Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગરમાં શ્રીયાદે માતાની ભવ્ય શોભાયાત્રા:પોલોગ્રાઉન્ડ ખાતે માઘ સુદ બીજે પ્રજાપતિ સમાજ જોડાયો

    1 day ago

    હિંમતનગરમાં માઘ સુદ બીજના પવિત્ર દિવસે શ્રીયાદે માતાની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રા પોલોગ્રાઉન્ડ સ્થિત મંદિરથી શરૂ થઈ શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી. જેમાં સમસ્ત પ્રજાપતિ સમાજના મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. શોભાયાત્રા પહેલા પોલોગ્રાઉન્ડ ખાતે નિત્ય પૂજા, આરતી અને ભજન-કીર્તન જેવા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમો બાદ મંગળવારે શોભાયાત્રા નીકળી હતી. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે વડીલો અને આગેવાનોનું માર્ગદર્શન તેમજ યુવાનોનો ઉત્સાહભેર સહયોગ રહ્યો હતો. શોભાયાત્રા પૂર્ણ થયા બાદ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    વાડજ પોલીસે FIRમાં બાતમીદારના નામ-નંબર જાહેર કરી દીધા!:માહિતી આપનારે કહ્યું- મારા જીવને જોખમ થાય તો જવાબદાર કોણ રહેશે?
    Next Article
    લક્‍ઝરી કાર સેલ્‍ફ ડ્રાઈવિંગમા ભાડે મેળવી છેતરપિંડી આચરતી ગેંગ ઝડપાઇ:7500 ભાડું આપી વિશ્વાસ કેળવતા, આણંદનો શખ્સ GPS કાઢી રાજ્ય બહાર વહેંચી દેતો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment