Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એનટીએની જાહેરાત:નીટની અરજીમાં આધારકાર્ડ પ્રમાણે માહિતી નહીં હોય તો ફોર્મ રદ કરાશે

    3 days ago

    એનટીએએ નીટની પરીક્ષા માટે સૂચના જાહેર કરી છે. નીટની પરીક્ષામાં આધારકાર્ડ પ્રમાણેની માહિતી નહિ હોય તો ફોર્મ રીજેકટ થઇ જશે. અરજી પ્રક્રિયા દરમિયાન કોઈપણ ભૂલો અથવા સમસ્યાઓ ટાળવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. નીટ યુજી 2026ની પ્રવેશ પરીક્ષામાં બેસતા વિદ્યાર્થીઓ માટે આ સૂચના જાહેર કરાઇ છે. એનટીએએ ઉમેદવારોને નોંધણી શરૂ થાય તે પહેલાં દસ્તાવેજો અપડેટ અને ચકાસણી કરવાની સલાહ આપી છે. અરજીમાં ભૂલો અથવા સમસ્યાઓ ટાળવા આ પગલું લેવાયું છે. એનટીએએ જણાવ્યું છે કે વિદ્યાર્થીઓએ ખાતરી કરવી જોઈએ કે તેમનું આધાર કાર્ડ સંપૂર્ણપણે સાચું અને અદ્યતન છે. ઉમેદવારનું નામ, જન્મ તારીખ, લિંગ, ફોટો, સરનામું અને આધાર કાર્ડ પરની બાયોમેટ્રિક માહિતી તેઓ તેમના અરજી ફોર્મમાં ભરે છે તે બરાબર હોવી જોઈએ. કોઈપણ માહિતીમાં કોઈપણ વિસંગતતા હશે તો તેવા સંજોગોમાં ફોર્મ રદ થઇ શકે છે. નેશનલ ટેસ્ટીંગ એજન્સીએ દિવ્યાંગ ઉમેદવારોને તેમના યુડીઆઇડી કાર્ડ માન્ય અને અદ્યતન રાખવા સૂચના આપી છે. ઇડબલ્યુએસ, એસસી, એસસી અને ઓબીસી જેવી અનામત શ્રેણીઓના વિદ્યાર્થીઓ પાસે પણ વર્તમાન નિયમો અનુસાર અપડેટ અને માન્ય દસ્તાવેજો હોવા જોઈએ. નીટ યુજી 2026 માટે નોંધણી પ્રક્રિયા ટૂંક સમયમાં સત્તાવાર વેબસાઇટ પર શરૂ થવાની ધારણા છે. આ પ્રક્રિયા સામાન્ય રીતે ફેબ્રુઆરીમાં શરૂ થાય છે. ઉમેદવારોને સલાહ અપાઇ છે કે તેઓ નિયમિતપણે એનટીએ ની સત્તાવાર વેબસાઇટ્સ nta.ac.in અને neet.nta.nic.in છે. ઉમેદવારોએ નીટ યુજી 2026 સંબંધિત સાચી અને નવી માહિતી માટે એનટીએની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવી જોઇએ. 17 મેએ નીટની પરીક્ષા યોજાશે.દર વર્ષે 20 લાખથી વધારે વિદ્યાર્થીઓ એમબીબીએસ, બીડીએસ અને અન્ય મેડિકલ કોર્સની બેઠકો મેળવવા માટે નીટની પરીક્ષા આપે છે. 2025માં 22 લાખથી વધુ વિદ્યાર્થીએ નીટ આપી હતી. ભાસ્કર એક્સપર્ટ ફેબ્રુઆરીના મધ્ય’ભાગમાં નીટ યુજીનાં રજિસ્ટ્રેશનની શરૂઆત થવાની શક્યતા અગાઉથી સૂચના આપવા પાછળનો હેતુ વિદ્યાર્થીઓને રજીસ્ટ્રેશન વખતે સમસ્યા ના થાય તેવો છે એનટીએ દ્વારા યોજવામાં આવતી મેડિકલ, પેરામેડિકલ જેવા અભ્યાસક્રમમો માટે નીટ યુજીની પરીક્ષા દર વર્ષે મે મહિનાનાં રવિવારે લેવાતી હોય છે. આધારકાર્ડ, કેટેગરી સર્ટિફીકેટની વિગતો અપડેટ કરવા માટે અગાઉથી જ સૂચના આપવા પાછળનો હેતુ વિદ્યાર્થીઓને રજીસ્ટ્રેશન કરતી વખતે અચાનક સમસ્યા ઉભી ન થાય તેવો છે. ફેબ્રુઆરીના મધ્યભાગમાં નીટ યુજીનાં રજીસ્ટ્રેશનની શરૂઆત થઇ શકે છે. તે માર્ચ મહિનાના ત્રીજા-ચોથા અઠવાડિયા સુધી આવેદન પ્રક્રિયા કરી શકાતી હોય છે. -જીતેશ જોશી, વિષય નિષ્ણાંત
    Click here to Read More
    Previous Article
    વિદ્યાર્થીઓને વાંચવા માટે પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ:સીબીએસઇના વિદ્યાર્થીઓ હવે 23 ભાષાનાં પુસ્તક નેશનલ ઈ-લાઈબ્રેરી થકી વાંચી શકશે
    Next Article
    ટ્રાફિક જામ સર્જાયો:ટ્રાફિક પોલીસની રેલીમાં અકોટા બ્રિજ બંધ, જેતલપુર બ્રિજ ઉપર ટ્રાફિક જામ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment