Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રિયદર્શને રાજપાલ યાદવને ઓછો ભણેલો કહ્યો:હવે સ્પષ્ટતા આપી, 'નીચો દેખાડવા નહોતો માંગતો'; એક્ટરનો જવાબ- 'શિક્ષિત છું એટલે જ ટકી શક્યો છું'

    1 week ago

    ડિરેક્ટર પ્રિયદર્શને પોતાના તે નિવેદન પર સ્પષ્ટતા કરી છે, જેમાં તેમણે રાજપાલ યાદવને ઓછો ભણેલો કહ્યો હતો. ડિરેક્ટરનું કહેવું છે કે તેના નિવેદનનો ખોટો અર્થ કાઢવામાં આવ્યો હતો, તે અભિનેતાને નીચો દેખાડવા માંગતા ન હતા. પ્રિયદર્શને ત્યારે સ્પષ્ટતા કરી, જ્યારે રાજપાલ યાદવે તેના નિવેદન પર સ્પષ્ટ કર્યું કે તે ભણેલા-ગણેલા છે. પ્રિયદર્શને તાજેતરમાં હિન્દુસ્તાન ટાઇમ્સને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે- ‘મારો તે મતલબ નહોતો. જુઓ, શિક્ષણ ફક્ત પુસ્તકોમાંથી જ નથી મળતું, પરંતુ રસ્તા પરથી પણ ઘણું શીખવા મળે છે. મારો મતલબ ફક્ત એટલો હતો કે (સ્ટ્રીટ સ્માર્ટનેસ), કારણ કે શિક્ષણનો અર્થ જાગૃતિ પણ થાય છે. હું બસ આ જ કહેવા માંગતો હતો.’ આગળ તેણે કહ્યું- ‘કદાચ તે ગામડામાંથી આવે છે અને ગામડાના લોકો ખૂબ ભોળા હોય છે, તે સમજી શકતા નથી, તમારે સાચા અને ખોટા લોકો વચ્ચે ફરક કરતા આવડવું જોઈએ. વ્યાપક અર્થમાં તે જ શિક્ષણ છે.’ વાતચીતમાં પ્રિયદર્શને એ પણ કહ્યું કે- હેતુ કોઈપણ રીતે રાજપાલને નીચો બતાવવાનો નહોતો. તેણે કહ્યું, ‘મારો એવો કોઈ મતલબ નહોતો. હું તેમને અપમાનિત કરવા માંગતો નહોતો. મેં આવું એટલા માટે કહ્યું કારણ કે મેં મારા જીવનમાં રાજપાલ જેવો આટલો ભોળો વ્યક્તિ ક્યારેય જોયો નથી, વ્યાપક અર્થમાં શિક્ષણના અભાવથી જ આ માસૂમિયત આવે છે.’ શું હતું પ્રિયદર્શનનું નિવેદન થોડા સમય પહેલા જ ચેક બાઉન્સ કેસમાં રાજપાલ યાદવને જેલ જવું પડ્યું હતું. આ જ સમયે પ્રિયદર્શને મિડ ડેને આપેલા એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું, 'હું રાજપાલ વિશે જાણું છું, તેથી હું તેમને મારી દરેક ફિલ્મમાં કાસ્ટ કરતો હતો. મેં તો તેમને કહ્યું કે તે એડ ફિલ્મો પણ કરે. આ બિચારા માણસે ઓછું ભણેલા હોવાને કારણે ભૂલ કરી. નહીં તો તે સારો માણસ છે.' રાજપાલ યાદવે જવાબમાં કહ્યું હતું- હું શિક્ષિત છું પ્રિયદર્શનનું આ નિવેદન સામે આવ્યા બાદ રાજપાલ યાદવે ઇન્ડિયન એક્સપ્રેસને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું, પ્રિયન જી (પ્રિયદર્શન) મને ઓળખતા નથી. હું ભણેલો છું. મેં 11 વર્ષની ઉંમરથી 55 વર્ષની ઉંમર સુધી કામ કર્યું. મોટા-મોટા દિગ્ગજો પણ મુશ્કેલીઓમાં ફસાઈ જાય છે. જો હું ઓછો ભણેલો હોત તો ઇન્ડસ્ટ્રીમાં 25-30 વર્ષ સુધી ટકી ન શકત.' પ્રિયદર્શને રાજપાલ યાદવની ફી વધારી ચેક બાઉન્સ કેસમાં ફસાયેલા રાજપાલ યાદવની મદદ કરવા માટે પ્રિયદર્શનએ તેમની ભૂત બંગલામાં ફી વધારી દીધી હતી, જેથી તેમને આર્થિક મદદ મળી શકે. રાજપાલ યાદવ, પ્રિયદર્શનના નિર્દેશનની 2 ફિલ્મો ભૂત બંગલા અને હૈવાનમાં જોવા મળવાના છે. આ પહેલા તેઓ પ્રિયદર્શનની ફિલ્મો ‘હંગામા’, ‘હંગામા 2’, ‘ચૂપ ચૂપકે’, ‘ભાગમ ભાગ’, ‘દે દના દન’માં જોવા મળી ચૂક્યા છે.
    Click here to Read More
    Previous Article
    જંગની જ્વાળામાં લપેટાયું સિનેમા!:સાયરનના અવાજ વચ્ચે ચાલી રહ્યું છે શૂટિંગ; યશની ‘ટોક્સિક’ પાછી ઠેલાઈ, સાઉથ-બોલિવૂડના અનેક પ્રોજેક્ટ્સ પર સંકટના વાદળો
    Next Article
    'ધુરંધર 2' સામે કોઈ પડવા નથી માગતું!:અત્યાર સુધીમાં ત્રણ ફિલ્મોએ પોતાની રિલીઝ ડેટ બદલી, બોક્સઓફિસ પર 19 માર્ચે 'ધ વન એન્ડ ઓનલી' શૉ

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment