Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કમાટીબાગમાં વાંદરાના હુમલા બાદ પાંજરું ગોઠવાયું:6 વર્ષના બાળક પર હુમલો કરનાર વાંદરાને ટ્રેન્ક્યુલાઈઝિંગ ગનથી ડાર્ટ મારી પણ ભાગ્યો, પકડવા વન વિભાગની ટીમો મેદાને

    2 days ago

    વડોદરાના પ્રસિદ્ધ કમાટીબાગ (સયાજીબાગ) ઝૂમાં રવિવારે સવારે એક હૃદયદ્રાવક ઘટના બની હતી, જેમાં સુરતથી ફરવા આવેલા એક પરિવારના 6 વર્ષના માસૂમ બાળક પર જંગલી વાંદરાએ (રિસસ મકાકે) જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં બાળકના ગાલ અને જડબાનો ભાગ ફાટી જતાં તે લોહીલુહાણ થઈ ગયો હતો. હાલ વન વિભાગ અને ઝૂ પ્રશાસન દ્વારા આ વાંદરાને પકડવા માટે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. વાંદરાએ બચકુ ભરીને બાળકના કાનને ફાડી નાખ્યો સયાજીબાગ ઝૂમાં સહેલાણીઓની સુરક્ષા સામે ફરી એકવાર સવાલો ઉભા થયા છે. સુરતથી વડોદરા ફરવા આવેલા પ્રિતેશ પટેલના 6 વર્ષના પુત્ર નિકેન પર બહારથી આવી ચઢેલા એક લાલ મોઢાવાળા માકડાએ અચાનક હુમલો કર્યો હતો. વાંદરાએ બાળકના કાનથી નાક સુધીના ભાગને બચકાં ભરીને ફાડી નાખ્યો હતો. ઝૂમાં ડૉક્ટર હાજર નહોતા બાળકના પિતા પ્રિતેશ પટેલે રોષ વ્યક્ત કરતા જણાવ્યું કે, "અમે ઝૂ જોઈને બહાર નીકળી રહ્યા હતા ત્યારે અચાનક વાંદરાએ મારી પત્ની અને ત્યારબાદ પુત્ર પર હુમલો કર્યો. આટલી મોટી દુર્ઘટના બની છતાં કમાટીબાગમાં કોઈ તબીબ કે તાત્કાલિક સારવારની વ્યવસ્થા ન હતી. અમારે તાત્કાલિક ખાનગી હોસ્પિટલ દોડવું પડ્યું હતું." હાલ બાળક નરહરિ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ઝૂ ક્યુરેટરની સ્પષ્ટતા અને રેસ્ક્યુ ઓપરેશન ઝૂ ક્યુરેટર ડો. પ્રત્યુષ પાટણકરે જણાવ્યું હતું કે, આ વાંદરો છેલ્લા ચાર દિવસથી આ વિસ્તારમાં દેખાતો હતો અને તેને પકડવા પ્રયાસો ચાલુ જ હતા. ગઈકાલે તેને ટ્રેન્ક્યુલાઈઝ ગનથી ડાર્ટ પણ મારવામાં આવી હતી, પરંતુ ભૌગોલિક વિસ્તાર અને ઝાડીઓને કારણે તે છટકી ગયો હતો. હાલ વન વિભાગની 2 ટીમો અને ઝૂ સ્ટાફ સતત પહેરો ભરી રહ્યા છે. માદા વાનરને પાંજરામાં મૂકી નરને પકડવા વ્યૂહરચના શાતિર વાંદરાને પકડવા માટે વન વિભાગે અનોખી વ્યૂહરચના અપનાવી છે. પાંજરામાં એક માદા વાનરને રાખવામાં આવી છે જેથી નર વાનર લલચાઈને નજીક આવે. આ ઉપરાંત 'ફટક પાંજરું' અને ખોરાક મૂકીને પણ તેને ટ્રેપ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. વેટરનરી ડોક્ટરો ગન સાથે સજ્જ છે જેથી માકડું દેખાય કે તરત જ તેને બેભાન કરી રેસ્ક્યુ કરી શકાય. આ ઘટનાને પગલે મુલાકાતીઓમાં ભારે ફફડાટ ફેલાયો છે. ઝૂ પ્રશાસન આગામી 1-2 દિવસમાં વાંદરાને સુરક્ષિત રીતે પકડી લેવાનો દાવો કરી રહ્યું છે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય.
    Click here to Read More
    Previous Article
    વલસાડના ધરમપુર-કપરાડામાં વરસાદી ઝાપટાં:ગરમીથી રાહત, કેરીના પાકને નુકસાનની ભીતિ
    Next Article
    છોટાઉદેપુર સબ જેલમાં કેદીઓનું આરોગ્ય સ્ક્રીનિંગ કરાયું:જિલ્લા આરોગ્ય વિભાગે સર્વરોગ નિદાન કેમ્પ યોજી 53 કેદીઓની તપાસ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment