Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાંસદ સુપ્રિયા સુલેની દીકરીના રિસેપ્શનમાં પહોંચ્યા મોદી-શાહ:સોનિયા-રાહુલ અને પ્રિયંકા પણ હાજર રહ્યા; PM થોડા કલાકો પહેલા NCP સાંસદોને પણ મળ્યા હતા

    1 day ago

    પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સહિત સત્તા પક્ષ અને વિપક્ષના અનેક નેતાઓ સોમવારે NCP (શરદ જૂથ)ના સાંસદ સુપ્રિયા સુલેની પુત્રી રેવતી સુલેના લગ્નના રિસેપ્શનમાં પહોંચ્યા. આ દરમિયાન શાહ અને મોદી NCP (શરદ જૂથ)ના પ્રમુખ શરદ પવાર સાથે બેઠેલા જોવા મળ્યા. કાર્યક્રમમાં સોનિયા, રાહુલ, પ્રિયંકા ગાંધી અને સપા પ્રમુખ અખિલેશ યાદવ પણ હાજર હતા. વડાપ્રધાને આના થોડા કલાકો પહેલા જ શરદ પવારની પાર્ટીના 8 સાંસદો સાથે મુલાકાત પણ કરી હતી. મોદી અને પવારની સાથે બેઠેલી તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ પહેલા, 22 જુલાઈએ શરદ પવાર અને સુપ્રિયા સુલેએ દિલ્હીમાં વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી. રિસેપ્શનની 4 તસવીરો… NCP (SP) સાંસદોએ PMને આવેદનપત્ર સુપરત કર્યું હતું સોમવારે જ શરદ પવારની પાર્ટીના લોકસભાના તમામ 8 સાંસદોએ સુપ્રિયા સાથે વડાપ્રધાનને મહારાષ્ટ્ર સંબંધિત મુદ્દાઓ પર લેખિત આવેદનપત્ર સુપરત કર્યું હતું. NCP (SP) સાંસદ અમોલ કોલ્હેએ જણાવ્યું હતું કે પ્રતિનિધિમંડળે પુણે-નાસિક સેમી હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટ અને કૃષિ લોન માફી સંબંધિત ચિંતાઓ વડાપ્રધાન સમક્ષ રજૂ કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, ડુંગળીના ભાવ અને ચંદ્રભાગા નદીમાં પ્રદૂષણ સંબંધિત મુદ્દાઓ પણ બેઠકમાં ઉઠાવવામાં આવ્યા હતા. સીમાંકનને લઈને અટકળો વચ્ચે થઈ મુલાકાત આ મુલાકાત કેન્દ્રના પ્રસ્તાવિત સીમાંકન પર NCP (SP) ના સંભવિત વલણને લઈને ચાલી રહેલી રાજકીય અટકળો વચ્ચે થઈ હતી. અગાઉ સૂત્રોએ સંકેત આપ્યો હતો કે પવારની પાર્ટી કેટલીક શરતો સાથે પ્રસ્તાવને સમર્થન આપી શકે છે. આવું થશે તો પાર્ટી INDIA બ્લોકના કેટલાક પક્ષોથી અલગ વલણ અપનાવી શકે છે. જોકે, સુપ્રિયા સુલેએ કહ્યું છે કે અંતિમ કાયદો જોયા પછી જ પાર્ટી પોતાનું વલણ નક્કી કરશે. થોડા દિવસો પહેલા શરદ પવારના NDAમાં જોડાવાની અટકળો આવી હતી જૂનમાં શરદ પવારની પાર્ટી NCP(SP)ના NDAમાં સામેલ થવા અથવા કોંગ્રેસમાં વિલય થવાની અટકળો સામે આવી હતી. જોકે, પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શશિકાંત શિંદેએ આ તમામ ચર્ચાઓને અફવા ગણાવી છે. આ અટકળોને તે સમયે વધુ વેગ મળ્યો, જ્યારે શરદ પવારે મહારાષ્ટ્ર-કર્ણાટક સીમા વિવાદ પર 8 જુલાઈએ મુંબઈમાં વિધાનભવનમાં મીટિંગ કરી હતી. આ પછી પવારે ડેપ્યુટી CM શિંદેના રૂમમાં પોતાની પાર્ટીના ધારાસભ્યો સાથે મુલાકાત કરી. કોંગ્રેસથી અલગ થઈને બનાવી હતી NCP રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ની સ્થાપના 10 જૂન 1999ના રોજ શરદ પવાર, પી.એ. સંગમા અને તારિક અનવરે કરી હતી. ત્રણેય નેતાઓએ સોનિયા ગાંધીના વિદેશી મૂળનો મુદ્દો ઉઠાવીને પાર્ટી નેતૃત્વ પર સવાલ ઉભા કર્યા હતા. કોંગ્રેસે તેમને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા. આ પછી ત્રણેયે NCPની રચના કરી.
    Click here to Read More
    Previous Article
    સંસદમાં NDA-કોંગ્રેસ સાંસદોનું પ્રદર્શન, સામ-સામે આવ્યા:BJP સાંસદે પૂછ્યું- રાહુલ ઝારખંડ કેમ ન ગયા, પ્રિયંકા બોલ્યા- તેઓ વિદ્યાર્થીઓને મળી ચૂક્યા છે
    Next Article
    અમદાવાદમાં વહેલી સવારથી વરસાદ, બે કલાકમાં 1 ઈંચ:નીચાણવાળા વિસ્તોરામાં પાણી ભરાયા, વિઝિબિલિટી ઘટતા વાહનચાલકો પરેશાન

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment