Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    PM મોદીના જન્મદિવસ પહેલા અમરેલીમાં ઉર્જા મંત્રીએ બેઠક યોજી:જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સેવા સંકલ્પ અભિયાન માટે હોદ્દેદારોને ખાસ સૂચનાઓ આપી

    7 hours ago

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ભાજપ દ્વારા હાથ ધરાનારા 'સેવા સંકલ્પ અભિયાન'ની પૂર્વતૈયારીના ભાગરૂપે અમરેલી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે અગત્યની બેઠક યોજાઈ હતી. રાજ્યના ઉર્જા મંત્રી કૌશિક વેકરીયાની અધ્યક્ષતામાં યોજાયેલી આ ફોલોઅપ બેઠકમાં સંગઠનના હોદ્દેદારો અને પદાધિકારીઓને આગામી કાર્યક્રમો અંગે ખાસ સૂચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. એક મહિના સુધી ચાલશે 'સેવા સંકલ્પ અભિયાન' વડાપ્રધાનના જન્મદિન નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજ્યભરમાં એક મહિના સુધી 'સેવા સંકલ્પ અભિયાન' ચલાવવામાં આવશે. આ અભિયાન અંતર્ગત દરેક વિસ્તારમાં સેવાકીય પ્રવૃત્તિઓ, સંગઠનાત્મક કાર્યક્રમો અને જનસંપર્કના વિવિધ કાર્યક્રમો યોજાશે. સમગ્ર અભિયાનના સુચારૂ સંચાલન અને સફળતા માટેની તમામ જવાબદારી ભાજપ સંગઠનને સોંપવામાં આવી છે. તમામ તાલુકા, ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં યોજાશે કાર્યક્રમો અમરેલી જિલ્લા ભાજપ દ્વારા પણ સેવા સંગઠન અને જનસંપર્ક સંકલ્પ સાથે કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવશે. જિલ્લાના તમામ તાલુકા મથકો ઉપરાંત તમામ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં છેવાડાના માનવી સુધી પહોંચવાના હેતુથી આ કાર્યક્રમો યોજાશે. ઉર્જા મંત્રીએ હોદ્દેદારો સાથે કરી વિસ્તૃત ચર્ચા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે યોજાયેલી આ બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી, જિલ્લા ભાજપ મહામંત્રીઓ તેમજ વિવિધ સેલ અને મોરચાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. ઉર્જા મંત્રી કૌશિક વેકરીયાએ આગામી સેવા સંકલ્પ અભિયાનના આયોજન, વિવિધ કાર્યક્રમોની રૂપરેખા અને કાર્યકરોની જવાબદારીઓ અંગે વિસ્તૃત ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    મહીસાગરના 8 તાલુકામાં 30 દિવસના વિરામ બાદ મેઘમહેર:લુણાવાડા-સંતરામપુરમાં 21 મીમી વરસાદ, ઝાપટાંથી ખેડૂતોમાં આશા, વાતાવરણમાં ઠંડક પ્રસરી
    Next Article
    ખાનગી યુનિવર્સિટીઓની મનમાની સામે યુવરાજસિંહ જાડેજા લાલઘૂમ:કર્ણાવતી અને પારુલ યુનિવર્સિટીમાં ફી રિફંડ, લૂંટ અને રેગિંગના આક્ષેપો સાથે સરકાર સમક્ષ મોરચો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment