Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજુલા PGVCL નાયબ ઈજનેરને જાનથી મારી નાખવાની ધમકી:વીજબીલ ડિસ્કનેક્શન સમયે ફરજમાં રૂકાવટનો ગુનો નોંધાયો

    1 week ago

    અમરેલી જિલ્લાના રાજુલા પંથકમાં PGVCLના નાયબ ઈજનેરને ફરજમાં રૂકાવટ અને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ એક વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. રાજુલા પોલીસ સ્ટેશનમાં વીજ વિભાગના અધિકારીએ આ અંગે ફરિયાદ નોંધાવી છે. રાજુલા PGVCL વિભાગના નાયબ ઈજનેર મહેન્દ્ર શિયાળે આરોપી દાનુભાઈ સાદુળભાઈ ખાચર (રહે. છતડીયા, તા. રાજુલા) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આ ઘટના મિશન માર્ચ 2026 અંતર્ગત બાકી વીજબીલની વસૂલાત અને ડિસ્કનેક્શન કામગીરી દરમિયાન બની હતી. ફરિયાદ મુજબ, PGVCL ટીમ ગ્રાહક હંસાબેન ગભરુભાઈ બોરીચાના ખેતીવાડી વીજ કનેક્શનના બાકી રૂ. 4231.44 વસૂલવા વાડીએ ગઈ હતી. તે સમયે આરોપીએ ફોન પર વાતચીત કરી બાકી રકમ ચૂકવવાની ના પાડી અને ફરજમાં અડચણ ઊભી કરી હતી. આરોપીએ અલગ-અલગ મોબાઈલ નંબર પરથી ફરિયાદી તથા અન્ય કર્મચારીઓને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઉપરાંત, આરોપી PGVCL કચેરી ખાતે રૂબરૂ આવી સરકારી કર્મચારીઓને ધમકી આપી ફરજ બજાવવામાં વિઘ્ન ઊભું કર્યું હતું. આરોપી સામે સરકારી અધિકારીને ફરજ બજાવતા અટકાવવા, જાનથી મારી નાખવાની ધમકી આપવા અને કાયદેસરની કામગીરીમાં રૂકાવટ કરવાના ગુનાઓનો આરોપ મૂકવામાં આવ્યો છે. આ ગુનાની વધુ તપાસ રાજુલા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. એસ.બી. જાની દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    કોંગ્રેસનો BRICS+ સમિટ બાબતે PMને સવાલ:જયરામ રમેશે કહ્યું- 'વિશ્વગુરુ' પશ્ચિમ એશિયા સંકટ પર સમિટ આગળ કેમ વધારી રહ્યા નથી
    Next Article
    Vibe to Van Gogh: Why Pune’s young buyers are choosing sunflowers over roses

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment