગઠબંધન આ જ સફળતાને 2027ની વિધાનસભા ચૂંટણીમાં પણ પુનરાવર્તિત કરવા માંગે છે. સપા પણ કાંશીરામ જયંતિને PDA દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી ચૂકી છે. યુપીના 75 જિલ્લાઓમાં પાર્ટીના જિલ્લા મુખ્યાલયો પર 15 માર્ચે કાર્યક્રમો યોજાશે. યુપીમાં કોંગ્રેસ સામે અનેક પડકારો કોંગ્રેસ સામે અનેક પડકારો છે. દલિત રાજનીતિમાં બસપાનો પ્રભાવ હજુ પણ યથાવત છે, ખાસ કરીને જાટવ સમુદાયમાં તેનો ભાવનાત્મક જોડાણ મજબૂત છે. બીજી તરફ, ભાજપે પણ છેલ્લા 10 વર્ષમાં દલિત વર્ગો વચ્ચે સંગઠન મજબૂત કર્યું છે અને સરકારી યોજનાઓ દ્વારા સમર્થન વધાર્યું છે, તેથી કોંગ્રેસ માટે આ વોટ બેંકમાં મોટી જગ્યા બનાવવી સરળ નથી. બસપા-ભાજપના દબાણમાં, તેનો અન્ય પક્ષોને ફાયદો વરિષ્ઠ પત્રકાર હર્ષવર્ધન ત્રિપાઠી કહે છે કે- વર્તમાન સમયમાં બસપા સૌથી નબળી સ્થિતિમાં છે. લોકસભામાં તેનો કોઈ સભ્ય નથી. યુપીની વિધાનસભામાં માત્ર એક ધારાસભ્ય છે. રાજ્યસભામાં પણ ડિસેમ્બર પછી તેના શૂન્ય થવાના અણસાર છે. સપા-કોંગ્રેસ બંને પક્ષોને લાગે છે કે તેઓ નબળી બસપાનો વિકલ્પ બની શકે છે. બંને પક્ષો ભલે બસપાને નબળી કહેવાથી બચે છે, પરંતુ માયાવતી પર ભાજપના દબાણમાં કામ કરવાનો આરોપ લગાવીને આ જ નબળાઈને ઉજાગર કરવાનો પ્રયાસ કરે છે.
    Click here to Read More
    Previous Article
    ટ્રમ્પનો દાવો: ઈરાન ટૂંક સમયમાં સરેન્ડર કરશે:તેમની મિસાઇલો અને ડ્રોન ખતમ થઈ રહ્યા છે; ઇરાકમાં 4 અમેરિકન સૈનિકોનાં મોત
    Next Article
    મહાત્મા મંદિર મેટ્રોથી ગાંધીનગર રેલવે સ્ટેશન જવા 16 મિનિટ બચશે:હાઈટેક ટ્રાવેલેટરથી 1.3 કિમી લોકોને ચાલવુ નહી પડે, ફક્ત માત્ર 4 મિનિટમાં પહોંચી શકશો

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment