Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કુવાડવા બ્રિજ, હિરાસર ફ્લાયઓવરનું કામ ડિસેમ્બરમાં પૂર્ણ થશે:જસદણ-સુરત રૂટની બસ ઓટકોટ સુધી દોડવાનું શરૂ, જિલ્લાના 23 માર્ગો પર પેચવર્ક કરાયું

    12 hours ago

    રાજકોટ જિલ્લાનો કુવાડવા બ્રિજ અને હિરાસર ફ્લાય ઓવરનું કામ ડિસેમ્બર 2026 સુધીમાં પૂર્ણ થશે તેવું આજે 20 જૂનના કલેક્ટર ડો. ઓમ પ્રકાશની અધ્યક્ષતામાં મળેલી જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠકમાં જાહેર કરાયું હતું. આ બેઠકમાં લોકપ્રતિનિધિઓએ માર્ગો, આરોગ્ય સેવાઓ, ફ્લાયઓવર અને ટ્રાફિક સહિતના પ્રશ્નો રજૂ કર્યા હતા. જેમાં કુવાડવા બ્રિજનું 50 ટકા કામ પૂર્ણ થયું હોવાનું અને ડિસેમ્બર 2026 સુધીમાં કામ પૂર્ણ કરવાની યોજના હોવાનું જણાવવામાં આવ્યુ હતુ. જ્યારે જિલ્લામાં 23 માર્ગોનું પેચવર્ક પૂર્ણ થયું છે, જ્યારે બાકીના 6 માર્ગોનું કામ આગામી 10 દિવસમાં પૂર્ણ થશે. આ ઉપરાંત સિવિલમાં નવો પોસ્ટમોર્ટમ રૂમ બનાવવા એજન્સીની નિમણૂક કરી દેવામાં આવી હોવાનું સિવિલના તબીબી અધિક્ષક તરફથી જણાવાયું હતું. રાજકોટ-જેતપુર હાઈવે પર જ્યાં જરૂર જણાય ત્યાં સર્વિસ રોડની કામગીરી કરવા સૂચના આપવામાં આવી હતી. પદ્મકુંવરબા હોસ્પિટલમાં સઘન સ્વચ્છતા કરવામાં આવી છે અને મચ્છરોના ત્રાસ માટે નિયમિત ફોગિંગ કરવામાં આવે છે. જસદણ-સુરત રૂટની ST બસ આટકોટ સુધી દોડવાનું શરૂ સાંસદ રામ મોકરીયા તરફથી PGVCLની પ્રિ-મોન્સુન કામગીરી તેમજ અયોધ્યા સૂચિત સોસાયટીનો પ્રશ્ન રજૂ થયો હતો. જેમાં શહેરમાં તમામ ફિડરોમાં પ્રી મોન્સુન કામગીરી પૂર્ણ થઈ ગઈ હોવાનું જણાવાયું હતું. જ્યારે અયોધ્યા સહિતની સૂચિત સોસાયટીના વિવિધ પ્રશ્નો હલ કરવા સમિતિની રચના કરીને આગળ કાર્યવાહી કરવા કલેકટરે સૂચના આપી હતી. આ ઉપરાંત સાંસદ પરસોતમ રૂપાલા અને મંત્રી કુંવરજી બાવળીયા તરફથી આવેલા વિવિધ પ્રશ્નોને ચર્ચામાં લઈને, તેના ઉકેલ માટે યોગ્ય કામગીરી કરવા સૂચના આપવામાં આવી હતી. મંત્રી તરફથી જસદણ-સુરત રૂટની એસ.ટી. બસને આટકોટ સુધી લંબાવવાની આવેલી રજૂઆત અંગે જણાવાયું હતું કે, આ બસ સેવા 15મી જૂનથી શરૂ કરી દેવામાં આવી છે. માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડમાં 4000 લોકો યોગ કરશે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે 21 જૂને રાજકોટમાં વિવિધ સ્થળોએ યોગ કાર્યક્રમો યોજાશે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સવારે 6 વાગ્યે માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે અને મહિલાઓ માટે સવારે 8 વાગ્યે લોકમાન્ય તિલક સ્નાનાગાર ખાતે વિશેષ યોગ સત્રનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રેસકોર્સ ફૂટબોલ ગ્રાઉન્ડમાં 4 હજારથી વધુ નાગરિકો સાથે યોગાભ્યાસ યોજાશે. ભાગ લેનારાઓને QR કોડ દ્વારા ડિજિટલ સર્ટિફિકેટ પણ આપવામાં આવશે. 155304 પર કોલ કરો અને 43 વિભાગની સેવાઓનો લાભ મેળવો રાજકોટ મહાનગરપાલિકાએ નાગરિકોની ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા વધુ સરળ બનાવી છે. હવે શહેરવાસીઓ માત્ર શોર્ટ કોડ નંબર 155304 પર કોલ કરીને 43 વિભાગોની સેવાઓ સંબંધિત ફરિયાદ નોંધાવી શકશે. ઉપરાંત www.rmc.gov.in, RMC Citizen App અને WhatsApp Chat-Bot મારફતે પણ ઓનલાઈન ફરિયાદ કરી શકાશે. ચોમાસા દરમિયાન ડ્રેનેજ અને પાણી ભરાવાની સમસ્યાઓ માટે ફ્લડ કંટ્રોલ રૂમ અને ફાયર બ્રિગેડના ખાસ સંપર્ક નંબર પણ જાહેર કરાયા છે. શેરી ફેરિયાઓ માટે 29,30 જૂને PM સ્વનિધિ લોન કેમ્પ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા PM SVANidhi યોજના હેઠળ શેરી ફેરિયાઓને સિક્યોરિટી વિના લોન મેળવવામાં સહાય માટે 29 અને 30 જૂને લોક કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખાતે યોજાનારા કેમ્પમાં નવી અરજીઓ તેમજ પેન્ડિંગ અરજીઓનો નિકાલ કરવામાં આવશે. યોજનામાં પ્રથમ તબક્કે ₹15 હજાર, બીજા તબક્કે ₹25 હજાર અને ત્રીજા તબક્કે ₹50 હજાર સુધીની વર્કિંગ કેપિટલ લોન ઉપલબ્ધ છે. 1 માસમાં 7.6 લાખની નશાકારક ટેબ્લેટ ઝડપાઈ રાજકોટ જિલ્લામાં છેલ્લા એક માસમાં રૂ.54.16 લાખનો 108 કિલો ગાંજાનો જથ્થો, 7.6 લાખની નશાકારક ટેબ્લેટ ઝડપાઈ છે. આ માહિતી રાજકોટ ક્લેક્ટર ડો. ઓમ પ્રકાશના અધ્યક્ષસ્થાને યોજાયેલી નાર્કો કો-ઓર્ડીનેશન સેન્ટરની બેઠકમાં જાહેર કરવામાં આવી હતી. ભારત સરકારના ‘ડ્રગ્સ ફ્રી ઇન્ડિયા’ કેમ્પેઇનનું અસરકારક અમલ થાય તે હેતુથી ડ્રગ્સ, નશીલી દવાઓ તેમજ શાળા આસપાસ તંબાકુનું વેચાણ કરનારા વિરુદ્ધ સઘન કામગીરી કરવા કલેકટરે સૂચના આપી હતી. વધુમાં તેમણે યુવાનોમાં નાર્કોટિક્સ ડ્રગ્સ અંગે જાગૃતિ કેળવવા પર ખાસ ભાર મૂકી શાળા કોલેજ શરુ થતા જાગૃતિ અભિયાન સક્રિય રીતે શરુ કરવા, વ્યસનીઓ વ્યસન મુક્તિ કેન્દ્રમાં આવવા પ્રેરાય, બાળ સુધાર ગૃહમાં આવતા બાળકોનું ડ્રગ્સ વિરોધી કાઉન્સેલિંગ કરવા સહીત સંબંધિત વિભાગને કામગીરી કરવા જણાવ્યું હતું. રાજકોટ ગ્રામ્ય પોલીસ વિભાગ દ્વારા એન્ટી નાર્કોટિક્સ ડ્રગ્સ ઝુંબેશ અન્વયે એક માસમાં કુલ રૂ.54.16 લાખની કિંમતનો 108 કિલો ગાંજો ઝડપી પાડ્યો હોવાનું તેમજ ગોંડલ તાલુકા પોલીસ દ્વારા રૂ.7.56 લાખની કિંમતની નશાકારક 225 ટેબ્લેટ્સ ઝડપી એન.ડી.પી.એસ. એક્ટ અન્વયે કામગીરી કરવામાં આવી હોવાનું પોલીસ અધિકારીએ માહિતી આપતા જણાવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    કલેક્ટર કચેરીમાં નાયબ મુખ્યમંત્રીની મહત્વની બેઠક:હળપતિ આવાસ યોજનાના લાભાર્થીઓને હવે ધક્કા નહીં ખાવા પડે, વહીવટી તંત્રને પ્રોપર્ટી કાર્ડ, વારસાઈ પ્રશ્નો સત્વરે ઉકેલવા તાકીદ
    Next Article
    How a marginal farming couple gave up Canada dream and built a thriving fancy bird business

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment