Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાયને 'રાષ્ટ્રમાતા' જાહેર કરવા PMને લોહીથી પત્ર લખ્યો:સુરતના વેપારીઓએ સીરીંજથી લોહી કાઢી અક્ષરો કંડાર્યા, ગૌમાતાને મળે સન્માનના નારા લગાવ્યા

    2 days ago

    ગૌમાતાને સન્માન અપાવવા માટે સુરતના ગૌભક્તોએ અનોખો અને આક્રમક માર્ગ અપનાવ્યો છે. ટેક્સટાઇલ માર્કેટ સાથે સંકળાયેલા 10 વેપારીઓએ પોતાના લોહીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી ગાયને 'રાષ્ટ્રમાતા' જાહેર કરવાની માંગ કરી છે. ટેક્સટાઈલ માર્કેટ સાથે સંકળાયેલા 10 અગ્રણી વેપારીઓએ ગૌમાતા પ્રત્યેની પોતાની અતૂટ આસ્થા પ્રગટ કરી છે. આ વેપારીઓએ સીરીંજ દ્વારા પોતાનું લોહી કાઢીને મોટા કાર્ડ પેપર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. પત્રમાં ગાયને 'રાષ્ટ્રમાતા' જાહેર કરવા અને ભારતની પવિત્ર ભૂમિને ગૌહત્યાના કલંકથી મુક્ત કરવાની હૃદયસ્પર્શી અપીલ કરવામાં આવી છે. ગૌ સંવર્ધન મંત્રાલયની માગણી વેપારીઓએ માત્ર રક્તથી પત્ર જ નથી લખ્યો, પરંતુ કેન્દ્ર સરકાર સમક્ષ એક મહત્વની વહીવટી માંગ પણ મૂકી છે. પત્રમાં સ્પષ્ટ જણાવ્યું છે કે ગૌવંશના રક્ષણ અને જાળવણી માટે કેન્દ્રમાં એક અલગ 'ગૌ સંવર્ધન મંત્રાલય'ની સ્થાપના કરવામાં આવે. વેપારીઓનું માનવું છે કે જ્યારે દેશ હિન્દુ રાષ્ટ્ર બનવાની દિશામાં આગળ વધી રહ્યો હોય, ત્યારે ગૌમાતાને રાષ્ટ્રમાતાનું યોગ્ય સન્માન મળવું અનિવાર્ય છે. 5 લાખ સહીઓનું જનસમર્થન ગૌમાતાના આ અભિયાનમાં માત્ર વેપારીઓ જ નહીં, પણ લાખો સુરતીઓ જોડાયા છે. આ આંદોલન હેઠળ અત્યાર સુધીમાં અંદાજે 5 લાખ લોકોની સહીઓ મેળવવામાં આવી છે. આ સહીઓ સાથેનું આવેદનપત્ર ગુરુવારે સત્તાવાર રીતે જિલ્લા કલેક્ટરને સોંપવામાં આવશે. વેપારીઓનો દાવો છે કે આ પત્રો અને સહીઓ દિલ્હી સુધી ગૌભક્તોનો અવાજ પહોંચાડવાનું કામ કરશે. બળદગાડાં અને બુલડોઝર સાથે મહારેલી આજે અઠવાગેટ સ્થિત વનિતા વિશ્રામ ગ્રાઉન્ડથી કલેક્ટર કચેરી સુધી એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલીમાં ગૌભક્તિના પ્રતીક સમાન 8થી 10 બળદગાડાં જોડાશે. આ સાથે રેલીમાં બુલડોઝર પણ રાખવામાં આવશે, જે ગૌહત્યા કરનારા તત્વો સામે કડક કાર્યવાહીના સંકેત તરીકે રજૂ કરવામાં આવશે. સુરતથી દેશવ્યાપી સંદેશ સુરતના વેપારીઓનું આ 'ગૌ સન્માન આહ્વાન અભિયાન' હવે સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યું છે. વેપારીઓએ સ્પષ્ટ કર્યું છે કે ગૌમાતાનું સન્માન એ કોઈ રાજકીય મુદ્દો નથી પણ રાષ્ટ્રની અસ્મિતાનો વિષય છે. રક્તથી લખાયેલા આ આવેદનપત્ર દ્વારા કેન્દ્ર સરકારનું ધ્યાન ખેંચવા માંગે છે જેથી ગૌવંશને કાયદાકીય રીતે સર્વોચ્ચ દરજ્જો પ્રાપ્ત થાય. ગૌમાતા રાષ્ટ્રની ધરોહર બને:લલિત શર્મા વેપારી લલિત શર્માએ જણાવ્યું હતું કે, અમારી સૌની એક જ માંગ, ગૌમાતાને મળે સન્માન. ગૌમાતાને યોગ્ય સન્માન મળે, ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવામાં આવે, ગૌમાતા રાષ્ટ્રની ધરોહર બને અને ભારતની ધરતી ગૌહત્યાના કલંકથી સંપૂર્ણપણે મુક્ત થાય. આ આહ્વાન સાથે ગૌ સન્માન આહ્વાન અભિયાન સુરતની ધરતી પર થઈ રહ્યું છે. અમે સૌ વડાપ્રધાનના નામે લોહીથી પત્ર લખી રહ્યા છીએ કે અમારી આ માંગણીઓ પૂરી કરવામાં આવે.
    Click here to Read More
    Previous Article
    વડાપ્રધાનના આગમન પૂર્વે જામનગરમાં ભવ્ય શણગાર શરૂ:10મીની રાત્રે રોકાણ, મુખ્ય માર્ગો, પાંચ સર્કલો રોશનીથી સજ્જ
    Next Article
    ગીરના રાજાની સુરક્ષા સામે સવાલ:સિંહ પાછળ ક્રૂરતાપૂર્વક કાર દોડાવતો વીડિયો વાઈરલ; શ્વાન કરતાં પણ બદતર હાલત, સિંહપ્રેમીઓમાં રોષ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment