Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કરિશ્મા કપૂરના બાળકો પાસે ફી ભરવાના પૈસા નથી- દાવો:સાવકી માતાએ કોર્ટ પાસેથી સંજય કપૂરના PFમાંથી પૈસા કાઢવાની માગ કરી; ₹30,000 કરોડની સંપત્તિ ફ્રીઝ

    4 दिन पहले

    કરિશ્મા કપૂરના પૂર્વ પતિ સંજય કપૂરના નિધન બાદથી જ તેમના બાળકો અને તેમની પત્ની પ્રિયા સચદેવ વચ્ચે પ્રોપર્ટી અને વસિયત પર કાયદાકીય જંગ ચાલી રહી છે. ચુકાદો ન આવે ત્યાં સુધી કોર્ટે સંજય કપૂરની પ્રોપર્ટી ફ્રીઝ કરી દીધી છે. કેસની સુનાવણી સમયે કરિશ્મા કપૂરના બાળકોએ દાવો કર્યો હતો કે તેમની પાસે સ્કૂલ-કોલેજની ફી ભરવા માટે પણ પૈસા નથી. આના પર હવે સંજય કપૂરની પત્ની પ્રિયા કપૂરે એક અરજી દાખલ કરીને પતિના EPF એકાઉન્ટમાંથી પૈસા કાઢવાની પરવાનગી માંગી છે. આ કેસમાં હવે કોર્ટે અન્ય પક્ષોને નોટિસ જારી કરીને તેમનો જવાબ માંગ્યો છે. પ્રિયા કપૂરની અરજીની સુનાવણી 26 મેના રોજ થઈ, જેમાં 30 એપ્રિલે કોઓર્ડિનેટ બેન્ચ દ્વારા સંજય કપૂરના તમામ ખાતાઓને ફ્રીઝ કરવાના આદેશમાં આંશિક સંશોધનની માંગ કરવામાં આવી છે. કોર્ટમાં સબમિટ કરાયેલા દસ્તાવેજો અનુસાર, પ્રિયા કપૂરે વચગાળાના આદેશના અનુચ્છેદ 79ના ખંડ B અને Dમાં ફેરફાર કરવાની વિનંતી કરી છે. લાઇવ એન્ડ લૉના રિપોર્ટ અનુસાર, પ્રિયા કપૂરના વકીલે કોર્ટમાં સ્પષ્ટ કર્યું છે કે EPFમાંથી કાઢવામાં આવેલા પૈસાનો ઉપયોગ ફક્ત કરિશ્મા કપૂરના બાળકો કિયાન અને સમાયરાના અભ્યાસનો ખર્ચ કાઢવા માટે કરવામાં આવશે. કરિશ્મા કપૂરના બાળકો કિયાન અને સમાયરાએ કોર્ટમાં અરજી દાખલ કરીને પિતા સંજય કપૂરની વસિયત અને પ્રોપર્ટીમાં હિસ્સેદારી માંગી હતી. ત્યારે પ્રિયા કપૂરે કોર્ટમાં એક વસિયત બતાવી, જેમાં કિયાન અને સમાયરાના નામ પર કંઈ ખાસ લખવામાં આવ્યું ન હતું. ત્યારે બાળકોએ પિતાની રાઇટિંગ, વારંવાર બાળકોના નામ ખોટા લખવામાં આવતા વસિયતને નકલી ગણાવી. આ કેસની સુનાવણી કરતા 30 એપ્રિલે થયેલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે સંજય કપૂરની પ્રોપર્ટી અને એકાઉન્ટ ફ્રીઝ કરી દીધા હતા. કોર્ટે પ્રિયા કપૂર પર વસ્તુઓ પર અસ્થાયી રોક લગાવી- જોકે, ત્યારે સુનાવણીમાં બાળકોના અભ્યાસ અને છૂટાછેડાની શરતો માટે છૂટ આપવામાં આવી હતી. હવે નવી અરજીમાં પ્રિયા કપૂર, કોર્ટના આદેશમાં સુધારાની માંગ કરી રહી છે, તેથી કોર્ટ દ્વારા કેસ સાથે સંકળાયેલા તમામ લોકોને નોટિસ જારી કરીને તેમની સંમતિ માંગવામાં આવી છે. આ મામલાની આગામી સુનાવણી હવે જુલાઈમાં થશે. શા માટે પ્રિયા કરિશ્માના બાળકોની ફી ભરવા માંગે છે જ્યારે કરિશ્મા કપૂરે સંજય કપૂરથી છૂટાછેડા લીધા હતા, ત્યારે બાળકોના શિક્ષણના ખર્ચની જવાબદારી સંજય કપૂરે લેખિતમાં લીધી હતી. તેમના અવસાન પછી, તેમની પત્ની પ્રિયાએ તેમના તમામ ખાતાઓ પર હક જતાવ્યો, જેના પછી કરિશ્માના બાળકોની જવાબદારી પણ તેમના પર આવી. વસિયતનામા માટે કરિશ્માના બાળકોએ પ્રિયા વિરુદ્ધ અરજી દાખલ કરી છે, તેમ છતાં તેમના ખર્ચની જવાબદારી પ્રિયા પર જ છે. એક સુનાવણી દરમિયાન કરિશ્માની પુત્રી સમાયરાએ કોર્ટમાં કહ્યું કે છેલ્લા 2 મહિનાથી તેમના કોલેજની ફી ભરવામાં આવી નથી. તે અમેરિકામાં અભ્યાસ કરે છે. ત્યારે કોર્ટે આ મામલે બંને પક્ષોને ઠપકો આપ્યો હતો. ત્યારે પ્રિયાના વકીલે કહ્યું હતું કે તેઓ બાળકોની ફી સમયસર આપશે. પરંતુ એકાઉન્ટ ફ્રીઝ થવાને કારણે હવે તેમને ફી ચૂકવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જૂન 2015માં સંજય કપૂરનું અવસાન થયું સંજય કપૂરનું મૃત્યુ 12 જૂન 2025 ના રોજ લંડનમાં હૃદયરોગના હુમલાથી થયું હતું. કરિશ્મા કપૂરે 2003 માં સંજય સાથે લગ્ન કર્યા હતા. તેમને બે બાળકો કિયાન-સમાયરા થયા હતા. લગ્નના 13 વર્ષ પછી કરિશ્મા-સંજયે પરસ્પર સંમતિથી છૂટાછેડા લીધા હતા. ત્યારબાદ સંજયે પ્રિયા સચદેવ સાથે ત્રીજા લગ્ન કર્યા હતા. કરિશ્મા પહેલાં તેમણે નંદિતા મહેતાની સાથે પ્રથમ લગ્ન કર્યા હતા, પરંતુ તે પણ તૂટી ગયા હતા.
    Click here to Read More
    Previous Article
    બે દિવસમાં ચાંદી 9 હજાર ગગડી, સોનાનાં ભાવ પણ તૂટ્યાં:ચાંદી ₹2.66 લાખ, સોનું ₹1.57 લાખ પર આવ્યું; ઓલ ટાઈમ હાઈથી ભાવ નીચે આવતાં ખરીદીની તક
    Next Article
    કચ્છના દરિયામાંથી 1180 કરોડનું કોકેઈન ઝડપાયું:'યુરોપ' નામના કાર્ગો શીપમાંથી 118 કિલો જથ્થો મળી આવ્યો, ત્રણ આરોપીઓ ઝડપાયા

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment