Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાંસદામાં ગેસ સિલિન્ડરની અછતની અફવા:સંચાલકોએ સ્પષ્ટતા કરી: પૂરતો સ્ટોક ઉપલબ્ધ, OTP સિસ્ટમથી ગભરાશો નહીં

    13 hours ago

    વાંસદા તાલુકા અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી ગેસ સિલિન્ડરની અછત હોવાની અફવાઓ સોશિયલ મીડિયા અને સ્થાનિક સ્તરે ફેલાઈ રહી છે. ઈરાન-અમેરિકા વચ્ચેના તણાવને કારણે ગેસ સપ્લાય ખોરવાયો હોવાની ચર્ચાએ ગ્રાહકોમાં ચિંતા જગાવી હતી. જોકે, ભાજપના મહામંત્રી અને ગેસ એજન્સીના સંચાલકોએ આ અંગે સત્તાવાર સ્પષ્ટતા કરીને લોકોને અફવાઓથી દૂર રહેવા અપીલ કરી છે. ભાજપના મહામંત્રી લોચન શાસ્ત્રીએ જણાવ્યું હતું કે, ઈરાન-અમેરિકા વચ્ચેના સંઘર્ષને કારણે ગેસ સપ્લાય ઘટ્યો હોવાની વાતો માત્ર અફવા છે. વાંસદા તાલુકાની દૈનિક જરૂરિયાત ૬૦૦ સિલિન્ડરની છે. પરંતુ, અફવાને કારણે ઊભી થયેલી ખોટી માંગને પહોંચી વળવા માટે હાલ HP ગેસ એજન્સી દ્વારા દૈનિક ૯૦૦ સિલિન્ડરનો સપ્લાય કરવામાં આવી રહ્યો છે, જેથી પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. ગુંજન ગેસ એજન્સીના પ્રોપરાઈટર ભાવિન દેસાઈએ માહિતી આપતા જણાવ્યું કે, ગેસ વિતરણ વ્યવસ્થામાં કોઈ સમસ્યા નથી. સરકારે સુરક્ષા અને પારદર્શિતા વધારવા માટે નવી OTP સિસ્ટમ લાગુ કરી છે. આ સિસ્ટમ હેઠળ, ગ્રાહકે ઓનલાઈન બુકિંગ કરાવ્યા બાદ તેમના મોબાઈલ પર એક OTP જનરેટ થશે. સિલિન્ડરની ડિલિવરી લેતી વખતે ગ્રાહકે આ OTP એજન્સીને આપવાનો રહેશે. આ પ્રક્રિયા પૂર્ણ થતા જ ગ્રાહકને તુરંત સિલિન્ડર મળી જશે. આ નવી સિસ્ટમનો હેતુ વિતરણ પ્રક્રિયાને વધુ સુરક્ષિત અને કાર્યક્ષમ બનાવવાનો છે. વિસ્તારમાં અમુક તત્વો દ્વારા એવી પણ અફવા ફેલાવવામાં આવી રહી છે કે ગેસની અછતને કારણે ફરીથી નિર્ધૂમ ચૂલાનો ઉપયોગ કરવો પડશે. આ અંગે લોચન શાસ્ત્રીએ સ્પષ્ટતા કરી કે, જ્યારે ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, ત્યારે ચૂલા વાપરવાની કોઈ જરૂર નથી. તેમણે લોકોને આવી ખોટી વાતોમાં ન આવવા અને સરકાર તથા વહીવટી તંત્ર પર વિશ્વાસ રાખવા જણાવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    મહારાષ્ટ્રનો વોન્ટેડ આરોપી કલ્પેશ પાટીલ ઝડપાયો:નવસારી LCBએ પાલઘરથી દબોચ્યો, 2 વર્ષથી નાસતો ફરતો હતો
    Next Article
    અમરેલીમાં કમોસમી વરસાદ, બગસરા-વડિયા પંથકમાં કરા પડ્યા:હવામાન પલટાથી ખેડૂતોમાં ચિંતા, રવિ પાકને નુકસાનની ભીતિ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment