Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લાલપુરમાં ટીબી જાગૃતિ સેમિનાર યોજાયો:શ્રી વિદ્યાદીપ સંકુલના NSS વિદ્યાર્થીઓને ટીબી મુક્ત ભારત માટે પ્રેરિત કરાયા

    8 hours ago

    લાલપુર તાલુકાના શ્રી વિદ્યાદીપ શૈક્ષણિક સંકુલમાં NSSના વિદ્યાર્થીઓ માટે ટીબી રોગ અંગે જાગૃતિ સેમિનાર યોજાયો હતો. દેશને ટીબી મુક્ત બનાવવાના રાષ્ટ્રીય અભિયાનના ભાગરૂપે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આરોગ્ય ટીમે વિદ્યાર્થીઓને ટીબીના લક્ષણો, નિદાન અને સારવાર વિશે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. તેમને જણાવાયું હતું કે જો સતત બે અઠવાડિયાથી વધુ સમય સુધી ખાંસી, ભૂખ ન લાગવી, વજન ઘટવું, તાવ કે રાત્રે પરસેવો આવવા જેવા લક્ષણો જણાય તો તાત્કાલિક સરકારી આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો. ટીબીની તપાસ અને સારવાર સરકારી આરોગ્ય કેન્દ્રો પર વિનામૂલ્યે ઉપલબ્ધ છે.આ કાર્યક્રમમાં NSSના ૧૪ સ્વયંસેવકોએ ટીબી દર્દીઓની સહાય માટે ‘નિ-ક્ષય મિત્ર’ તરીકે નોંધણી કરાવી હતી. જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીઓ અને લાલપુર આરોગ્ય ટીમના માર્ગદર્શન હેઠળ, સ્વયંસેવકોએ પોતાના ગામ અને વિસ્તારમાં ટીબી અંગે જાગૃતિ ફેલાવવા તથા લોકોને વહેલા નિદાન અને સંપૂર્ણ સારવાર માટે પ્રેરિત કરવાનો સંકલ્પ લીધો હતો.
    Click here to Read More
    Previous Article
    બોટાદમાં વરિયા યુવા સમિતિ દ્વારા સન્માન સમારોહ યોજાયો:149 તેજસ્વી વિદ્યાર્થીઓ અને વિશેષ સિદ્ધિ મેળવનારાઓનું સન્માન કરાયું
    Next Article
    Prashant Kishor Bankipur MLA Oath Ceremony: इस अंदाज में ली पीके ने विधायक पद की शपथ | Bankipur MLA

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment