Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડતાલમાં શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ:હાથીની અંબાડી પર નીકળી ભવ્ય સંદેશ યાત્રા

    1 day ago

    ભગવાન શ્રી સ્વામિનારાયણ રચિત શિક્ષાપત્રી ગ્રંથના 200 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે વડતાલમાં દ્વિશતાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે હાથીની અંબાડી પર શિક્ષાપત્રીને પધરાવીને એક ભવ્ય 'શિક્ષાપત્રી સંદેશ યાત્રા' કાઢવામાં આવી હતી. આ મહોત્સવ અંતર્ગત, સ્વામિનારાયણ સંપ્રદાયના વડતાલ ગાદીના આચાર્ય પ.પૂ. ધ.ધુ. 1008 આચાર્ય અજેન્દ્રપ્રસાદજી મહારાજના નિવાસસ્થાને સવારે શિક્ષાપત્રીની મહાપૂજા સંપન્ન થઈ હતી. બપોર પછી વડતાલ ગામમાં આયોજિત 'શિક્ષાપત્રી સંદેશ યાત્રા'માં હાથીની અંબાડી પર શિક્ષાપત્રીને બિરાજમાન કરાઈ હતી. શિક્ષાપત્રીના ઉપદેશો જનમાનસ સુધી પહોંચાડવાના હેતુથી 20 થીમ આધારિત ટેબલો તૈયાર કરાયા હતા, જેમાં બાળકોએ અભિનય દ્વારા જીવંત રજૂઆત કરી હતી. મયૂરરથમાં ભાવિ આચાર્ય શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજ પણ બિરાજમાન રહ્યા હતા. ડીજે ધૂન, કીર્તન અને જયઘોષથી સમગ્ર વડતાલ ગામ ભક્તિમય બની ગયું હતું. આ શોભાયાત્રા વડતાલ રઘુવીરવાડી ખાતે સત્સંગસભામાં પરિવર્તિત થઈ હતી, જ્યાં સંતો દ્વારા શિક્ષાપત્રી આધારિત પ્રેરણાદાયક પ્રવચનો કરવામાં આવ્યા હતા.આચાર્ય અજેન્દ્રપ્રસાદજી મહારાજે પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું કે, “શિક્ષાપત્રી મુજબ જીવન જીવનાર વ્યક્તિ ક્યારેય દુઃખી થયો નથી અને થશે પણ નહીં. શિક્ષાપત્રી ભગવાન સ્વામિનારાયણ દ્વારા આપેલ અમૂલ્ય કોલ છે, જે સનાતન ધર્મની મર્યાદામાં જીવન જીવવાનો માર્ગ દર્શાવે છે.” ભાવિ આચાર્ય નૃગેન્દ્રપ્રસાદજી મહારાજે કહ્યું હતું કે, “ભગવાનની આજ્ઞાઓ ક્યારેય જૂની થતી નથી. શિક્ષાપત્રીમાં દર્શાવેલી સ્વચ્છતા, સંયમ અને સુરક્ષાની આજ્ઞાઓ આજના યુગમાં પણ એટલી જ પ્રાસંગિક છે.” આ ઐતિહાસિક પ્રસંગે વિવિધ ગામોમાંથી પધારેલા 10,000થી વધુ હરિભક્તોએ એકસાથે શિક્ષાપત્રીની સમૂહ આરતી કરી હતી. આ મહોત્સવે ભાવિકોમાં નિયમ, ધર્મ અને સદાચાર પ્રત્યે નવી ચેતના અને દ્રઢતાનો સંચાર કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    હિંમતનગરના ગોકુલેશ્વર મંદિરે 11 કુંડી મહારુદ્ર યાગ સંપન્ન:મંદિરના 25 વર્ષ પૂર્ણ થતા રજત જયંતી મહોત્સવ ઉજવાયો
    Next Article
    ચોરખાનું જોઈ LCB ગોથે ચડી, એક બારનો દારૂ નીકળ્યો, VIDEO:મહેસાણાના ભાંડુ હાઈ-વે પરથી અર્ટિગા કાર સાથે બેની ધરપકડ, એક આરોપી ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment