Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાણી માટે મહિલાઓનો પાણીને લઈ કાળો કકડાટ:​કેશોદમાં 9 દિવસે આવતા પાણીથી ગૃહિણીઓ પરેશાન; સ્થાનિક મહિલાઓએ કર્યું "જે પ્રમાણે વેરા વસૂલવામાં આવે છે તે પ્રમાણે કોઈ કામગીરી થતી નથી"

    2 days ago

    ​કેશોદ શહેરમાં ઉનાળાની આકરી ગરમી વચ્ચે પાણીની ભયાનક તંગી સર્જાતા મહિલાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં સાતથી નવ દિવસે પાણી વિતરણ કરવામાં આવતું હોવાથી ગૃહિણીઓનું બજેટ અને દિનચર્યા ખોરવાઈ ગઈ છે. આ મામલે અનેક વખત નગરપાલિકામાં રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય આવતા સ્થાનિકોમાં તંત્ર સામે ફિટકારની લાગણી વરસી રહી છે. પીવાના પાણી માટે વલખા મારતી મહિલાઓએ હવે ચીમકી ઉચ્ચારી છે કે જો વહેલી તકે ઉકેલ નહીં આવે તો આંદોલન છેડવામાં આવશે. ​રાધે શ્યામ નગરમાં રહેતા સ્થાનિક રહેવાસી દેવલ જોશીએ નગરપાલિકાની કામગીરી પર સવાલો ઉઠાવતા જણાવ્યું હતું કે, અમારી સોસાયટીનો મુખ્ય પ્રશ્ન રોડ અને પાણીની સુવિધાનો છે અને આ સમસ્યાથી અમે લાંબા સમયથી હેરાન થઈ રહ્યા છીએ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે રોડના કામ માટે અમે અગાઉ ત્રણ વખત નગરપાલિકામાં રજૂઆત કરવા ગયા હતા, જેમાં સોસાયટીની તમામ મહિલાઓ અને નાના બાળકો પણ સાથે હતા. અધિકારીઓને બધી જાણ હોવા છતાં દર વખતે 'મંજૂર થઈ જશે' તેવા વાયદાઓ જ આપવામાં આવે છે. છેલ્લા દોઢ વર્ષથી આ રોડ મંજૂર થઈ ગયો હોવાની માહિતી મળી છે, છતાં કામ કેમ શરૂ કરવામાં આવતું નથી તે એક મોટો પ્રશ્ન છે. પાણી અંગે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે જીવનની મૂળભૂત જરૂરિયાત હોવા છતાં અમારે ત્યાં સાત દિવસે પાણી આવે છે, જ્યારે ખરેખર તો અન્ય વિસ્તારોની જેમ એકાંતરે પાણી મળવું જોઈએ. અમે નિયમિત વેરો ભરીએ છીએ તો સુવિધાઓ કેમ મળતી નથી તેવો પ્રશ્ન પણ તેમણે કર્યો હતો. ​શહેરના માધવધાર વિસ્તારની પરિસ્થિતિ તો તેનાથી પણ વધુ ગંભીર છે. આ વિસ્તારમાં રહેતા જ્યોત્સનાબેન કળથિયાએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, માધવધાર વિસ્તારમાં અત્યારે પાણીની મુખ્ય સમસ્યા છે અને અહીં પાણી આવતું જ નથી. તેમણે સ્થિતિનું વર્ણન કરતા જણાવ્યું હતું કે પાણીની શું પરિસ્થિતિ છે તેની તો વાત જ રહેવા દો, કારણ કે અમારે ત્યાં ક્યારેક આઠ દિવસે, નવ દિવસે તો ક્યારેક દસ દિવસે પાણી આવે છે. આટલા લાંબા વિરામ બાદ પાણી આવતું હોવાથી ઘર ચલાવવું અશક્ય બની ગયું છે. તેમણે જણાવ્યું હતું કે જ્યારે પાણી ન આવે ત્યારે અમારે પડોશીઓના ઘરે ડોલ ભરીને પાણી લેવા દોડવું પડે છે. વર્ષો પહેલા સાબલી ડેમનું પાણી ખૂબ જ ફોર્સથી આવતું હતું, પરંતુ હવે બિલકુલ પાણી મળતું નથી. અમારી માંગ છે કે તંત્ર જાગે અને ઓછામાં ઓછું દર ત્રણ દિવસે પાણી પૂરું પાડવાની વ્યવસ્થા કરે. ​સ્થાનિકોના આ આક્રોશ અને પાણીની અછત અંગે કેશોદ નગરપાલિકાના ચીફ ઓફિસર મુકેશ વાઘેલાએ પક્ષ રાખતા જણાવ્યું હતું કે, કેશોદના અમુક વિસ્તારોમાં પાણીની સપ્લાયમાં 6 થી 9 દિવસ જેટલો વિલંબ થયો હોવાની વાત સાચી છે. તેમણે ટેકનિકલ કારણો આપતા જણાવ્યું હતું કે ગુજરાત વોટર સપ્લાય એન્ડ સીવેજ બોર્ડ (GWSSB) દ્વારા જે પાણી સપ્લાય કરવામાં આવે છે, ત્યાંથી જ જથ્થો ઓછો મળવાને કારણે નગરપાલિકાની વિતરણ વ્યવસ્થા ખોરવાઈ છે. શહેરની સામાન્ય જરૂરિયાત 10 MLD થી વધુ છે, પરંતુ હાલ 8 MLD જેટલું જ પાણી મળી રહ્યું છે. વોટરવર્કસમાં ટેકનિકલ ખામી કે અન્ય ફોલ્ટને કારણે પાણીના જથ્થામાં ક્યારેક 2 થી 3 MLD જેટલો ઘટાડો થાય છે, જેની સીધી અસર વિતરણ પર પડે છે. ​લોકો દ્વારા કરવામાં આવતી સાબલી ડેમની માંગ અંગે મુકેશ વાઘેલાએ જણાવ્યું હતું કે વર્ષો પહેલા ત્યાંથી પાણી લેવામાં આવતું હતું, પરંતુ હાલમાં ત્યાં એટલો જથ્થો ઉપલબ્ધ નથી કે જે આખા શહેરની જરૂરિયાત પૂરી કરી શકે. તેમણે ભવિષ્યના આયોજન અંગે જણાવ્યું હતું કે સરકારમાં ઓઝત નદી પર ઈન્ટેક વેલ બનાવીને ત્રાંગલસા પીર પાસેના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ સુધી પાણી પહોંચાડવાની યોજનાની દરખાસ્ત હાલ પ્રોપોઝલના તબક્કે છે. આમ, તંત્ર ભવિષ્યના આયોજનની વાત કરી રહ્યું છે ત્યારે બીજી તરફ કેશોદની જનતા હાલની કાળઝાળ ગરમીમાં એક-એક ટીપા પાણી માટે સંઘર્ષ કરી રહી છે.
    Click here to Read More
    Previous Article
    વેરાવળમાં હાઇબ્રીડ ગાંજા સાથે એક ઝડપાયો:SOG પોલીસે 12.770 ગ્રામ ગાંજો, મોબાઈલ, વજનકાંટો જપ્ત કર્યા, પ્ર. પાટણ પ્રોહિબિશન ગુનાનો ફરાર આરોપી ઝડપાયો
    Next Article
    BJP Government In Bengal To Take Oath On May 9, Tagore's Birth Anniversary

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment