Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોવિંદ ગુરુ યુનિવર્સિટીમાં દર સોમવારે ‘નો વ્હીકલ ડે’:PM-રાજ્યપાલની અપીલને માન આપી નિર્ણય

    3 दिन पहले

    પ્રધાનમંત્રી અને રાજ્યપાલની અપીલને ધ્યાનમાં રાખીને શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીએ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. યુનિવર્સિટી હવેથી દર સોમવારે 'નો વ્હીકલ ડે'નું પાલન કરશે. આ પર્યાવરણલક્ષી પગલું ઈંધણ બચત, પર્યાવરણ સંરક્ષણ અને સ્વચ્છ જીવનશૈલીને પ્રોત્સાહન આપવાના હેતુથી લેવાયું છે. યુનિવર્સિટીના કુલપતિ ડૉ. હરીભાઈ કાતરીયાના માર્ગદર્શન હેઠળ આ નિર્ણય યુનિવર્સિટીના તમામ વિભાગો, શૈક્ષણિક ભવનો અને સંલગ્ન કોલેજોમાં લાગુ પડશે. આ નિર્ણયના સફળ અમલીકરણ માટે યુનિવર્સિટીના બોર્ડ ઓફ મેનેજમેન્ટ, એક્ઝીક્યુટીવ કાઉન્સિલ, એકેડેમિક કાઉન્સિલના સભ્યો, વિવિધ વિદ્યાશાખાના ડીન, ભવનોના અધ્યક્ષ, સંલગ્ન કોલેજોના આચાર્ય, વહીવટી વિભાગોના ઓ.એસ.ડી.ઓ, તેમજ શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક સ્ટાફ સહિત વિદ્યાર્થીઓને દર સોમવારે પોતાના વ્યક્તિગત વાહનોનો ઉપયોગ ટાળવા ખાસ અનુરોધ કરાયો છે. 'નો વ્હીકલ ડે'ના દિવસે કેમ્પસમાં આવતા તમામ લોકોને શક્ય હોય ત્યાં સુધી સાયકલનો ઉપયોગ કરવા, જાહેર પરિવહન સેવાઓનો લાભ લેવા અથવા પગપાળા આવન-જાવન કરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે. વધુમાં, પર્યાવરણ પ્રત્યેની આ જાગૃતિ માત્ર એક દિવસ પૂરતી સીમિત ન રહે તે માટે અઠવાડિયાના બાકીના દિવસોમાં પણ કાર પુલિંગ, સાયકલ અને પબ્લિક ટ્રાન્સપોર્ટના ઉપયોગને પ્રાધાન્ય આપવા અપીલ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    એક મિનિટમાં સુરતના ટોપ-5 ન્યૂઝ, VIDEO:મનપામાં સૌરાષ્ટ્રીયન પટેલ પાવર યથાવત, ગેરકાયદે ગર્ભ પરીક્ષણના દર્દીનો સપ્લાયર ઝડપાયો
    Next Article
    દાહોદ નગરપાલિકાનું સ્વચ્છતા અભિયાન શરૂ:સિંગલ-યુઝ પ્લાસ્ટિક મુક્ત શહેર બનાવવા નાગરિકોને સહયોગની અપીલ કરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment