Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચોમાસામાં અવિરત વીજળી માટે સમીક્ષા બેઠક યોજાઈ:નાયબ કલેક્ટરે PGVCL અધિકારીઓ સાથે ચર્ચા કરી, કંટ્રોલ રૂમમાં કર્મચારી નિયુક્ત થશે

    4 days ago

    ચોટીલા: ચોમાસાની ઋતુમાં ભારે વરસાદ અને પવનને કારણે સર્જાતા વીજ ફોલ્ટનું ઝડપી નિરાકરણ લાવી ખેડૂતો અને નાગરિકોને સમયસર વીજ પુરવઠો મળી રહે તે હેતુથી નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ ચોટીલા શ્રી એચ. ટી. મકવાણાના અધ્યક્ષસ્થાને PGVCLના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન, નાયબ કલેક્ટરએ સૂચના આપી હતી કે ચોમાસાની સિઝનમાં કોઈપણ વીજ ફોલ્ટને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી શક્ય તેટલા ઓછા સમયમાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં આવે. ખાસ કરીને કૃષિ ફીડર પર ફોલ્ટ સર્જાય ત્યારે ખેડૂતોને લાંબા સમય સુધી વીજળી વિના ન રહેવું પડે તે માટે તાત્કાલિક કામગીરી હાથ ધરવા ભાર મૂકવામાં આવ્યો હતો. આ ઉપરાંત, વીજ લાઇનને અડચણરૂપ બનતા વૃક્ષોના ટ્રી કટિંગ અને ટ્રિમિંગનું બાકી રહેલું કામ તાત્કાલિક પૂર્ણ કરવા તેમજ વરસાદી મોસમ દરમિયાન જરૂરી માનવબળ અને સાધનો સાથે સંપૂર્ણ સજ્જ રહેવા PGVCL અધિકારીઓને નિર્દેશ આપવામાં આવ્યા હતા. મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો હતો કે મામલતદાર કચેરીના ડિઝાસ્ટર કંટ્રોલ રૂમમાં PGVCLનો એક કર્મચારી નિયુક્ત કરવામાં આવશે. આનાથી વીજ પુરવઠા સંબંધિત ફરિયાદોનું ઝડપી સંકલન થઈ શકશે અને તાત્કાલિક કાર્યવાહી સુનિશ્ચિત બનશે. નાયબ કલેક્ટરે જણાવ્યું હતું કે જો PGVCLની હેલ્પલાઇન સતત વ્યસ્ત રહેતી હોય, તો નાગરિકો અને ખેડૂતો ચોટીલા મામલતદાર કચેરી ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ (02751-280279) પર પણ વીજ ફોલ્ટ અંગે ફરિયાદ નોંધાવી શકશે. PGVCLના ટોલ ફ્રી નંબર 19122 પર પણ ફરિયાદ નોંધાવી શકાય છે. PGVCLના અધિકારીઓએ ફોલ્ટનું ચોક્કસ સ્થળ સમયસર ન મળવાથી થતા વિલંબ અંગે રજૂઆત કરી હતી. આ અંગે નાયબ કલેક્ટરે ખેડૂતો અને નાગરિકોને અપીલ કરી હતી કે, જ્યાં પણ વીજ ફોલ્ટ, તાર તૂટવો, પોલ પડવો અથવા અન્ય કોઈ ખામી જોવા મળે ત્યાંનું ચોક્કસ લોકેશન અથવા નજીકના ઓળખી શકાય તેવા સ્થળની માહિતી તરત જ PGVCLના અધિકારીઓ કે કર્મચારીઓને આપવી. નાગરિકોના સહયોગથી ફોલ્ટ ઝડપથી શોધી શકાશે અને વીજ પુરવઠો વહેલી તકે પુનઃસ્થાપિત કરી શકાશે. આ બેઠકમાં ચોટીલાના ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ, તાલુકા પંચાયત પ્રમુખ નાથાભાઈ સંઘાણી, ચોટીલા અને થાનગઢના મામલતદાર, સામાજિક આગેવાન પ્રદીપભાઈ ખાચર તેમજ PGVCLના ચોટીલા-1, ચોટીલા-2, થાનગઢ અને મૂળી વિભાગના ડેપ્યુટી એન્જિનિયરો સહિત સંબંધિત અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. નાયબ કલેક્ટરે અંતમાં જણાવ્યું હતું કે, પ્રશાસન અને PGVCL વચ્ચેના સુમેળ તથા નાગરિકોના સહયોગથી ચોમાસાની સમગ્ર ઋતુ દરમિયાન ખેડૂતો અને સામાન્ય નાગરિકોને ઝડપથી અને અસરકારક રીતે વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરી શકાય તે માટે સંકલિત પ્રયાસો હાથ ધરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    8 towns famous for their iconic colours
    Next Article
    વાંસદામાં ભાજપનું મંથન:પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ 'વન ડે વન એસેમ્બલી' અંતર્ગત બેઠક લીધી, કોંગ્રેસના ગઢને જીતવા રણનીતિ ઘડાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment