Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિદ્યાર્થીઓને વાંચવા માટે પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ:સીબીએસઇના વિદ્યાર્થીઓ હવે 23 ભાષાનાં પુસ્તક નેશનલ ઈ-લાઈબ્રેરી થકી વાંચી શકશે

    3 days ago

    સીબીએસઇ સંલગ્ન શાળાઓને નેશનલ ઈ-લાઈબ્રેરી સાથે જોડવા સુચના અપાઇ છે. વિદ્યાર્થીઓ 23 ભાષાના પુસ્તકો નેશનલ ઈ-લાઈબ્રેરીના માધ્યમથી વાંચી શકશે. આ લાઇબ્રેરીનો વિદ્યાર્થીઓ વધુને વધુ ઉપયોગ કરે તે માટેની તાકીદ કરાઇ છે. વિદ્યાર્થીઓમાં વાંચન પ્રત્યે રસ વધારવા અને ડિજિટલ શિક્ષણને મજબૂત બનાવવા સીબીએસઇ દ્વારા પહેલ હાથ ધરાઇ છે. તમામ શાળાઓને નેશનલ ઈ-લાઈબ્રેરી સાથે જોડવા સુચના અપાઇ છે. કેન્દ્ર સરકારના શિક્ષણ વિભાગ અને નેશનલ બુક ટ્રસ્ટ ઓફ ઈન્ડિયા દ્વારા ઈ-લાઈબ્રેરી બનાવાઇ છે. ઈ-પુસ્તકાલયમાં હાલમાં 280થી વધુ પ્રકાશકોના 6 હજારથી વધુ બિન-શૈક્ષણિક પુસ્તકો નિ:શુલ્ક ઉપલબ્ધ છે. આ પુસ્તકો હિન્દી, ગુજરાતી, અંગ્રેજી સહિત 23 ભાષાઓમાં ઉપલબ્ધ હોવાથી વિદ્યાર્થીઓ આ પુસ્તકો પોતાની ભાષામાં વાંચી શકશે. શિક્ષકોને પણ ઈ-લાઈબ્રેરી એપ ડાઉનલોડ કરવા સૂચના શાળાઓ આ માધ્યમથી વિદ્યાર્થીઓને વાંચવા માટે પ્રોત્સાહિત કરી શકશે. આ પહેલનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં વાંચન પ્રત્યે રુચિ કેળવવાનો છે. તેમજ વિદ્યાર્થીઓની સાથે શિક્ષકો પણ ઈ-લાઈબ્રેરી સાથે જોડાય અને એપ્લિકેશન ડાઉનલોડ કરે તે માટે શાળાઓને સુચના આપવામાં આવી છે. એનઇપી-2020 મુજબ શૈક્ષણિક માળખા ચાર કેટેગરીમાં તૈયાર કરાઇ એનઇપી-2020 મુજબ શૈક્ષણિક માળખા અનુસાર ઇ-લાઇબ્રેરી 4 કેટેગરીમાં તૈયાર કરાઇ છે. જેમાં 3થી 8 વર્ષ, 8થી 11 વર્ષ, 11થી 14 વર્ષ અને 14 વર્ષથી વધુ એમ 4 કેટેગરી છે. આ ઉપરાંત નેશનલ ઈ-લાઈબ્રેરીની એપ્લિકેશન વેબ, એન્ડ્રોઈડ અને આઇઓએસ એમ ત્રણેય પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે. તેમજ આર્ટ-કલ્ચર, ટ્રાવેલ અને એક્સ્પ્લોરેશન, ફીકશન, કોમિક, પિક્ચર બુક સહિત 19 પ્રકારની પુસ્તકોનો ઈ-લાઈબ્રેરીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:'મોદીજી, અમિત શાહને કંટ્રોલમાં રાખો', દીદી તાડુક્યાં, ટ્રમ્પ 500% ટેરિફના ઝટકાના મૂડમાં, નર્મદાનાં મંદિરમાંથી 40થી વધુ વાઘનાં ચામડાં મળ્યાં
    Next Article
    એનટીએની જાહેરાત:નીટની અરજીમાં આધારકાર્ડ પ્રમાણે માહિતી નહીં હોય તો ફોર્મ રદ કરાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment