Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સેવા સંકલ્પ અભિયાન માટે પંચમહાલ ભાજપની મહત્વપૂર્ણ બેઠક:PM મોદીના જનસેવાના 25 વર્ષ પૂર્ણ થવા પર કાર્યક્રમોના આયોજન અંગે ચર્ચા કરાઈ

    3 days ago

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી તરીકેના જનસેવાના 25 વર્ષ પૂરા થવા પર ભારતીય જનતા પાર્ટી દ્વારા દેશભરમાં ‘સેવા સંકલ્પ અભિયાન’નું આયોજન કરાઈ રહ્યું છે. આ અભિયાન હેઠળ પંચમહાલ જિલ્લામાં થનારા વિવિધ કાર્યક્રમોના આયોજન માટે આજે પંચમહાલ જિલ્લા ભાજપ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે એક મહત્વની બેઠક યોજાઈ હતી. પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ મયંક દેસાઈની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં જિલ્લા ભાજપના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. બેઠક દરમિયાન ‘સેવા સંકલ્પ અભિયાન’ હેઠળ થનારા વિવિધ કાર્યક્રમો વિશે વિગતવાર ચર્ચા થઈ હતી. કાર્યક્રમોને સફળ બનાવવા અને વધુમાં વધુ કાર્યકર્તાઓ તથા લોકોને જોડવા માટે પ્રમુખે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ‘સેવા સંકલ્પ અભિયાન’ની શરૂઆત 17 સપ્ટેમ્બરે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે થશે. આ અભિયાન હેઠળ વિવિધ સેવાકીય અને જનસંપર્કના કાર્યક્રમો યોજાશે. આ પ્રસંગે ભાજપના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓએ અભિયાનને સફળ બનાવવા માટે સક્રિય ભાગીદારીનો સંકલ્પ લીધો હતો.
    Click here to Read More
    Previous Article
    અપહરણ કેસમાં આરોપી ઝડપાયો:કડીમાં 11 માસ અગાઉ સગીરાનું અપહરણ કરનાર આરોપી દેવ ભૂમિ દ્વારકામાં છૂપાયો હતો
    Next Article
    જામજોધપુરના રબારીકામાં શ્રાવણ અમાસે લોકમેળો યોજાયો:ધારાસભ્ય હેમંત ખવા હાજર રહ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment