Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    MSU હેડ ઓફિસનો મુખ્ય ગેટ કચ્ચરઘાણ:મોડીરાત્રે મહાકાય વૃક્ષ ધરાશાયી, દિવસ દરમિયાન ઘટના ઘટી હોત તો જવાબદાર કોણ?

    7 hours ago

    વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU)ની હેડ ઓફિસના મુખ્ય ગેટ પાસે ગત મોડી રાત્રે ભારે પવન અને સામાન્ય વરસાદના કારણે એક વર્ષો જૂનું મહાકાય વૃક્ષ અચાનક ધરાશાયી થયું હતું. આ ઘટના રાત્રિના સમયે ઘટી હોવાથી એક બહુ મોટી જાનહાનિ ટળી ગઈ છે, પરંતુ વૃક્ષ તૂટી પડવાના કારણે યુનિવર્સિટીના મુખ્ય ગેટનો સંપૂર્ણ કચ્ચરઘાણ વળી ગયો છે. આ અકસ્માત બાદ સ્થાનિક તંત્ર અને યુનિવર્સિટી પ્રશાસનની પ્રી-મોન્સૂન (માનસૂન પૂર્વેની) કામગીરીના દાવાઓ પર ગંભીર સવાલો ઊભા થયા છે. હજારો વિદ્યાર્થીઓ અને કુલપતિની અવરજવરનો મુખ્ય માર્ગ મળતી માહિતી મુજબ, MS યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે બે મુખ્ય ગેટ આવેલા છે, જેમાં ફતેગંજ બ્રિજ ઉતરતા જ આવતા આ મુખ્ય ગેટનો ઉપયોગ યુનિવર્સિટીના કુલપતિ (VC), રજિસ્ટ્રાર સહિત હજારો કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ દૈનિક અવરજવર માટે કરે છે. સદનસીબે દુર્ઘટના મોડી રાત્રે થઈ હતી, પરંતુ જો આ જ મહાકાય વૃક્ષ દિવસના વ્યસ્ત સમય દરમિયાન કોઈ વિદ્યાર્થી કે વાહન પર પડ્યું હોત અને કોઈ ગંભીર હોનારત સર્જાઈ હોત, તો તેની સત્તાવાર જવાબદારી કોણ લેત? તેવો સળગતો સવાલ અત્યારે કેમ્પસમાં ચર્ચાનો વિષય બન્યો છે. પૂર્વ સેનેટ મેમ્બરનો તંત્ર અને સત્તાધારી પક્ષ પર આક્રોશ આ ગંભીર બેદરકારી અંગે યુનિવર્સિટીના પૂર્વ સેનેટ મેમ્બર કપિલ જોષી સામે આવ્યા છે. તેમણે તંત્ર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, આ ઝાડ રાત્રે પડ્યું તે સદનસીબ અને સુખદ બાબત છે કે કોઈનો જીવ ન ગયો, પરંતુ ગેટનો જે કચ્ચરઘાણ વળ્યો છે તે સીધેસીધી નિષ્કાળજી દર્શાવે છે. કોર્પોરેશનનું તંત્ર હોય કે યુનિવર્સિટી પ્રશાસન, બંનેએ પોતાની પ્રી-મોન્સૂનની જવાબદારી યોગ્ય રીતે નિભાવી નથી. ભાજપના શાસનમાં તંત્ર ક્યારેય જવાબદારી લેતું નથી, માત્ર નાગરિકોએ જ ભોગવવાનું આવે છે. ચિંતાજનક બાબત એ છે કે ઘટનાના કલાકો વીતી ગયા હોવા છતાં પણ આ મહાકાય વૃક્ષને રસ્તા કે ગેટ પરથી હટાવવાની કોઈ ત્વરિત તકેદારી રાખવામાં આવી નહોતી, જેને કારણે યુનિવર્સિટીના સ્ટાફ અને વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં મેડિકલ ઇમરજન્સીમાં ફ્રી ટિફિન સેવા મળશે:પાટીલનું લોકસભા કાર્યાલય શુદ્ધ અને પૌષ્ટિક ભોજન પૂરું પાડશે, નવસારીના કાર્યકરો માટે મહત્વનો નિર્ણય
    Next Article
    Trump Says Iran Has Agreed To Forgo Nuclear Weapons As US Sends Tougher Peace Proposal

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment