Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગરના ગોકુલેશ્વર મંદિરે 11 કુંડી મહારુદ્ર યાગ સંપન્ન:મંદિરના 25 વર્ષ પૂર્ણ થતા રજત જયંતી મહોત્સવ ઉજવાયો

    1 day ago

    હિંમતનગરના ગોકુલનગર સ્થિત ગોકુલેશ્વર મહાદેવ મંદિરમાં ત્રિદિવસીય ૧૧ કુંડી મહારુદ્ર યાગની પૂર્ણાહુતિ થઈ છે. મંદિરના ૨૫ વર્ષ પૂર્ણ થતા રજત જયંતી મહોત્સવના ભાગરૂપે આ યાગનું આયોજન કરાયું હતું. પૂર્ણાહુતિના દિવસે સવારે 8:30 કલાકે પ્રાતઃપૂજન, બપોરે 2:30 કલાકે ઉત્તર પૂજનનો પ્રારંભ થયો હતો. સાંજે 4 કલાકે યજ્ઞની હોમ સાથે મહારુદ્ર યાગ સંપન્ન થયો હતો. આ પ્રસંગે મુખ્ય યજમાન સહિત 21 યજમાનો દ્વારા મંત્રોચ્ચાર સાથે પૂજનવિધિ કરવામાં આવી હતી. સાંજે મોટી સંખ્યામાં ભક્તોની ઉપસ્થિતિમાં વિવિધ હોમ બાદ શ્રીફળ સાથે યાગ પૂર્ણ કરાયો. યાગની પૂર્ણાહુતિ બાદ યજમાનોએ પરિવાર સાથે સમૂહ આરતી કરી હતી. ત્યારબાદ મહાપ્રસાદનું વિતરણ શરૂ થયું હતું. આ સમગ્ર આયોજનથી મંદિર પરિસરમાં ભક્તિમય વાતાવરણ છવાયું હતું.
    Click here to Read More
    Previous Article
    વેરાવળમાં 9,400 મતદારોના નામ રદ કરવા ફોર્મ ભરાયાના આક્ષેપ:ધારાસભ્ય વિમલ ચુડાસમાએ તંત્ર સામે મોરચો માંડ્યો
    Next Article
    વડતાલમાં શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ:હાથીની અંબાડી પર નીકળી ભવ્ય સંદેશ યાત્રા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment