Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આંબાવાડીના ખેડૂતોને તકેદારીના પગલા ભરવા અનુરોધ:માવઠાની આગાહીને પગલે ધરતીપુત્રોને આગોતરી તકેદારી રાખવી: બાગાયત ખાતું

    22 hours ago

    હવામાન ખાતાની આગાહી અનુસાર ગુજરાતના અમુક જિલ્લાઓમાં તા. 21 થી તા.25 દરમ્યાન વાદળછાયું વાતાવરણ રહેવાની તેમજ ક્યાંક ક્યાંક કમોસમી વરસાદની શક્યતા જણાઈ છે. જેના કારણે આંબા પાકમાં મોર આવવાના તબક્કે ખેડૂતોને નુકસાન થવાની સંભાવના છે. આંબાના મોરનો સમય અત્યંત સંવેદનશીલ હોય છે અને આ દરમિયાન વધુ ભેજ અને વરસાદ થવાથી ફળ બંધારણ ઘટી શકે છે તેમજ ફૂગજન્ય રોગોનું પ્રમાણ ઘટી શકે છે. આ સંદર્ભે બાગાયત ખાતા દ્વારા ખેડૂત ભાઈઓને ખાસ તકેદારી રાખવા અપીલ કરવામાં આવે છે. કમોસમી વરસાદ દરમિયાન મોર લાગેલ ફળ તથા નાની બંધાયેલ ફળની ખરવાની શક્યતા રહે છે. સાથે જ ભેજ વધવાથી પાકમાં મિલ્ડ્યુ (ભૂકી છારો) તથા અન્ય રોગોની શક્યતા વધી શકે છે, જેના કારણે કેરી ઉત્પાદન ઉપર નકારાત્મક અસર પડી શકે છે, વરસાદ શરૂ થાય તે પહેલાં અથવા વરસાદ બંધ થયા બાદ 24 કલાકની અંદર યોગ્ય ફૂગનાશક દવાઓનો છંટકાવ કરવો. આ માટે કાર્બેડેઝિમ (૧ ગ્રામ પ્રતિ લીટર) અથવા હેક્સાકોનાઝોલ (૧ ગ્રામ પ્રતિ લીટર) અથવા વેટેબ સ્લફર (૨ ગ્રામ પ્રતિ લીટર) દવાઓમાંથી કોઈ એક દવાનો છંટકાવ કરવાથી રોગોનું નિયંત્રણ થઈ શકે છે. દવા સાથે સ્ટિકર ભેળવવાથી અસર વધુ સારી મળે છે. ઉપરાંત, ખેતરમાં પાણીનો યોગ્ય નિકાલ કરવો.
    Click here to Read More
    Previous Article
    સ્પેસ ઓન વ્હીલ્સ પ્રોજેક્ટ:અમરેલીમાં ઇસરોના સ્પેસ ઓન વ્હીલ્સ પ્રોજેક્ટથી છાત્રોને અંતરિક્ષ વિજ્ઞાનની જાણકારી અપાઈ
    Next Article
    વિદ્યાર્થીઓને ન્યૂઝીલેન્ડમાં અઠવાડિયામાં 25 કલાક કામની મંજૂરી:ભારત સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ બાદ IT, હેલ્થકેર જેવાં 118 સર્વિસ સેક્ટરમાં તક; 2034 સુધી વર્ષે 1.19 લાખને વિઝા આપવાનો ટાર્ગેટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment