Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પગારમાંથી PF કપાતો હોય, તો મફતમાં મળશે ₹7 લાખનો વીમો:એક રૂપિયાનું પણ પ્રીમિયમ નહીં ભરવું પડે, જાણો નોકરિયાતને કેવી રીતે મળશે લાભ

    8 hours ago

    EPFO દ્વારા પણ વીમા યોજના ચલાવવામાં આવે છે. જો તમારા પગારમાંથી દર મહિને પીએફ (PF) કપાય છે, તો તમને એક પણ રૂપિયો વધારાનો ખર્ચ કર્યા વિના 7,00,000 સુધીનું મફત લાઇફ ઇન્સ્યોરન્સ કવર આપવામાં આવે છે. EPFO તેના સભ્યોને Employees' Deposit Linked Insurance (EDLI) સ્કીમ હેઠળ આ ખાસ સુવિધા આપે છે. આ યોજનાનો સૌથી મોટો ફાયદો એ છે કે આ માટે નોકરીયાત કર્મચારીએ 0 પ્રીમિયમ ચૂકવવું પડે છે, એટલે કે કોઈ પ્રીમિયમ ચૂકવવું પડશે નહીં. શું છે EDLI સ્કીમ? EDLI યોજના વર્ષ 1976 માં શરૂ કરવામાં આવી હતી, જેનો ઉદ્દેશ્ય PF ખાતાધારકોને સામાજિક સુરક્ષા આપવાનો છે. આ ઇન્સ્યોરન્સ કવર માટે કર્મચારીના પગારમાંથી કોઈ પૈસા કપાતા નથી. તેનું સંપૂર્ણ પ્રીમિયમ નોકરીદાતા દ્વારા ચૂકવવામાં આવે છે. કંપની કર્મચારીના બેઝિક પગાર + DA નો 0.50% હિસ્સો આ ઇન્સ્યોરન્સ સ્કીમમાં જમા કરે છે. કોને મળે છે લાભ? આ સ્કીમ હેઠળ EPFO સભ્યના અકાળ મૃત્યુના કિસ્સામાં નોમિનીને ઓછામાં ઓછા 2.50 લાખ રૂપિયા અને વધુમાં વધુ 7 લાખ રૂપિયા સુધીનો એકસાથે વીમો આપવામાં આવે છે. કોણ લઈ શકે છે ફાયદો? આ યોજનાનો લાભ તે કર્મચારીને આપવામાં આવે છે, જેણે મૃત્યુના બરાબર પહેલાં ઓછામાં ઓછા 12 મહિના સુધી સતત નોકરી કરી હોય. 12 મહિનામાં જો કર્મચારીએ કંપની બદલી હોય, તો પણ તે આ લાભનો હકદાર રહે છે. આ લાભ લેવા માટે ફક્ત PF એકાઉન્ટને સતત એક્ટિવ રાખવું પડે છે. આ લાભ ફક્ત ત્યારે જ મળે છે, જ્યારે કર્મચારીનું મૃત્યુ સર્વિસ દરમિયાન અથવા નોકરી પર હોય ત્યારે થયુ હોય. ક્લેમ કેવી રીતે કરવો? જો કોઈ EPFO સભ્યનું અકાળ મૃત્યુ થાય છે, તો તેના નોમિની આ રકમ માટે દાવો કરી શકે છે. આ માટે PF કમિશનરની ઓફિસમાં Form 5 IF ભરીને જમા કરાવવું પડે છે. આ સાથે કર્મચારીનું મૃત્યુ પ્રમાણપત્ર, ઉત્તરાધિકાર પ્રમાણપત્ર અને બેંક ખાતાની વિગતો આપવી પડશે. કેટલા દિવસમાં મળે છે ક્લેમ? EPFO ના નિર્દેશો અનુસાર, બધા જરૂરી દસ્તાવેજો જમા થયા પછી સામાન્ય રીતે 20 થી 30 દિવસની અંદર EDLI ક્લેમનો નિકાલ કરી દેવામાં આવે છે. તમારે શું કરવું પડશે? EPFO તેના તમામ સભ્યોને સલાહ આપે છે કે તેઓ તેમના UAN પોર્ટલ પર જઈને e-Nomination ની પ્રક્રિયા ચોક્કસપણે પૂર્ણ કરી લે. નોમિની અપડેટ રહેવાથી કોઈપણ અપ્રિય ઘટનાની સ્થિતિમાં પરિવારને ક્લેમની રકમ મેળવવામાં કોઈ મુશ્કેલી પડતી નથી અને ઓફિસોના ધક્કા ખાવાની ઝંઝટ રહેતી નથી. કંપનીઓ માટે બીજો વિકલ્પ પણ ઉપલબ્ધ કેટલીક કંપનીઓ EDLI યોજનાના સ્થાને કોઈ પ્રાઈવેટ વીમા કંપનીની સમૂહ વીમા (Group Insurance) પોલિસી પણ પસંદ કરી શકે છે. જો કોઈ કંપની EDLI માંથી છૂટ મેળવે છે, તો તેને કર્મચારીઓને એવી વૈકલ્પિક વીમા સુવિધા આપવી પડે છે જેનો લાભ EDLI યોજના હેઠળ મળતા લાભ બરાબર અથવા તેનાથી વધુ હોય. કર્મચારીઓએ HR વિભાગ પાસેથી આ જાણકારી જરૂર લેવી જોઈએ કે તેમની કંપની EDLI યોજનામાં સામેલ છે કે કોઈ વૈકલ્પિક વીમા વ્યવસ્થાનો ઉપયોગ કરી રહી છે. -------------------------------------------- આ સમાચાર પણ વાંચો: હવે ક્લેમ વગર જ બેંક ખાતામાં આવી જશે PFના પૈસા:લાખો કર્મચારીઓને ફાયદો, સરકારે શરૂ કરી તૈયારી; જાણો ક્યારે મળશે રૂપિયા બેંક, LIC અને EPFOમાં હજારો કરોડ રૂપિયા અનક્લેમ્ડ પડ્યા છે, આ રકમ વર્ષ-દર-વર્ષ વધી રહી છે. પરંતુ હવે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ આ પૈસા સાચા હકદાર સુધી પરત કરવાનો રસ્તો શોધી કાઢ્યો છે. ઓફલાઈન અને ઓનલાઈન ક્લેમ વગર 1 લાખથી વધુ કર્મચારીઓના બેંક ખાતાઓમાં નિષ્ક્રિય PFના પૈસા સીધા ટ્રાન્સફર થવા જઈ રહ્યા છે. શ્રમ અને રોજગાર મંત્રાલય હેઠળના કર્મચારી EPFO એ આ પ્રક્રિયાને વેગ આપવા માટે 1.18 લાખ ઇન-એક્ટિવ ખાતાઓની ઓળખ અને વેરિફિકેશનનું કામ પૂર્ણ કરી લીધું છે. વાંચો સંપૂર્ણ સમાચાર
    Click here to Read More
    Previous Article
    Putrada Ekadashi 2026: पुत्रदा एकादशी आज, जानें पूजा विधि, मुहूर्त, पारण और व्रत कथा
    Next Article
    'સ્વાર્થી મિત્રોએ મારી અંગત વાતોનો ગામમાં ઢંઢેરો પીટ્યો':'મને જરૂર પડી તો મોઢું ફેરવી લીધું, મેં ટૉક્સિક મિત્રતા તોડી નાખી પણ હવે એકલું લાગે છે, શું કરું?'

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment