Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જમ્મુ-કાશ્મીરના નૌશેરામાં એક આતંકવાદી ઠાર:સેનાને બે આતંકવાદીઓની ઘૂસણખોરીની જાણકારી મળી હતી, બીજાની શોધખોળ ચાલુ

    1 day ago

    જમ્મુ-કાશ્મીરના ઝંગર-નૌશેરા સેક્ટરમાં LoC પર ઘૂસણખોરીના પ્રયાસ દરમિયાન સેનાએ એક આતંકવાદીને ઠાર માર્યો. ભારતીય સેનાએ જણાવ્યું કે 10 માર્ચ 2026ના રોજ બપોરે લગભગ 3 વાગ્યે લાઇન ઓફ કંટ્રોલ પર ઝંગર-નૌશેરા વિસ્તારમાં બે આતંકવાદીઓની હિલચાલ જોવા મળી હતી. સેનાએ જણાવ્યું કે સૈનિકોએ ઝડપથી કાર્યવાહી કરી અને ઘૂસણખોરીના પ્રયાસને સફળતાપૂર્વક નિષ્ફળ બનાવ્યો. બીજા આતંકવાદીની શોધખોળ ચાલુ છે. સેનાના જણાવ્યા અનુસાર, જમીન અને હવાઈ સર્વેલન્સની મદદ લેવામાં આવી રહી છે. છેલ્લા 5 દિવસમાં જમ્મુ-કાશ્મીરના રાજૌરી વિસ્તારમાં સુરક્ષા દળોએ બીજી વખત ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો છે. 23 ફેબ્રુઆરી: સેનાએ જણાવ્યું હતું કે- 326 દિવસ ઓપરેશન ચલાવીને 7 આતંકીઓને માર્યા આ પહેલા 23 ફેબ્રુઆરીએ ભારતીય સેનાની વ્હાઇટ નાઇટ કોર એ X પર 7 આતંકીઓની તસવીર પોસ્ટ કરી અને લખ્યું હતું કે 326 દિવસ પછી કિશ્તવાડમાંથી આતંકના નેટવર્કનો ખાત્મો કરી દેવામાં આવ્યો છે. પોસ્ટમાં જણાવાયું હતું કે આ આતંકવાદીઓમાં જૈશનો કમાન્ડર સૈફુલ્લા પણ માર્યો ગયો છે. સૈફુલ્લા કિશ્તવાડમાં આતંકનો સાગરિત હતો. વ્હાઇટ નાઇટ કોરે જણાવ્યું કે કિશ્તવાડમાં તેમના સિવાય જમ્મુ કાશ્મીર પોલીસ અને CRPF સહિત સેનાની ઇન્ટેલિજન્સ એજન્સી પણ સામેલ હતી. 2026માં સેનાના 2 ઓપરેશન ઓપરેશન ત્રાસી-1: આ ઓપરેશન 18 જાન્યુઆરીના રોજ ચતરુ બેલ્ટના મંડરાલ-સિંહપોરા નજીક સોનાર ગામના જંગલોમાં શરૂ કરવામાં આવ્યું હતું. પહેલા એન્કાઉન્ટરમાં 8 જવાન ઘાયલ થયા હતા, જેમાંથી હવાલદાર ગજેન્દ્ર સિંહનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. આ પછી 22 અને 24 જાન્યુઆરીના રોજ અલગ-અલગ અથડામણો થઈ, જ્યારે 31 જાન્યુઆરીના રોજ ડોલગામ વિસ્તારમાં ફરીથી ગોળીબાર થયો હતો. ચતરુમાં 3 આતંકવાદીઓના ખાત્મા સાથે તે સમાપ્ત થઈ ગયું છે. ઓપરેશન ‘કિયા: વ્હાઇટ નાઇટ કોરે 4 ફેબ્રુઆરીના રોજ CIF ડેલ્ટા, જમ્મુ-કાશ્મીર પોલીસ અને CRPF સાથે બસંતગઢના જોફર ફોરેસ્ટ એરિયામાં સંયુક્ત ઓપરેશન ચલાવ્યું હતું. સુરક્ષા દળોએ આતંકવાદીઓ પર UBGLs (અંડર બેરલ ગ્રેનેડ લોન્ચર)નો ઉપયોગ કર્યો. જેનાથી ગુફાના એક ભાગને વિસ્ફોટ દ્વારા ધ્વસ્ત કરવામાં આવ્યો. આ વિસ્ફોટમાં બંને આતંકવાદીઓ માર્યા ગયા.
    Click here to Read More
    Previous Article
    ઇન્ડિગો ક્રાઇસિસના 3 મહિલા બાદ CEOનું રાજીનામું:ડિસેમ્બરમાં 3 લાખ મુસાફરો મુસીબતમાં મુકાયા, કંપનીને ₹2000 કરોડનું નુકસાન; ફાઉન્ડર રાહુલ ભાટિયા કમાન સંભાળશે
    Next Article
    'ભ્રષ્ટાચારી રાવણ' બનાવી કોંગ્રેસે દક્ષિણ ઝોન ઓફિસે વિરોધ કર્યો:મણિનગર, ઇસનપુર, ખોખરા, લાંભાવોર્ડમાં પ્રાથમિક સુવિધાના અભાવે લોકોમાં રોષ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment