Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગર યુનિવર્સિટીમાં રેગિંગના આરોપીની સજા માફી મામલે વિરોધ:NSUI અને યુવા કોંગ્રેસે કુલપતિના ‘ઈમાનનું બેસણું’ રાખ્યું, શહેર યુથ કોંગ્રેસ ઉપપ્રમુખની આંદોલનની ચીમકી

    3 days ago

    મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાં રેગિંગ મામલે આરોપી વિદ્યાર્થીઓની સજા માફ કરવામાં આવતા વિવાદ વકર્યો છે. આ મામલે શહેર યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા આક્રમક વલણ અપનાવવામાં આવ્યું છે. શહેર યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ ગિરીરાજસિંહ વાળાએ કુલપતિની કામગીરી પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. એ સાથે જ VCના 'ઈમામનું બેસણું' કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. ​કુલપતિના નિર્ણય સામે રોષ ​ગિરીરાજસિંહ વાળાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, બે દિવસ પહેલા જ્યારે NSUI અને યુવા કોંગ્રેસના પ્રતિનિધિમંડળે કુલપતિને મળીને રેગિંગના આરોપીઓની સજા માફ કરવા પાછળનું કારણ પૂછ્યું હતું અને કોના દબાણ હેઠળ આ નિર્ણય લેવાયો છે તે જાણવાનો પ્રયાસ કર્યો, તો કુલપતિ સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા, આ સજા માફ કરવાનો નિર્ણય કોઈ પણ કાયદાકીય જોગવાઈ વિરુદ્ધ છે અને કુલપતિએ કોઈપણ પ્રકારની રેગિંગ કમિટીની મીટિંગ બોલાવ્યા વગર આ નિર્ણય લીધો છે. ​VCના 'ઈમાનનું બેસણું' રાખી કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન ​આજે NSUI અને યુવા કોંગ્રેસના કાર્યકરોએ કુલપતિને ફરી નિયમોની યાદ અપાવી હતી કે, યુનિવર્સિટીના નિયમોમાં રેગિંગ જેવા ગંભીર કેસમાં આરોપીની સજા માફ કરવાની કોઈ સત્તા કુલપતિ પાસે નથી, જ્યારે કુલપતિએ આ મામલે લીગલ અભિપ્રાય લેવાની વાત કરી, ત્યારે રોષે ભરાયેલા કાર્યકરોએ કટાક્ષમાં કુલપતિના 'ઈમાનનું બેસણું' રાખી વિરોધ પ્રદર્શન કર્યું હતું. યુથ કોંગ્રેસનું સ્પષ્ટ માનવું છે કે આ મામલે કોઈ કાયદાકીય અભિપ્રાયની જરૂર નથી, પરંતુ માત્ર દબાણ હેઠળ આ નિર્ણય લેવાયો છે. ​આગામી દિવસોમાં આંદોલનની ચીમકી ​શહેર યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ ગિરીરાજસિંહ વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે, જો કુલપતિ દ્વારા રેગિંગના આરોપીઓની સજા માફ કરવાનો નિર્ણય તાત્કાલિક રદ કરવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં યુવા કોંગ્રેસ અને NSUI દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન છેડવામાં આવશે. યુનિવર્સિટી કેમ્પસમાં લેવાયેલા આ મનસ્વી નિર્ણયને લઈ હવે વિદ્યાર્થી સંગઠનો આ આરપારની લડાઈના મૂડમાં છે.
    Click here to Read More
    Previous Article
    સાણંદથી સેમિકન્ડક્ટર ક્રાંતિનો નવો અધ્યાય:PM મોદી આવતીકાલે ત્રીજા પ્લાન્ટનું કરશે લોકાર્પણ, ગુજરાતમાં કુલ 6 સેમિકન્ડક્ટર પ્લાન્ટ, ₹1.70 લાખ કરોડના રોકાણના MOU
    Next Article
    Punjab’s controversial anti-sacrilege law: 4 FIRs registered so far

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment