Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'ઓફિસોમાં વર્ક ફ્રોમ હોમ કરો, સ્કૂલમાં ઓનલાઈન ક્લાસ ચલાવો':વડોદરામાં PM મોદીની અપીલ, કહ્યું-પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ ઓછો કરો,સોનાની ખરીદી ટાળો; સંકટને ટાળવા એકજૂટ થાવ

    18 hours ago

    PM મોદીએ આજે વડોદરાના પ્રવાસ દરમિયાન વધુ એકવાર દેશવાસીઓને પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ ઓછો કરવા અપીલ કરી છે. સરદારધામ-3નું લોકાર્પણ બાદ પ્રધાનમંત્રીએ સંબોધન દરમિયાન કહ્યું હતું કે, કોરોના આ સદીની સૌથી મોટી આફત હતી તે રીતે પશ્ચિમ એશિયામાં સર્જાયેલી યુદ્ધની સ્થિતિ આ દશકની સૌથી મોટી સમસ્યા છે. જ્યાં સુધી સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી લોકોએ વિદેશથી આયાત થતી વસ્તુઓને ઉપયોગ ઘટાડવો પડશે. આજે પણ જરુર છે કે, આપણે તમામ આપણું દાયિત્વ નિભાવીએ. વિદેશથી આવતા ઉત્પાદનનો સપ્લાય ચેઈન ખોરવાઈ ગઈ છે. દેશ પર સંકટ છે. જેમ બુંદબુંદથી ઘડો ભરાય છે તેમ આપણે નાના મોટા પ્રયાસોથી એવી વસ્તુનું ઉત્પાદનનો ઓછો ઉપયોગ કરવાનો છે જે વિદેશથી આવે છે. ભારતના ઈમ્પોર્ટનો મોટો હિસ્સો ક્રુડ ઓઈલ છે. જે ક્ષેત્રથી દુનિયાને તેલ મળે છે તે જ ક્ષેત્ર સંઘર્ષમાં છે. જ્યાં સુધી હાલત સામાન્ય ન થાય ત્યાં સુધી આપણે સાથે મળીને સંકલ્પો કરવા પડશે. તમારા પર તો મારો વધુ હક છે એટલે જરા હકથી કહી રહ્યો છું. મારા દેશના દરેક નાગરિકને અપીલ છે કે જ્યા સંભવ હોય ત્યાં પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ ઓછો કરો, મેટ્રો, ઈવી બસ, પબ્લિક ટ્રાન્સપોર્ટનો અધિક ઉપયોગ કરો. સરકારી અને પ્રાઈવેટ ઓફિસમાં વર્ચ્યુઅલ મીટીંગ અને વર્કફ્રો હોમ પ્રાથમિકતા આપો. સ્કૂલમાં થોડા સમય માટે ઓનલાઈન ક્લાસીસની વ્યવસ્થા કરવામાં આવે. વડોદરામાં સરદારધામ-3ના લોકાર્પણ કાર્યક્રમમાં પીએમ મોદીનું પાટીદાર સંસ્થાઓ દ્વારા સરદાર ગૌરવ રત્ન એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું. અગાઉ આજે સવારે સોમનાથ મંદિરમાં પ્રાણ-પ્રતિષ્ઠાના 75 વર્ષ પૂર્ણ થવાના કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાજરી આપી હતી. તેમણે કહ્યું હતું કે આજનો દિવસ બીજા કારણોસર પણ ખાસ છે. આ દિવસે, 11 મે 1998ના રોજ, દેશે પોખરણમાં પરમાણુ પરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ વિશ્વભરની શક્તિઓ ભારતને દબાવવા માટે આગળ આવી હતી. પીએમએ કહ્યું કે ભારત માટે બધા રસ્તા બંધ થઈ ગયા હતા, પરંતુ આપણે ડર્યા નહીં, આપણે અડગ રહ્યા. ભારતે પોખરણ પરમાણુ પરીક્ષણને ઓપરેશન શક્તિ નામ આપ્યું હતું. કારણ કે શિવની સાથે શક્તિની પૂજા કરવી આપણી પરંપરા રહી છે. હું ભગવાન સોમનાથના ચરણોમાં નમન કરું છું અને ઓપરેશન શક્તિને અભિનંદન આપું છું. આ પણ વાંચો: 150 કરોડના ખર્ચે સરદારધામ-3 વડોદરામાં તૈયાર, દીકરી હોસ્ટેલ બહાર જશે તો સીધો માતા-પિતાને જશે મેસેજ આ પણ વાંચો: સોમનાથમાં મોદી; આધ્યાત્મિકતા, પરમાણુથી લઈ ભારતની શક્તિ સુધીની વાતો ને અંતે હરહર મહાદેવનો નાદ
    Click here to Read More
    Previous Article
    IPLમાં આજે PBKS vs DC:પ્રિયાંશ આર્યએ ધબધબાટી બોલાવી, માત્ર 24 બોલમાં જ ફિફ્ટી; પંજાબના બેટર્સની જોરદાર બેટિંગ
    Next Article
    પંચમહાલ LCBએ ચોરીની 3 બાઈક સાથે એક શખસને ઝડપ્યો:કાલોલ અને વડોદરામાંથી ચોરાયેલી બાઈક જપ્ત કરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment