Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચડોતર આંગણવાડી કેન્દ્ર-2માં આધુનિક નંદઘર શરૂ:રાજ્ય સરકારના સહયોગથી બાળ વિકાસને વેગ મળશે

    3 days ago

    પાલનપુર તાલુકાના ચડોતર ગામના બાલાપીર વિસ્તારમાં આવેલા આંગણવાડી કેન્દ્ર-2 ખાતે નવા “નંદઘર” નો શુભારંભ કરવામાં આવ્યો. સરપંચ પ્રિયંકાબેન લગોટીના હસ્તે તેનું ઉદ્ઘાટન થયું. આ નંદઘરનું બાંધકામ રાજ્ય સરકારના જી.એસ.પી.સી.ના સહયોગથી આધુનિક સુવિધાઓ સાથે કરાયું છે. આ કેન્દ્ર નાના બાળકોના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થશે અને આંગણવાડી કેન્દ્રને વધુ સુવિધાસભર બનાવશે. આ પ્રસંગે આઈ.સી.ડી.એસ. વિભાગના બ્લોક કોઓર્ડિનેટર કિરણભાઈએ સરકારના બાળ કલ્યાણ વિભાગની વિવિધ યોજનાઓ વિશે માહિતી આપી. કાર્યક્રમ દરમિયાન નાના બાળકો, માતાઓ અને વાલીઓની ઉપસ્થિતિમાં આનંદમય વાતાવરણ સર્જાયું હતું. તેડાગર સુનિતાબેન લગોટીએ મહેમાનોનું મોં મીઠું કરાવ્યું. આ શુભારંભ પ્રસંગે બાળ વિકાસ યોજના અધિકારી ડાહીબેન જાસકિયા, મુખ્ય સેવિકા ભારતીબેન પરમાર, કોકિલાબેન, અગ્રણી મહેશભાઈ લોહ, શ્રવણભાઈ લગોટી, પંચાયત સભ્ય શૌકતભાઈ, ગણપતભાઈ પરેચા, વિજયભાઈ ખરસાણ, શાંતિભાઈ વળાગાઠ અને લોકમિત્ર ફારૂકભાઈ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, વિસ્તારની બહેનો, આશા વર્કર બહેનો તથા ગામના તમામ 6 આંગણવાડી કેન્દ્રોની કાર્યકર અને હેલ્પર બહેનો પણ મોટી સંખ્યામાં હાજર રહી હતી.
    Click here to Read More
    Previous Article
    વાળ પકડીને 8 ફડાકા માર્યા, દિવાલ સાથે માથું અથડાવ્યું, VIDEO:અમદાવાદમાં પોલીસકર્મીને રૂમ ભાડે ન આપતા ઘાંચી ભવનના કર્મીને માર્યો, પોલીસ હોવાના કારણે સમાધાન પણ થઈ ગયું
    Next Article
    ભરૂચ જિલ્લાના વાતાવરણમાં પલટો:ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો, માર્ગો પર પાણી ફરી વળ્યાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment