Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોતામાં લાયસન્સ વિનાના 23 પશુઓ પકડાયા:ગરમી વધતા પાણીજન્ય રોગચાળો વધ્યો, પશુ ભગાડી જતાં શખસ સામે ફરિયાદ નોંધાઈ

    9 hours ago

    અમદાવાદમાં ફરી એકવાર રોડ ઉપર રખડતા ઢોર જોવા મળી રહ્યા છે, પશુ માલિકો દ્વારા પોતાના ઢોર રોડ ઉપર રખડતા મૂકવામાં આવી રહ્યા છે. ત્યારે ગોતા વોર્ડમાં જનતાનગર ફાટક અને ગોપાલનગર કલ્પના રો-હાઉસ પાસે સીએનસીડી વિભાગની ટીમો દ્વારા ડ્રાઇવ કરીને જનતાનગર ટ્રાયએન્ગલ અને ચાંદ્લોડીયા રેલ્વે લાઇન પાસેથી 23 જેટલા રજિસ્ટ્રેશન તેમજ લાઇસન્સ વગરના પશુઓ પકડવામાં આવ્યા છે. કિરણભાઇ નામના વ્યક્તિએ બે જેટલા પશુઓ ભગાડી જવાથી ઉત્તર પશ્ચિમ ઝોન ટીમલીડર ધ્રુવલ પટેલે તેમના વિરુદ્ધ પોલિસ ફરીયાદ કરી છે. લાયસન્સ વિના પશુ રાખતા હશે તો તેમની સામે કાર્યવાહી કરાશે સીએનસીડી વિભાગ દ્વારા જાહેર માર્ગો પર ગંદકી/ન્યુસન્સ કરતા પશુપાલકો પશુઓ જાહેર રસ્તા ઉપર રખડતા મુકતા હોય છે. જેમની પાસે પુરતી માત્રામાં જગ્યા પશુંઓ રાખવા માટે ન હોવા છતા રાખતા હોય છે અને પછી રસ્તા ઉપર છુટા મુકી દેતા હોય છે જેના કારણે જાહેર રસ્તા ઉપર અકસ્માત થતા હોય છે ગંદકી/ન્યુસન્સ કરતા હોય છે. તેમજ કેટલાક પશુઓ મારકણા હોય છે જેના કારણે આમ જનતા ઉપર અચાનક પશુઓ હુમલા કરતા જોવા મળે છે. જેથી હવે સીએનસીડી વિભાગની ટીમ દ્વારા ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે જે વ્યક્તિ રોડ ઉપર રખડતા પશુ મૂકતા હશે અને લાયસન્સ વિના પશુ રાખતા હશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. પાણીજન્ય રોગચાળાના 1,700 કેસ નોંધાયા શહેરમાં ગરમીના કારણે પાણીજન્ય રોગચાળો વધી રહ્યો છે. ગરમીમાં બહારનું ખાવાના કારણે પણ રોગચાળો વધી રહ્યો છે. ચાલુ વર્ષે એપ્રિલમાં ઝાડા-ઉલ્ટીના 642, કમળાના 55 અને ટાઈફોઈડના 155 સહિત પાણીજન્ય રોગચાળાના કુલ 852 કેસ નોંધાયા છે અને ચાલુ વર્ષે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં પાણીજન્ય રોગચાળાના 1,700 કેસ નોંધાયા છે. વધતું તાપમાન અને પાણીની ગુણવત્તા સંબંધિત સમસ્યાઓથી રોગચાળો AMCના આરોગ્ય અધિકારી ડો. ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે, એપ્રિલ 2026 દરમિયાન વધતું તાપમાન અને પાણીની ગુણવત્તા સંબંધિત સમસ્યાઓ રોગચાળો ફેલાવાનું મુખ્ય કારણ માનવામાં આવે છે. જેમાં પાણીજન્ય રોગોમાં ઝાડા-ઉલ્ટીના 642, કમળાના 55 અને ટાઈફોઈડના 155 કેસ નોંધાયા છે. આ વચ્ચે સૌથી વધુ ચિંતા પાણીના 21 સેમ્પલ અનફીટ રહ્યા છે. તેમજ 13 સ્થાનો પર ચાલુ વર્ષ દરમિયાન ક્લોરિન નીલ હોવાની વિગતો મળી છે. રેસિડ્યુઅલ ક્લોરીન ટેસ્ટમાં 40 કિસ્સામાં ક્લોરીનનું પ્રમાણ ‘શૂન્ય’ નોંધાયું AMC દ્વારા એપ્રિલ 2026 દરમિયાન કુલ 7,382 પાણીના નમૂનાઓમાંથી 21 અનફિટ જાહેર થયા. તેમજ વર્ષ દરમિયાન એટલે કે 1 જાન્યુઆરીથી 3 મે 2026 દરમિયાન કુલ 29,150 નમૂનાઓમાંથી 37 અનફિટ મળી આવ્યા છે. ચાલુ વર્ષે રેસિડ્યુઅલ ક્લોરીન ટેસ્ટમાં 40 કિસ્સામાં ક્લોરીનનું પ્રમાણ ‘શૂન્ય’ નોંધાયું છે, જે પાણીની શુદ્ધતા અંગે પ્રશ્નો ઉભા કરે છે. ગત વર્ષે એપ્રિલમાં 6330 સેમ્પલ લેવાયા હતા અને તેમાંથી 39 અનફીટ રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો:58 ટકાથી વધારી 60 ટકા કરાયું, 1 જાન્યુઆરી, 2026થી અસરથી ચૂકવણી કરાશે
    Next Article
    આણંદપુર ડેમમાં ન્હાવા પડેલો યુવક ડૂબ્યો:તંત્રની ચેતવણી છતાં ડેમ પર ગયેલા ડુંગરપુરના પરિવાર સાથે સર્જાઈ દુર્ઘટના, ફાયર વિભાગે શોધખોળ શરૂ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment