Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નાગ ચૈતન્ય ફિલ્મ 'વૃષકર્મા'ની ઇવેન્ટમાં ધડામ દઈને પડ્યો:બેસતી વખતે ખુરશીનો પાયો વળી ગયો; એક્ટર તરત જ સ્પોર્ટ વગર ઊભો થઈ ગયો

    1 week ago

    એક્ટર નાગ ચૈતન્ય તેની આગામી ફિલ્મ ‘વૃષકર્મા’ના પ્રમોશનલ ઇવેન્ટ દરમિયાન એક અકસ્માતથી માંડ-માંડ બચ્યો. નાગ ચૈતન્ય જ્યારે સ્ટેજ પર રાખેલી ખુરશી પર બેસવાનો પ્રયાસ કરી રહ્યો હતો, ત્યારે ખુરશીનો એક પાયો અચાનક વળી ગયો, જેના કારણે તે બેલેન્સ ગુમાવીને સ્ટેજ પરથી નીચે પડી ગયો. આ ઘટના પ્રેસ મીટ શરૂ થવાના બરાબર પહેલા બની હતી. ઘટનાના તરત જ બાદ ત્યાં હાજર લોકો તેમની મદદ માટે આગળ આવ્યા. જોકે, નાગ ચૈતન્ય કોઈ પણ મદદ વગર તરત જ ઊભા થઈ ગયો. આ ઘટના પર હસતો પણ જોવામાં મળ્યો. આયોજકોના મતે, ઘટનામાં તેને કોઈ ઈજા થઈ ન હતી અને થોડા સમય પછી કાર્યક્રમ ફરીથી શરૂ કરવામાં આવ્યો. ‘વૃષકર્મા’નું ટીઝર રિલીઝ ફિલ્મ ‘વૃષકર્મા’નું ટીઝર (જેને મેકર્સે 'ફર્સ્ટ ગ્લિમ્પ્સ' કહ્યું છે) 5 માર્ચે રિલીઝ કરવામાં આવ્યું છે. આ એક માયથોલોજિકલ એડવેન્ચર થ્રિલર ફિલ્મ છે, જેમાં નાગ ચૈતન્ય મુખ્ય ભૂમિકામાં છે. ટીઝરની શરૂઆત એક એવા વ્યક્તિથી થાય છે, જેના પર કોઈ દુષ્ટ શક્તિનો કબજો બતાવવામાં આવ્યો છે. તે એક એવા વ્યક્તિનું ચિત્ર બનાવે છે, જેની આંખ બહાર નીકળેલી છે. ચિત્ર પૂરું થયા પછી તેના મોંમાંથી ચામાચીડિયા જેવું જીવ નીકળે છે, જે આગળ તે જ રીતે એક વ્યક્તિની હત્યા કરતો બતાવવામાં આવ્યો છે, જેવું ચિત્રમાં દર્શાવવામાં આવ્યું હતું. વીડિયોમાં વૉઇસઓવર સંભળાય છે-“જ્યારે એક અનોખી શક્તિ જાગે છે અને દુનિયા પોતાના હેતુથી ભટકી જાય છે, ત્યારે કિસ્મત પોતાનો રસ્તો જાતે જ પસંદ કરી લે છે.” તેમાં જયરામ, મીનાક્ષી ચૌધરી અને નાગ ચૈતન્યના પાત્રોની ઝલક પણ બતાવવામાં આવી છે. મીનાક્ષી ચૌધરી અને જયરામ પણ ફિલ્મમાં દેખાશે મેકર્સ અનુસાર, મીનાક્ષી ચૌધરી ફિલ્મમાં ‘દક્ષા’નું પાત્ર ભજવી રહી છે, જ્યારે જયરામ ‘પ્રોફેસર રંગનાથ’ની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મનું નિર્દેશન કાર્તિક દાંડુ કરી રહ્યા છે. તેને BVSN પ્રસાદ અને સુકુમાર અનુક્રમે શ્રી વેંકટેશ્વર સિને ચિત્રા અને સુકુમાર રાઇટિંગ્સના બેનર હેઠળ પ્રોડ્યુસ કરી રહ્યા છે. ફિલ્મની વાર્તા સુકુમારે લખી છે. સિનેમેટોગ્રાફી નીલ ડી કુન્હાએ કરી છે, સંગીત અજનીશ લોકનાથે આપ્યું છે. એડિટિંગ નેશનલ એવોર્ડ વિજેતા એડિટર નવીન નૂલી કરી રહ્યા છે, જ્યારે આર્ટ ડિરેક્શન શ્રી નાગેન્દ્ર તંગાલાએ કર્યું છે.
    Click here to Read More
    Previous Article
    31 માર્ચ સુધી PPF-સુકન્યામાં ન્યૂનતમ રકમ જમા કરો:આવું ન કરવા પર એકાઉન્ટ બંધ થઈ શકે છે, જાણો શું છે નિયમો
    Next Article
    છૂટાછેડાના સમાચાર વચ્ચે, થલાપતિ વિજય ત્રિશા સાથે લગ્નમાં પહોંચ્યો:પત્ની સંગીતાએ ડીવોર્સની અરજીમાં એકસ્ટ્રા મેરિટલ અફેરનો આરોપ લગાવ્યો હતો

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment