Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણ કલેક્ટરનો નિર્ણય: NH-68 પ્રોજેક્ટ માટે જમીન વપરાશ પર પ્રતિબંધ:NHAI મંજૂરી વિના બાંધકામ કે NA નહીં, ઉલ્લંઘન કરનાર અધિકારી જવાબદાર

    6 days ago

    પાટણ જિલ્લા કલેક્ટર કચેરીએ રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 68 (રાધનપુર-પાટણ સેક્શન) ને ફોર-લેન કરવાની કામગીરી અંતર્ગત એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ પ્રોજેક્ટ રૂટ પર આવતા 24 ગામોની જમીન પર નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) ના પરામર્શ વિના જમીન વપરાશ ફેરફાર (NA), ગણોત ધારાની મંજૂરીઓ કે નવી વિકાસલક્ષી પરવાનગીઓ આપવા પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ પગલું જાહેર હિત અને સરકારી નાણાંનો વ્યય અટકાવવા માટે લેવાયું છે. NHAI દ્વારા રાધનપુર-પાટણ સેક્શન (NH-68, કિમી 0.000 થી કિમી 52.600) ને ફોર-લેન કરવા માટે જમીન સંપાદનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ હાઈવે પ્રોજેક્ટનું સૂચિત અલાઈનમેન્ટ પાટણ જિલ્લાના રાધનપુર, સમી, હારીજ અને પાટણ તાલુકાના કુલ 24 ગામોની સીમમાંથી પસાર થાય છે. હાલમાં આ પ્રોજેક્ટ માટે સત્તાવાર સર્વે નંબરો નક્કી કરવાની ડીપીઆર (DPR) ની કામગીરી પ્રગતિ હેઠળ છે, જેથી ભવિષ્યમાં જમીન સંપાદનના વળતરની રકમ બિનજરૂરી રીતે ન વધે. આ આદેશ હેઠળ રાધનપુર તાલુકાના શિનાડ, નાનાપુરા, ઘરવડી અને કમાલપુર (સાતુન) ગામોનો સમાવેશ થાય છે. સમી તાલુકાના દાદર ગામ તેમજ હારીજ તાલુકાના ખાખલ, જસવંતપુરા, રગુનાથપુરા, રોડા, વાંસા, માંસા અને દુનાવાડા ગામની જમીનો પર આ નિયમ લાગુ પડશે. આ ઉપરાંત, પાટણ તાલુકાના ખાનપુરડા, દૂધારામપુરા, હનુમાનપુરા, વડલી, અનાવાડા, ગોલાપુર અને રાજપુર ગામ તેમજ પાટણ શહેર વિસ્તારના બકરાતપુર, સાડિસર પાટી, ગુંગળીપાટી, હાંસાપુર અને સમાલપાટી વિસ્તારના સર્વે નંબરોને પણ આ સૂચના હેઠળ આવરી લેવામાં આવ્યા છે. જિલ્લા કલેક્ટર કચેરીના આદેશ અનુસાર, સૂચિત અલાઈનમેન્ટમાં આવતા તમામ 24 ગામોના વિસ્તારોમાં NHAI ના પૂર્વ પરામર્શ કે મંજૂરી વિના કોઈપણ પ્રકારની નવી બાંધકામ પરવાનગી કે જમીન ફેરફારની પ્રક્રિયા કરી શકાશે નહીં. જો કોઈ કચેરી કે અધિકારી દ્વારા આ સૂચનાઓનું ઉલ્લંઘન કરીને મંજૂરી આપવામાં આવશે અને તેના કારણે ભવિષ્યમાં જમીન સંપાદન વળતરની રકમમાં વધારો થશે, તો તેની તમામ નાણાકીય જવાબદારી મંજૂરી આપનાર સંબંધિત અધિકારી, શાખા કે કચેરીની રહેશે. આ બાબતે તમામ પ્રાંત અધિકારીઓ, મામલતદારો, જિલ્લા આયોજન અધિકારી, નગર નિયોજક, ચીફ ઓફિસર અને તાલુકા વિકાસ અધિકારીઓને કડક અમલવારી કરવા સૂચના આપવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    સાતલપુરમાં જાહેર કાર્યક્રમમાં ગ્રામજનોએ પ્રાથમિક સુવિધાઓના પ્રશ્નો ઉઠાવ્યાં:ધારાસભ્ય અને આગેવાનો સમક્ષ ઉગ્ર રજૂઆત
    Next Article
    પાટણમાં સ્વામિનારાયણ સત્સંગ કાર્યક્રમ યોજાયો:મનીષાબેન પ્રજાપતિ દ્વારા પુરુષોત્તમ માસની પૂર્ણાહુતિ નિમિત્તે આયોજન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment