Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પરિપત્ર બહાર પાડવામાં આવ્યો:જિલ્લાની તમામ ગ્રામ પંચાયત કચેરીઓ શનિ અને રવિ રજામાં પણ ચાલુ રહેશે

    2 days ago

    ભાવનગર જિલ્લાની ઘણી ગ્રામ પંચાયતોમાં એગ્રીસ્ટેક અને ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરી પૂર્ણ કરી નથી. જેથી ભાવનગર જિલ્લા પંચાયતના નાયબ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા આજે અચાનક પરિપત્ર બહાર પાડી જિલ્લા પંચાયત કચેરીના નિયંત્રણ હેઠળની તમામ તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા કર્મચારી, અધિકારી અને તલાટી મંત્રીઓએ આ કામગીરી પૂર્ણ કરવા તારીખ 10 અને 11 બંને રજાના દિવસોએ ગ્રામ પંચાયત કચેરીઓ અને તાલુકા પંચાયત કચેરીઓ ચાલુ રાખવા તેમજ સતત 24 કલાક તેમની ફરજમાં અને હેડક્વાર્ટરમાં હાજર રહેવા પરિપત્ર બહાર પાડ્યો છે. જેમાં તમામ તલાટી કમ મંત્રીઓ ગ્રામ પંચાયત છોડીને ન જાય અને 24 કલાક ઉપલબ્ધ રહે તેવી વ્યવસ્થા કરવા તાલુકા વિકાસ અધિકારીઓને હુકમ કર્યો છે. તેમજ તાલુકા વિકાસ અધિકારી અને તાલુકા પંચાયતના તમામ કર્મચારીએ પૂર્વ મંજૂરી વિના મુખ્ય મથક નહીં છોડવા પણ જણાવ્યું છે. કડકાઈ ભર્યા રજાના દિવસમાં 24 કલાક હાજર રહેવા પરિપત્ર બહાર પાડતા કર્મચારીઓ અને તલાટી મંત્રીઓ પણ ચોકી ઉઠ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    નબળી કામગીરી:વલભીપુર તાલુકામાં રોડ અને નાળાઓના કામમાં લોલમલોલ
    Next Article
    ST વિભાગનું મહત્વપૂર્ણ પગલું:કંડકટર મુસાફરોને મોબાઈલ ફોનમાં ઊંચા અવાજે વાત ન કરવા સમજાવશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment