Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદકર કોલેજમાં નશા મુક્ત ભારત અભિયાન અંતર્ગત કાર્યક્રમ:NSS વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને વ્યસનથી બચાવવા નિબંધ સ્પર્ધા યોજાઈ

    2 days ago

    બોટાદની કવિ શ્રી બોટાદકર આર્ટસ અને કોમર્સ કોલેજના NSS વિભાગ દ્વારા 'નશા મુક્ત ભારત અભિયાન' અંતર્ગત એક નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાધનને વ્યસનના દૂષણથી બચાવવાનો અને તેમની લેખન કૌશલ્યનો વિકાસ કરવાનો હતો. આ સ્પર્ધામાં વિવિધ વિષયો પર નિબંધ લખવામાં આવ્યા હતા, જેમાં 'નશા મુક્ત ભારત આજના યુવાનોની સૌથી મોટી જવાબદારી', 'સ્વસ્થ યુવા, સમૃદ્ધ ભારત', 'નશા મુક્ત ભારત અભિયાન: દેશના વિકાસમાં યુવાનોની ભૂમિકા', 'નશો એક અભિશાપ: પરિવાર અને સમાજ પર તેની અસર' અને 'નશા મુક્ત ભારતમાં શિક્ષણ અને સંસ્કૃતિનું યોગદાન' જેવા મુદ્દાઓનો સમાવેશ થતો હતો. કોલેજના કુલ 30 વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોએ આ સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. તમામ પ્રોગ્રામ ઓફિસર દ્વારા વિદ્યાર્થીઓને આ કાર્યક્રમમાં યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ કોલેજના પ્રિન્સિપાલ ડો. એ. જે. મકવાણાના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
    Click here to Read More
    Previous Article
    108 કળશ સાથે જળયાત્રા નીજ મંદિરે પરત ફરી:ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીની પૂજા-વિધિ શરૂ; થોડીવારમાં જળાભિષેક
    Next Article
    બજેટ 11 હજાર કરોડનું પણ અધિકારીઓની અછત:15 મહિનામાં ત્રીજા સિટી ઈજનેર બદલાશે, 30 જૂને ડી.સી. ભગવાગર નિવૃત્ત થતાં SMCને મળશે ત્રીજા ઈન્ચાર્જ સિટી ઈજનેર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment