Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઓપરેશન સિંદૂરની પ્રથમ વર્ષગાંઠની ઉજવણી:રાજપીપળાના NCC કેડેટ્સ દ્વારા દેશભક્તિ કાર્યક્રમનું આયોજન

    6 hours ago

    રાજપીપળાની એમ. આર. આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના એન.સી.સી. કેડેટ્સ દ્વારા “ઓપરેશન સિંદૂર”ની પ્રથમ વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી હતી. થ્રી ગુજરાત ઇન્ડિપેન્ડન્ટ કંપની એન.સી.સી. રાજપીપલા અંતર્ગત આ કાર્યક્રમનું આયોજન થયું હતું. ગત વર્ષ 22 એપ્રિલ, 2025ના રોજ કાશ્મીરના પહેલગામ વિસ્તારમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં ભારતીય સેનાએ “ઓપરેશન સિંદૂર” સફળ બનાવ્યું હતું. આ ઉજવણીના ભાગરૂપે એન.સી.સી. ઓફિસર કેપ્ટન રાહુલ ઠક્કર અને સૂબેદાર કમલ કુમારના માર્ગદર્શન હેઠળ કડેટ્સ દ્વારા એન.સી.સી. લીડરશિપ એકેડમી, જીતનગર ખાતે યોગ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કડેટ્સ માટે દોડનું પણ આયોજન કરાયું હતું. પહેલગામ હુમલામાં શહીદ થયેલા ભારતીય નાગરિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. કેપ્ટન રાહુલ ઠક્કર દ્વારા “ઓપરેશન સિંદૂર” વિષય પર વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું. તેમણે કડેટ્સને ભારતીય સેનાના શૌર્ય, વ્યૂહરચના, દેશપ્રેમ અને રાષ્ટ્રરક્ષાની ભાવના વિશે માહિતી આપી હતી. “ઓપરેશન સિંદૂર” પર આધારિત એક ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ દર્શાવવામાં આવી હતી. આ ઉપરાંત, રાજપીપળાના માર્ગો પર દેશભક્તિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. કડેટ્સએ હાથમાં તિરંગો લઈને “ભારત માતા કી જય” અને “આતંકવાદ કા ખાતમા યહી હમારા મકસદ હૈ” જેવા સૂત્રોચ્ચારો કર્યા હતા, જેનાથી શહેરમાં રાષ્ટ્રપ્રેમનો માહોલ છવાઈ ગયો હતો.
    Click here to Read More
    Previous Article
    દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર કાર નદીમાં ખાબકી:કાલોલ પાસે અકસ્માત, સુરતના પટેલ પરિવારનો ચમત્કારિક બચાવ
    Next Article
    Urvil Patel’s onslaught piles more misery on Lucknow Super Giants, keeps Chennai Super Kings hopes alive

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment