Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હાથમાં તિરંગો હતો, ત્યારે જ પેલેટ ગન વાગી:સાહિલે કહ્યું- ભાન આવ્યું ત્યારે હોસ્પિટલમાં હતો; આંખમાં હજું 2 છરા ફસાયેલાં છે, દેખાતું નથી

    19 hours ago

    20 જુલાઈના રોજ દિલ્હીમાં CJPના સંસદ માર્ચ દરમિયાન પેલેટ ગનથી ઘાયલ થયેલા સાહિલ લોહચબની આંખોમાં આજે પણ બે છરા ફસાયેલા છે. બે વાર સર્જરી કરાવ્યા છતાં આંખોની રોશની પાછી ફરવાની આશા ઓછી છે. સાહિલનો આરોપ છે કે FIR નોંધાવવા માટે પરિવારે ઘણી વાર પોલીસનો સંપર્ક કર્યો, પરંતુ સુનાવણી થઈ નહીં. 21 ઓગસ્ટના રોજ રાહુલ ગાંધી લગભગ 6 કલાક સંસદ માર્ગ પોલીસ સ્ટેશનની બહાર ધરણા પર બેઠા, ત્યારબાદ ફરિયાદ પર FIR નોંધાઈ. 20 જુલાઈના પ્રદર્શનમાં શું થયું, પેલેટ ગનથી કેવી રીતે ઘાયલ થયા, રાહુલ ગાંધી સાથે કેવી રીતે વાત થઈ, આ બધા સવાલના જવાબ જાણો ભાસ્કર ઇન્ટરવ્યુમાં… સવાલ-1: શું જાતે FIR નોંધાવવાનો પ્રયાસ કર્યો હતો? જવાબ: 14 ઓગસ્ટના રોજ મારી માતા અને વકીલ પોલીસ સ્ટેશન ગયા હતા, પરંતુ FIR લખવામાં આવી ન હતી. પછી અમે પોસ્ટ દ્વારા પણ ફરિયાદ મોકલી અને દિલ્હી પોલીસને ઇમેઇલ પણ મોકલ્યો હતો, પરંતુ FIR થઈ નહીં. અમને FIRની કોપી પણ મળી ન હતી. સવાલ-2: કેટલી વાર પોલીસ સ્ટેશન ગયા, કયા અધિકારીને મળ્યા? જવાબ: બે થી ત્રણ વાર પોલીસ સ્ટેશન ગયા. કોઈ વરિષ્ઠ અધિકારી તો અમારી સાથે વાત કરવા તૈયાર જ નહોતા. અમે ક્રાઈમ બ્રાન્ચ પણ ગયા હતા. ત્યાં પણ અમારી સુનાવણી થઈ નહીં. કોઈ જવાબ મળી રહ્યો નહોતો. સવાલ-3: તમે રાહુલના સંપર્કમાં કેવી રીતે આવ્યા? શું રાહુલે પોતે સંપર્ક કર્યો? જવાબ: લગભગ 5 દિવસ પછી રાહુલ ગાંધીની ટીમે મારી મમ્મી સાથે વાત કરી. તેમણે હેલ્થ અપડેટ માંગ્યું હતું. અમે જણાવ્યું કે અમારી FIR લખાઈ રહી નથી. ત્યારે તેમણે પોતે જ અમને બોલાવ્યા. આ પછી 21 ઓગસ્ટની સવારે અમે તેમની પાસે પહોંચ્યા. ત્યારબાદ તેમની સાથે જ પહેલા કનોટ પ્લેસ પોલીસ સ્ટેશન ગયા. રાહુલ સાથેની મુલાકાતને હું ભાગ્યશાળી માનું છું. સવાલ-4: તમારા ઘરમાં કોણ-કોણ છે? જવાબ: પરિવારમાં અમે ત્રણ ભાઈ છીએ. પિતા દીપક દિવ્યાંગ છે. હું ભણતરની સાથે પરિવારનો ખર્ચ ચલાવવામાં પણ મદદ કરી રહ્યો હતો. હવે મુશ્કેલી થઈ રહી છે. સવાલ-5: જંતર-મંતર પર વિદ્યાર્થીઓના પ્રદર્શનમાં શા માટે ગયા? જવાબ: હું NEET પેપર લીક અને પરીક્ષાઓમાં ગડબડી વિરુદ્ધ હતો. હું પણ આ પ્રદર્શનમાં મારું યોગદાન આપવા માંગતો હતો. તેથી 20 જુલાઈએ સંસદ માર્ચમાં સામેલ થયો હતો. સવાલ-6: 20 જુલાઈએ શું થયું? જવાબ: હું CJP પ્રોટેસ્ટમાં ગયો હતો. જંતર-મંતર પર લાઠીચાર્જ શરૂ થયો. અમે ભીડ સાથે કનોટ પ્લેસ સર્કલ પર પહોંચ્યા. ત્યાં પહેલા ટીયર ગેસના શેલ છોડવામાં આવ્યા. મારા હાથમાં ભારતનો ઝંડો હતો. ત્યારે જ મારા ઉપર પેલેટ ગન ચલાવાઈ. નને કોઈ ભાન જ નહોતું. સવાલ-6: 20 માર્ચના રોજ પેલેટ ગન વાગ્યા પછી શું થયું? જવાબ: 20 જુલાઈના રોજ મારી તબિયત બગડતાં મને લેડી હાર્ડિંગ હોસ્પિટલ લઈ ગયા. લેડી હાર્ડિંગમાં 6 થી 7 કલાક રાખવામાં આવ્યો. ત્યારબાદ સફદરજંગ મોકલવામાં આવ્યો. અહીંથી મને AIIMS મોકલવામાં આવ્યો. પહેલા AIIMSના આઈ-સેન્ટર મોકલવામાં આવ્યો, ત્યાંથી પછી ટ્રોમા સેન્ટર મોકલવામાં આવ્યો. મારી આંખની બે વાર સર્જરી થઈ ચૂકી છે, પરંતુ હજુ પણ હું જોઈ શકતો નથી. ડોકટરોએ એક મહિનાનો સમય આપ્યો છે. દેખાવાની શક્યતાઓ ખૂબ ઓછી છે. મારા જમણા હાથમાં આજે પણ નસો દબાયેલી છે. મારી આંખમાં બે છરા હજુ પણ છે. મને પણ 4 થી 5 દિવસ સુધી તો ભાન જ નહોતું. માતા જ્યોતિ બોલ્યા- દીકરાના સમાચાર મળ્યા ત્યારે ગભરાઈ ગઈ હતી સવાલ: તમને દીકરાના અકસ્માત વિશે ક્યારે જાણ થઈ? જવાબ: 20 જુલાઈની સવારે લગભગ 10 વાગ્યે સાહિલ ઘરેથી નીકળ્યા હતા. પરંતુ જ્યારે 3 વાગ્યે પણ તેમણે ફોન ન ઉપાડ્યો તો તેઓ ગભરાઈ ગયા.આ પછી લેડી હાર્ડિંગ હોસ્પિટલમાંથી પરિવારને ફોન આવ્યો. એ જણાવવામાં આવ્યું કે તમારા દીકરા સાહિલને ઈજા થઈ છે. ત્યારે અમે લેડી હાર્ડિંગ પહોંચ્યા. સવાલ: પેલેટ ગન વિશે ક્યારે જાણ થઈ જવાબ: અમે ટીવીમાં જોઈ રહ્યા હતા. એટલું તો લાગ્યું કે હાથમાં ઈજા થઈ હશે. પરંતુ એ ખબર નહોતી કે પેલેટ ગન ચાલી છે. આ હોસ્પિટલમાં ગયા પછી જ અમને ખબર પડી. ભાસ્કર નોલેજમાં જાણો કે પેલેટ ગન શું છે અને ભારતમાં ભીડ નિયંત્રણના ઉપાયોને લઈને કાયદો શું કહે છે. ભારતમાં ભીડ નિયંત્રણ: ક્યારે કેટલા બળનો ઉપયોગ જરૂરી? હટવાનો આદેશ: BNSSની કલમ 148(1) હેઠળ 5 કે તેથી વધુ લોકોની ભીડથી જાહેર શાંતિ ભંગ થવાનો ખતરો હોય તો કાર્યકારી મેજિસ્ટ્રેટ કે અધિકૃત પોલીસ અધિકારી ભીડને હટવાનો આદેશ આપી શકે છે. બળ પ્રયોગ: આદેશ પછી ભીડ ન હટે તો BNSS કલમ 148(2) હેઠળ તેને હટાવવા માટે બળ પ્રયોગ કરી શકાય છે. લાઠીચાર્જ: પોલીસ સંશોધન અને વિકાસ બ્યુરો અનુસાર જેટલી ભીડ હોય તે હિસાબે જરૂરી બળ પ્રયોગ કરવો જોઈએ. ભીડ વિખેરાતા જ લાઠીચાર્જ રોકવો જોઈએ. માથા પર પ્રહાર ન કરવો જોઈએ. ટીયર ગેસ: ટીયર ગેસનો ઉપયોગ પરિસ્થિતિ અનુસાર કરી શકાય છે. હવાની દિશા અને ગતિ જેવા હવામાન સંબંધિત સંજોગો ધ્યાનમાં રાખવા જરૂરી છે. પેલેટ/રબર બુલેટ: આને એવી સ્થિતિમાં વિકલ્પ તરીકે દર્શાવવામાં આવ્યા છે, જ્યાં લાઠીચાર્જ અસરકારક ન હોય, જેમ કે ભારે પથ્થરમારો. સશસ્ત્ર દળ: જ્યારે અન્ય રીતોથી ભીડને હટાવવી શક્ય ન હોય અને જાહેર સુરક્ષા માટે જરૂરી હોય, ત્યારે કાર્યકારી મેજિસ્ટ્રેટ સશસ્ત્ર દળની મદદ લઈ શકે છે. BNSS કલમ 149માં ઓછામાં ઓછા જરૂરી બળનો ઉપયોગ કરવાની વાત છે.
    Click here to Read More
    Previous Article
    સિરાજ અને શ્રીલંકન બેટર વચ્ચે જબરું સ્લેજિંગ થયું:પ્રસિદ્ધે ફાયદો ઉઠાવતા બાઉન્સર નાખીને કામિલ મિશારાને પેવેલિયન ભેગો કર્યો; SLએ ત્રીજી વિકેટ પણ ગુમાવી
    Next Article
    મરીન કમાન્ડોનું મેગા પેટ્રોલિંગ:જામનગર દરિયાકાંઠે સઘન ચેકિંગ, માછીમારોને સતર્ક રહેવા અપીલ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment