Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વક્તાપુરમાં સાંસદ શોભનાબેન બારૈયાએ ગ્રામજનો સાથે સંવાદ કર્યો:જી-રામ-જી યોજનાના અમલીકરણ અને લાભો પર ચર્ચા કરી

    1 day ago

    હિંમતનગર તાલુકાના વક્તાપુર ગામે જી-રામ-જી યોજના અંતર્ગત 'ચોપાલ ચર્ચા'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સાબરકાંઠા-અરવલ્લી લોકસભાના સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાએ ગામના પ્રતિનિધિઓ અને લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. તેમણે યોજનાના અમલીકરણ, લાભોની પહોંચ અને આગામી કામગીરી અંગે વિગતવાર ચર્ચા કરી હતી. જી-રામ-જી યોજનાના મુખ્ય લાભોમાં ગ્રામ્ય પરિવારોને ૧૨૫ દિવસની રોજગારીની ગેરંટી, ગામડાના વિકાસ કાર્યોને ગતિ, પરિવારોની આવકમાં વધારો અને સ્થિરતા, સ્થાનિક કુશળતા અને કામદારીનો ઉપયોગ, સ્થળાંતરમાં ઘટાડો અને સામાજિક સુરક્ષાનો આધાર સ્તંભ પૂરો પાડવાનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખ હિતેશભાઈ પટેલ, તાલુકા સંગઠન પ્રમુખ હિતેન્દ્રભાઈ પટેલ, જિલ્લા સદસ્ય પાર્થભાઈ પરમાર, રાજુભાઈ પંચાલ, જયેશભાઇ બારોટ, સરપંચ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    મવડી વિસ્તારમાં બિઝનેસ શરૂ કરવાની સુવર્ણ તક:રાજકોટ મહાપાલિકા દ્વારા શોપિંગ સેન્ટરની દુકાનોની હરરાજી કરાશે, રૂ.15.80 લાખથી અપસેટ કિંમત શરૂ થશે
    Next Article
    ગુજસીટોકના ગુનામાં કુખ્યાત કીટલી ગેંગનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો:15 મહિનાથી ફરાર અઝહર કીટલીને જુહાપુરાથી દબોચ્યો, એક ગાડી, રોકડ સહિત 25 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment