Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લોકસભામાં વિપક્ષનો હોબાળો:'દેશ કો બચાના હૈ, મોદી કો હટાના હૈ'ના નારા લાગ્યા; સ્પીકર બિરલા વિરુદ્ધ પ્રસ્તાવ પર આજે ચર્ચા થવાની શક્યતા

    1 day ago

    સંસદના બજેટ સત્રના બીજા તબક્કાનો બીજો દિવસ શરૂ થઈ ગયો છે. લોકસભામાં વિપક્ષી સાંસદો 'દેશ કો બચાના હૈ, મોદી કો હટાના હૈ' વોટ ચોર ગદ્દી છોડ ના સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. તેમણે ચૂંટણી પંચ પર વોટની દલાલી કરવાનો આરોપ પણ લગાવ્યો. આજે લોકસભામાં સ્પીકર ઓમ બિરલા વિરુદ્ધ વિપક્ષના 'નો કોન્ફિડન્સ મોશન' પર ચર્ચા શક્ય છે. સૂત્રો અનુસાર, વિપક્ષ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ પણ 'નો કોન્ફિડન્સ મોશન' લાવવાની તૈયારીમાં છે. તેનો ડ્રાફ્ટ તૈયાર થઈ ગયો છે. આવતા અઠવાડિયે પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે. સત્રના પહેલા દિવસે રાજ્યસભા-લોકસભામાં વિપક્ષે અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન યુદ્ધની પરિસ્થિતિઓ અને ભારત પર તેની અસર અંગે ચર્ચાની માંગને લઈને હોબાળો કર્યો. દેશના ઉર્જા સંકટ પર ચર્ચાની માંગ કરી. કેન્દ્રીય સંસદીય મંત્રી કિરણ રિજિજુએ કહ્યું - સ્પીકર સામેના મોશન વિપક્ષના મોશન પર ચર્ચા કરવા માટે અમે તૈયાર છીએ, તેઓ ચર્ચા કરે, પરંતુ વિપક્ષ બીજું મોશન લાવ્યો છે, જેનો વિદેશ મંત્રીએ બંને ગૃહોમાં ખૂબ સારી રીતે જવાબ આપ્યો છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું - વડાપ્રધાન મોદીને બ્લેકમેઇલ કરવામાં આવી રહ્યા છે. તેમની પાસે ભારતીય જનતાના હિતો વેચવા સિવાય કોઈ વિકલ્પ નથી. મારી વાત યાદ રાખો, તેઓ સંસદમાં નહીં આવે. રાહુલ ગાંધી બોલ્યા- મારી વાત યાદ રાખો, પીએમ મોદી સંસદ નથી લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું- પશ્ચિમ એશિયામાં ચાલી રહેલું યુદ્ધ આપણી અર્થવ્યવસ્થાને ગંભીર નુકસાન પહોંચાડી રહ્યું છે, પરંતુ આપણા સમાધાનકારી વડાપ્રધાનમાં આ અંગે ચર્ચા કરવાની હિંમત નથી. શેરબજાર તુટી રહ્યું છે, LPGના ભાવ વધી રહ્યા છે અને વૈશ્વિક ક્રૂડ ઓઇલના ભાવ ઐતિહાસિક સ્તરે પહોંચી રહ્યા છે. આની સીધી અસર સામાન્ય માણસ, ઘરેલું બજેટ અને નાના તથા મધ્યમ વ્યવસાયો પર પડી રહી છે. વડાપ્રધાન મોદીને બ્લેકમેલ કરવામાં આવી રહ્યા છે. તેમની પાસે ભારતીય જનતાના હિતો વેચવા સિવાય કોઈ વિકલ્પ નથી. મારી વાત યાદ રાખો, તેઓ સંસદમાં નહીં આવે.
    Click here to Read More
    Previous Article
    Elder care was meant to reach homes. In most of India, it hasn’t
    Next Article
    બગદાણામાં બાઇક અને ટ્રેક્ટર અકસ્માતમાં બે સગીરના મોત:મહુવાના આંગણકા-નાના ખુટવડા માર્ગ પર મોડી રાત્રે ઘટના

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment