Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કલેકટરના હસ્તે બે અનાથ બાળકોને મળ્યો મુંબઈના બેંકર્સનો સાથ:બેંકની નોકરી અને હવે માતા-પિતાની જવાબદારી, મિશન વાત્સલ્યએ અનાથ બાળકોનું નસીબ પલટ્યું

    2 days ago

    સુરતના કતારગામ સ્થિત દત્તક સંસ્થામાં આશ્રય લઈ રહેલા બે માસૂમ બાળકોના નસીબ આડેનું પાંદડું આખરે ફટાયું છે. મહારાષ્ટ્રમાં રહેતા અને બેંકિંગ ક્ષેત્રમાં ઉચ્ચ હોદ્દા પર ફરજ બજાવતા બે દંપતીઓ સુરતના આ અનાથ બાળકોના 'પારકા' માંથી 'પોતાના' માતા-પિતા બન્યા છે. સુરત જિલ્લા કલેકટર ડો. સૌરભ પારઘી ના હસ્તે જ્યારે પ્રી-એડોપ્શન ઓર્ડર આપવામાં આવ્યો, ત્યારે બેંક કર્મચારીઓના ચહેરા પર લાખોના વ્યવહાર કરતા પણ વધુ મોટી ખુશી જોવા મળી હતી. 2 બાળકોને મુંબઈમાં વસતાં બે દંપતિએ વિધિવત રીતે દત્તક લીધા સંતાન સુખની ઝંખના રાખતા સચિન સુરેશ શાહ (બેંક કર્મચારી) અને તેમના પત્ની અશ્વિની શાહે સુરત આવીને એક બાળકને વિધિવત રીતે દત્તક લીધું હતું. તેવી જ રીતે, અભિષેક મોહન પાટીલ અને લીના પાટીલ, જેઓ બંને બેંકમાં કર્મચારી તરીકે કાર્યરત છે, તેઓ પણ સુરતના એક માસૂમ બાળકને દત્તક લઈને હવે મુંબઈ પરત ફર્યા છે. મુંબઈના આ હાઈ-પ્રોફાઈલ બેંકિંગ પરિવારોમાં હવે બાળકની કિલકારીઓ ગુંજશે, જે સુરત માટે ગર્વની વાત છે. જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એલ.બી.પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર સંચાલિત કતારગામ સ્થિત વિશિષ્ટ દત્તક સંસ્થામાં આશ્રય મેળવી રહેલા 2 બાળકોને મુંબઈમાં વસતાં બે દંપતિઓને દત્તકપૂર્વના ઉછેર માટે સોંપવામાં આવ્યાં છે. 'નવા વર્ષના પ્રારંભે જ બે નિઃસંતાન પરિવારોમાં 'લક્ષ્મી' અને 'કુળદીપક'નું આગમન' જિલ્લા બાળ સુરક્ષા અધિકારી વિજયભાઈ પરમારે જણાવ્યું હતું કે, નવા વર્ષના પ્રારંભે જ બે નિઃસંતાન પરિવારોમાં 'લક્ષ્મી' અને 'કુળદીપક'નું આગમન થયું છે. એડોપ્શન રેગ્યુલેશન-2022 ના નિયમો મુજબ તમામ કાયદેસરની તપાસ પૂર્ણ કર્યા બાદ, રવિવારના પવિત્ર દિવસે આ બાળકોને નવા માતા-પિતાની ગોદમાં સોંપવામાં આવ્યા હતા. કલેકટરે બાળકોના ઉજ્જવળ ભવિષ્ય અને અભ્યાસ માટે બેંક કર્મચારી દંપતીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. મિશન વાત્સલ્યએ અનાથ બાળકોનું નસીબ પલટ્યું જોકે, તંત્રએ આ પ્રસંગે એક મહત્વની ચેતવણી પણ આપી છે. બાળક દત્તક લેવાની ઈચ્છા રાખતા દંપતીઓએ માત્ર કેન્દ્ર સરકારની ‘મિશન વાત્સલ્ય’ (CARA) વેબસાઇટ પર જ નોંધણી કરાવવી જોઈએ. કોઈપણ વ્યક્તિ પાસેથી સીધું કે બિનકાયદેસર રીતે બાળક દત્તક લેવું એ ગંભીર અપરાધ છે. સુરતની વિશિષ્ટ દત્તક સંસ્થા 0થી 6 વર્ષના બાળકો માટે આ કાયદેસરના સેતુ તરીકે કામ કરી રહી છે, જેથી કોઈ માસૂમ બાળક ફરી ક્યારેય અનાથ ન રહે.
    Click here to Read More
    Previous Article
    રાજરાણી તળાવ પાસે MGVCLની કચેરીમાં ભાઈ-બહેને હંગામો મચાવ્યો:વીજ કનેક્શન કાપી મીટર લઈ જનાર કર્મચારીઓને ચાકુ બતાવી મારી નાખવાની ધમકી આપી
    Next Article
    પાલનપુર નગરપાલિકાએ ગંદકી કરનારાઓ સામે કાર્યવાહી કરી:છેલ્લા 20 દિવસમાં ₹66,100નો દંડ વસૂલ્યો, છેલ્લા વીસ દિવસથી સઘન ઝુંબેશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment