Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં ટિકિટ મેળવવા માટે દાવેદારોનું એડીચોટીનું જોર લગાવવાનું શરૂ:કોની કપાશે ટિકિટ અને કોને મળશે તક?, PM મોદીના પ્રવાસ બાદ ગમે તે ક્ષણે વાગશે ચૂંટણીનો શંખનાદ

    10 hours ago

    સુરત શહેરમાં અત્યારે રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. સુરત મહાનગરપાલિકા સહિત રાજ્યની અન્ય સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીની જાહેરાત ગમે તે ક્ષણે થવાની અટકળો વચ્ચે શહેરના રાજકારણમાં ભારે હલચલ જોવા મળી રહી છે. ખાસ કરીને પૂર્વ કોર્પોરેટરો અને નવા દાવેદારોએ પોતાની ટિકિટ પાકી કરવા માટે અત્યારથી જ એડીચોટીનું જોર લગાવવાનું શરૂ કરી દીધું છે. રાજકીય વર્તુળોમાં ચાલી રહેલી ચર્ચાઓ મુજબ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ગુજરાતના પ્રવાસે છે. તેમનો આ પ્રવાસ પૂર્ણ થતાની સાથે જ ગણતરીના દિવસોમાં અથવા તો ગમે તે ક્ષણે ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે. આ અટકળોએ નેતાઓ અને કાર્યકરોમાં ભારે ઉત્તેજના જગાડી છે. ઉલ્લેખનીય છે કે, સુરત પાલિકાના ચૂંટાયેલા કોર્પોરેટરોની મુદત 11 માર્ચના રોજ પૂર્ણ થઈ ચૂકી છે, છતાં હજુ સુધી ચૂંટણીની સત્તાવાર જાહેરાત થઈ નહોતી, જે હવે ટૂંક સમયમાં થવા જઈ રહી છે. ગત ચૂંટણીમાં કોંગ્રેસને ઝીરો બેઠક મળી હતી સુરતનું રાજકારણ હંમેશા રસપ્રદ રહ્યું છે. 2021માં યોજાયેલી છેલ્લી ચૂંટણીના પરિણામો પર નજર કરીએ તો ભાજપે 93 બેઠકો સાથે સ્પષ્ટ બહુમતી મેળવીને સત્તા પર કબ્જો જમાવ્યો હતો. આમ આદમી પાર્ટીએ 27 બેઠકો સાથે મુખ્ય વિરોધ પક્ષ તરીકે ઉભરી આવી હતી, જેણે પ્રથમ વખત જ સુરતમાં મજબૂત પકડ જમાવી હતી. ગત ચૂંટણીમાં કોંગ્રેસનું પ્રદર્શન અત્યંત કંગાળ રહ્યું હતું અને તેને ઝીરો બેઠક મળી હતી. પ્રતિષ્ઠા પાછી મેળવવા માટે એડીચોટીનું જોર આ વખતે મુખ્ય મુકાબલો ભાજપ અને 'આપ' વચ્ચે હોવાનું મનાઈ રહ્યું છે, પરંતુ કોંગ્રેસ પણ પોતાની ગુમાવેલી પ્રતિષ્ઠા પાછી મેળવવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. 11 હજાર કરોડ રૂપિયાનું તોતિંગ બજેટ ધરાવતી સુરત મહાનગરપાલિકા પર કબ્જો મેળવવા તમામ પક્ષો મરણિયા બન્યા છે. ટિકિટ માટે લોબિંગ શરૂ ચૂંટણી જાહેર થવાની શક્યતાને પગલે પૂર્વ કોર્પોરેટરો અને નવા દાવેદારો એક્શન મોડમાં આવી ગયા છે. ટિકિટ મેળવવા માટે દાવેદારોએ પોતપોતાના પક્ષના ગોડફાધર અને મોટા નેતાઓની ઓફિસોના આંટાફેરા વધારી દીધા છે. નવા અને ઉત્સાહી ચહેરાઓને તક મળી શકે જોકે, તમામ રાજકીય પક્ષો માટે ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા લોઢાના ચણા ચાવવા જેવી સાબિત થઈ શકે છે. દરેક વોર્ડમાં અનેક દાવેદારો હોવાથી આંતરિક જૂથબંધી અને અસંતોષ ફાટી નીકળવાની શક્યતા નકારી શકાતી નથી. ખાસ કરીને જે પૂર્વ કોર્પોરેટરોની કામગીરી સારી નથી રહી, તેમની ટિકિટ કપાઈ શકે છે, જ્યારે નવા અને ઉત્સાહી ચહેરાઓને તક મળી શકે છે. સોશિયલ મીડિયા પર પ્રચાર યુદ્ધ શરૂ આગામી દિવસોમાં વિવિધ પક્ષો દ્વારા પોતાના ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા સાથે ચૂંટણી ઢંઢેરો પણ જાહેર કરવામાં આવશે. સુરતના ટ્રાફિક, પાણી, પ્રદૂષણ અને ટેક્સ જેવા સ્થાનિક મુદ્દાઓ આ ચૂંટણીમાં કેન્દ્રસ્થાને રહેવાની શક્યતા છે. સોશિયલ મીડિયા પર પણ પ્રચાર યુદ્ધ શરૂ થઈ ચૂક્યું છે. શું AAP ગત વખત કરતા વધુ સારું પ્રદર્શન કરશે? સુરતની જનતા ફરી એકવાર કોના પર વિશ્વાસ મૂકે છે તે જોવું રસપ્રદ રહેશે. શું ભાજપ પોતાનો ગઢ સાચવી રાખશે? શું આમ આદમી પાર્ટી ગત વખત કરતા વધુ સારું પ્રદર્શન કરશે? કે પછી કોંગ્રેસ ફરી બેઠી થશે? આ તમામ સવાલોના જવાબ ચૂંટણીની જાહેરાત અને મતદાન બાદ જ મળશે. અત્યારે તો માત્ર એટલું જ કહી શકાય કે સુરતનું રાજકારણ પૂરેપૂરું ગરમાયું છે અને સૌની નજર વડાપ્રધાનના પ્રવાસ બાદ થનારી જાહેરાત પર ટકેલી છે.
    Click here to Read More
    Previous Article
    ગોધરા નજીક હાઈ ટેન્શન વીજ લાઈન તૂટતાં રેલ વ્યવહાર ખોરવાયો:દિલ્હી-મુંબઈ રેલ સેવા અસરગ્રસ્ત;યુદ્ધના ધોરણે સમારકામ કરી ટ્રેક પુનઃ કાર્યરત કરાયો
    Next Article
    Navsari Crime News | નવસારીના વિજલપોરમાં ધર્માંતરણના કિસ્સાથી ખળભળાટ | Gujarati Samachar | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment