Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નરેન્દ્ર મોદીના PM તરીકેના 4399 દિવસ પૂરા:નેહરુનો રેકોર્ડ તૂટ્યો; કેન્દ્રીય મંત્રીઓએ ઊભા થઈને તાળીઓ પાડી, બંગાળ CM શુભેન્દુએ ઝાલમુરી ખવડાવી

    2 days ago

    નરેન્દ્ર મોદીએ 10 જૂને સતત સૌથી લાંબા સમય સુધી ચૂંટાયેલા વડાપ્રધાન બનવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. મોદીએ 26 મે 2014ના રોજ પીએમ પદના શપથ લીધા હતા. આજે તેમના કાર્યકાળના 4399 દિવસ પૂરા થયા છે. પીએમ તરીકે આ તેમનો મોદીનો ત્રીજો કાર્યકાળ છે. આ પહેલા સૌથી લાંબા સમય સુધી વડાપ્રધાન રહેવાનો રેકોર્ડ પૂર્વ પીએમ જવાહરલાલ નેહરુનો હતો. તેઓ 1952માં થયેલી પ્રથમ સામાન્ય ચૂંટણી પછી 4398 દિવસ સુધી આ પદ પર રહ્યા હતા. PM મોદીની આ સિદ્ધિ પર બપોરે 12.30 વાગ્યે કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં મંત્રીઓએ તેમના માટે ઊભા થઈને તાળીઓ પાડી હતી. સાથે જ એક વિશેષ પ્રસ્તાવ પણ પસાર કરવામાં આવ્યો હતો. ભારત મંડપમમાં NDAની બેઠકમાં પીએમ મોદીના સન્માનમાં એક વિશેષ પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે. સૂત્રો અનુસાર, ભાજપ અધ્યક્ષ નીતિન નબીન આ પ્રસ્તાવ રજૂ કરશે, જેને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુ સમર્થન આપશે. બેઠકમાં ભાજપ-NDA શાસિત 22 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સીએમ, ડેપ્યુટી સીએમ સહિતના મુખ્ય નેતાઓ હાજર રહેશે. મોદી દેશના સૌથી લાંબા કાર્યકાળવાળા ચૂંટાયેલા પીએમ 15 ઓગસ્ટ 1947ના રોજ દેશ આઝાદ થયા પછી જવાહરલાલ નેહરુને વડાપ્રધાન નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ 15 ઓગસ્ટ 1947 થી 13 મે 1952 સુધી કુલ 1732 દિવસ પીએમ રહ્યા. ત્યારબાદ 1952માં દેશમાં પ્રથમ સામાન્ય ચૂંટણી થઈ. કોંગ્રેસ સત્તામાં આવી. સંસદીય દળે નેહરુને પોતાના નેતા તરીકે પસંદ કર્યા. ત્યારબાદ નેહરુ 13 મે 1952 થી 27 મે 1964 સુધી સતત ચૂંટાયેલા પીએમ રહ્યા. આ કાર્યકાળ 4398 દિવસનો રહ્યો હતો. આ રીતે ચૂંટાયેલા પીએમ તરીકે મોદી નેહરુથી આગળ નીકળી ગયા છે. વડાપ્રધાન મોદીના આ રેકોર્ડના દિવસભરના અપડેટ્સ જાણવા માટે નીચેના બ્લોગમાંથી પસાર થાઓ…
    Click here to Read More
    Previous Article
    ઇંગ્લેન્ડનો બ્રુક નંબર-1 ટેસ્ટ બેટર:જો રૂટને પાછળ છોડ્યો, ગિલ આઠમા નંબરે પહોંચ્યો; બોલર્સમાં બુમરાહ ટોચ પર
    Next Article
    શંકરાચાર્ય પર યૌન શોષણનો આરોપ લગાવનાર આશુતોષ બ્રહ્મચારીએ પલટી મારી:કહ્યું- રામભદ્રાચાર્યના શિષ્યોના દબાણમાં નકલી FIR કરાવી, ષડયંત્રમાં ઘણા અધિકારીઓ સામેલ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment