Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    PM મોદીનો સિક્કિમના ગંગટોકમાં રોડ શો:આવતીકાલે ₹4000 કરોડના પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે, રાજ્યના 50મા સ્થાપના દિવસ સમારોહમાં ભાગ લેશે

    13 hours ago

    PM મોદી સિક્કિમની રાજધાની ગંગટોક પહોંચી ગયા છે. તેઓ સોમવારે બપોરે 3:00 વાગ્યે ગંગટોક પહોંચ્યા, જે બાદ લિબિંગ હેલિપેડથી ગવર્નર હાઉસ (લોક ભવન) સુધી તેમનો રોડ શો કર્યો. તેઓ બે દિવસીય સિક્કિમના પ્રવાસે છે. આવતીકાલે તેઓ રાજ્યના 50મા સ્થાપના દિવસ સમારોહના સમાપન કાર્યક્રમમાં ભાગ લેશે અને ₹4000 કરોડથી વધુના પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે. 16 મે 2025ના રોજ સિક્કિમને રાજ્ય બન્યાને 50 વર્ષ પૂરા થયા હતા. ત્યારે પીએમ વર્ચ્યુઅલી 50મા સ્થાપના દિવસ સમારોહ સાથે જોડાયા હતા. મંગળવારે એક વર્ષથી ચાલી રહેલા સમારોહનું સમાપન થશે. પીએમના રોડ શોની 4 તસવીરો… 4 હજાર કરોડની પરિયોજનાઓનો શિલાન્યાસ પીએમ તેમના બે દિવસીય પ્રવાસે શિક્ષણ, આરોગ્ય, કનેક્ટિવિટી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પર્યટન, પર્યાવરણ અને કૃષિ સંબંધિત લગભગ ₹4 હજાર કરોડની પરિયોજનાઓનો શિલાન્યાસ કરશે. તેમાં નામચીમાં 100 બેડની હોસ્પિટલ, દેઓરાલીમાં 30 બેડની હોસ્પિટલ, તીસ્તા નદી પર બે ડબલ-લેન સ્ટીલ પુલ અને ગંગટોકમાં સિવિલ સર્વિસ ઓફિસર્સ ઇન્સ્ટિટ્યૂટનો સમાવેશ થાય છે. 16 મે 1975 ના રોજ સિક્કિમ ભારતનો ભાગ બન્યું આ પછી 14 એપ્રિલ 1975ના રોજ સિક્કિમમાં એક રેફરન્ડમ કરાવવામાં આવ્યું, જેમાં સિક્કિમના લોકોએ ભારતમાં સામેલ થવા કે ન થવા માટે મતદાન કર્યું. 97.5% એટલે કે 59,637 લોકોએ ભારતમાં સામેલ થવાના પક્ષમાં મત આપ્યા જ્યારે માત્ર 1,496 લોકોએ તેનો વિરોધ કર્યો. 26 એપ્રિલે સિક્કિમને ભારતનું 22મું રાજ્ય બનાવવા માટે સંસદમાં 36મો બંધારણીય સુધારો બિલ પસાર કરવામાં આવ્યું. ---------------------------------------------------------- આ સમાચાર પણ વાંચો… સિક્કિમની રાણી ભારત પાસેથી દાર્જિલિંગ લેવા માગતા હતા:ઈન્દિરાએ કહ્યું- મારા પિતાથી ભૂલ થઈ; સિક્કિમના વિલીનીકરણની કહાની, આજે સ્થાપના દિવસે મોદી જશે PM નરેન્દ્ર મોદી આજે સિક્કિમની રાજધાની ગંગટોક પહોંચશે. રાજ્યની સ્થાપનાના 51 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. 1947માં ભારતની આઝાદીના 28 વર્ષ પછી પણ સિક્કિમ ભારતનું પૂર્ણ રાજ્ય નહોતું. 1970ના દાયકામાં સિક્કિમની રાણીએ ભારત પાસેથી દાર્જિલિંગ લેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ઈન્દિરા ગાંધી તેના જોખમો સમજી ગયા હતા. તેમણે RAW ચીફને પૂછ્યું- 'કંઈ થઈ શકે છે?' અને ત્યારબાદ 26 એપ્રિલ 1975ના રોજ સંસદમાં સિક્કિમને ભારતનું 22મું રાજ્ય બનાવવાનું બિલ પસાર થયું. વાંચો સંપૂર્ણ સમાચાર…
    Click here to Read More
    Previous Article
    Ayodhya-Mumbai (LTT) Amrit Bharat train to commence inaugural run on April 28: check stoppages, timings
    Next Article
    ગઈકાલે સુરત મનપાની ચૂંટણીમાં ડુંભાલમા પોલીસ-કોંગ્રેસ આમને સામને:કોંગ્રેસ ઉમેદવારના પિતાને પોલીસ સ્ટેશને લઈ જવાયા, સવા કલાક સુધી બેસાડી રાખ્યાનો સાયકલવાલાનો આક્ષેપ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment