Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોલીસની આચાર સંહિતા:11 ચેકપોસ્ટ પર બંદોબસ્ત,25% હથિયાર જમા લેવાયાં

    12 hours ago

    પાલિકાની ચૂંટણીને પગલે પોલીસ તંત્ર સજ્જ બન્યું છે. ચૂંટણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય અને કાયદો-વ્યવસ્થા જળવાય તે માટે પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે બેઠક યોજી સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. કમિશનરે આદેશ આપ્યા છે કે, ચૂંટણીમાં ખલેલ પહોંચાડનારાં તત્ત્વો સામે કડક કાર્યવાહી થશે. જ્યારે ગુનાહિત ભૂતકાળ ધરાવતા શખ્સોની અટકાયત કરાશે. રાજ્ય પોલીસ વિભાગમાં થયેલી બદલી બાદ હાજર થયેલા નવા 26 પીઆઇ સહિતના કર્મી સાથે કમિશનરે સંવાદ કર્યો હતો. જેમાં આચારસંહિતાનું પાલન કેવી રીતે કરાવવું અને મતદાન મથકો પર સુરક્ષા વ્યવસ્થા કેવી રાખવી તે અંગે માર્ગદર્શન આપ્યું હતું. સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ વધારવા કહ્યું હતું. ચૂંટણી સુરક્ષાના મુખ્ય પાસાઓ શસ્ત્ર જપ્તી : અત્યાર સુધીમાં 25% થી વધુ લાઇસન્સવાળાં હથિયારો પોલીસ દ્વારા જમા લેવાયાં. ચેક પોસ્ટ: શહેરનાં વ્યૂહાત્મક સ્થળો પર 11 નવી ચેક પોસ્ટ્સ 24 કલાક કાર્યરત. વિશેષ ડ્રાઇવ: દારૂની હેરાફેરી અને ‘ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ’ કરનારાઓ સામે કડક ઝુંબેશ. પેટ્રોલિંગ: સંવેદનશીલ વિસ્તારોમાં વધારાની પોલીસ કુમક અને ફૂટ પેટ્રોલિંગમાં વધારો. ચૂંટણી પ્રક્રિયામાં ખલેલ સાંખી નહીં લેવાય આચાર સંહિતાના અમલ માટે દરેક પીઆઇને સૂચના અપાઈ છે. સભા-રેલીના બંદોબસ્ત અંગે ચર્ચા થઈ હતી. ચૂંટણી પ્રક્રિયામાં કોઇની પણ ખલેલ સાંખી નહીં લેવાય. > નરસિમ્હા કોમાર, પોલીસ કમિશનર
    Click here to Read More
    Previous Article
    જાહેરનામું:મતદાન મથકે મતદારોને લાવવા-લઇ જવા મફત વાહનની સગવડ નહીં આપી શકાય
    Next Article
    Deepika Padukone Hits Back At Trolls Over Dhurandhar 2 'Silent Treatment': 'Watched It Way Before Any Of You Did'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment